Thursday, 25 June 2015

Women Empowerment for Nomadic Communities Women by VSSM

Creating opportunities of starting independent business for women of nomadic communities….

Madhuben Raval resides in Deesa’s Regiment area. Having learnt tailoring she looked forward to start her own tailoring venture  but lack of funds  to buy a sewing machine stopped her from taking the plunge. Since she was was aware of VSSM providing loans to nomadic individuals  wishing to start their own small venture, Madhuben approached VSSM’s team member Maheshbhai with a request of a loan for buying a sewing machine. VSSM lent her Rs. 10,000 for the same. The neighbourhood where Madhuben resides has a tailoring shop so finding work was a challenge initially but Madhuben is working her way out, she has spread a word about her new venture and work has began to flow in. She earns RS. 100 daily and is happy about it because working from home means  she can take care of the house and family as well. She is also teaching tailoring to  her elder daughter who also helps her mother once she is back from school  both of them together are managing work well.
Women Empowerment for Nomadic Communities Women by VSSM
Madhuben - Independent Business Woman
from Nomadic Communities


The rising cost of living is making it increasingly necessary for both husband and wife to earn and manage the family finances, the Nomadic Communities who have lost their traditional occupations where women’s contribution was at par with men, are in deep dilemma but with families prepared to hone new skills and such opportunities being created the future sure looks upbeat for them...

In the picture Madhuben with her sewing machine….


વિચરતી જાતિની બેહનો પણ હવે વિ.એસ.એસ.એમ. ની મદદથી સ્વતંત્ર વ્યવસાય કરતી થઇ..

મધુબેન રાવળ ડીસામાં રીજમેન્ટમાં રહે. તેઓ સીવણ શીખ્યા હવે ધંધો કરવો હતો પણ સિલાઈ મશીન લાવવા પૈસા નહોતા. વિ.એસ.એસ.એમ. દ્વારા રીજમેન્ટ વિસ્તારમાં રેહતા વેરશીભાઈને રૂપિયા ૩૦,૦૦૦ રીક્ષા ખરીદવા માટે લોન આપી હતી આ અંગે મધુબેન જાણે એટલે એમને પણ સંસ્થાના કાર્યકર મહેશને સિલાઈ મશીન ખરીદવા માટે લોન આપવા વિનંતી કર.  આપણે રૂપિયા ૧૦,૦૦૦ની લોન આપી અને તેઓ મશીન લાવ્યા.

આમ તો કામ મેળવવું થોડું મુશ્કેલ હતું. મધુબહેન જ્યાં રેહતા ત્યાં બાજુમાં જ દરજીની દુકાન હતી પણ મધુબહેનને વિશ્વાસ હતો કે ધીમે ધીમે કામ મળશે. તેમણે પોતાની આવડતનો પ્રચાર પણ કર્યો. ધીમે ધીમે ફાટેલાં કપડાંને સિલાઈ, થીગડું મારી આપવાનું કામ મળવા લાગ્યું. સાડીને ફોલ બિડીંગ કરવાનું કામ પણ હવે મળે છે. રોજના ૧૦૦ રૂપિયા જેવું મળી રહે છે. મધુબહેન કહે છે, ‘હાલ તો કામની સાથે સાથે ઘર પણ સચવાય છે. મારી મોટી દીકરી ભણવામાં ઠીક છે તેને સિલાઈ શીખવાડવી છે જેથી ભવિષ્યમાં અમે બંને મશીન પર કામ કરી શકીએ.’

ઘરની અર્થ વ્યવસ્થા બરાબર જળવાઈ રહે એ માટે પતિ-પત્ની બંને કામ કરે તે જરૂરી છે. વિચરતી જાતિઓમાં આમ તો આવી જ વ્યવસ્થા હતી પણ પરંપરાગત વ્યવસાયો છૂટતા સ્ત્રી વર્ગે શું કરવું તે મૂંઝવણ હતી પણ હવે તેનો ઉકેલ પણ ધીમે ધીમે આવી રહ્યો છે...

ફોટોમાં મધુબહેન એમના સિલાઈ મશીન સાથે..

Monday, 22 June 2015

VSSM’s pledge to make the nomadic communities debt free



Amidst one of the very posh localities of Ahmedabad called  Gulbai Tekra is nestled a large ghetto called Hollywood, a slum that  houses a large number of nomadic families. Most of these families are involved in the craft of making statues from plaster of paris. They are mainly Ganesha statues that are sold during the annual Ganapati Mahotsav. 

Dhulabhai and Ratanben with the statues they create
Dhulabhai and Ratanben with the statues they create 
Ratanben, her husband Dhulabhai, three daughters and one son stay in this slum. While one of daughters is married and lives in  her own home the other two daughters help their parents in making statues.  The couple’s only son  has just cleared his 10th grade. The statue making business is seasonal one requiring lot of pre-planning, lack of which results into a flop season and no earnings. The statues have to be prepared four months before the season approaches and requires substantial capital investment. The returns on which are only after the statues are sold off. For the rest of the year Ratanben sells cosmetics and imitation jewellery while the daughters work as household helps at houses in neighbourhood, the combined  incomes of which helps feed the family during the rest of the year. Such families do not have any savings to fall back on, requiring them to borrow money at  hefty interest rates from private money lenders or some relatives. Once the statues are sold and they have money on hand the debts are paid off.  Also since Dhulabhai doesn’t possess any other skill he needs to borrow money whenever some need arises. But they do remain trapped into a permanent cycle of debt. Even the family’s combined  income from all the occupations isn’t enough to allow them to save for the rainy day. Any emergency would mean borrowing money and incurring debt!!! That is how life goes on for this as well as many other families like them….

VSSM through its various initiatives is much involved with this community. VSSM’s Elaben has suggested to these families to work towards creating a corpus by borrowing money from relatives and VSSM (both interest free funds) and do a proper business this year. The loan  is to be repaid from the money that is earned from other occupations.  If need be work more and work harder. The aim will be to make good profit in this season. Ratanben grasped the matter well and took a loan of Rs. 20,000 from VSSM, brought Rs. 40,000 from her family members and created a fund of Rs. 60,000 to work with. Dhulabhai has began making statues and expects brisk sales this year. Ratanben’s expects making good profit since all the funds are interest free. 

"I want to educate my son well, get my daughters married without incurring further debt. We will be able to pay off the VSSM loan from the work I and my daughters do, so we will be saving Rs. 20,000 in this season itself!!” says a rather confident Ratanben. 

In the picture Dhulabhai and Ratanben with the statues they create. 

વિચરતા પરિવારોને દેવા દેવામુક્ત કરવાનો vssmનો નિર્ધાર ...
રતનબહેન તેમના પતિ, ત્રણ દીકરી અને એક દીકરા સાથે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં  રહે. એક દીકરી પરણીને સાસરે ગઈ અને દીકરાએ હમણાં ધો.૧૦ની પરીક્ષા આપી. બાકીની બે રતનબહેન અને તેમના પતિ ધુળાભાઈ મૂર્તિઓ બનવાનું કામ કરે છે પણ આ ધંધો સીઝનલ એટલે સિઝન બરાબર જાય એની તૈયારી પહેલેથી કરવી પડે. મૂડી રોકાણ કરવું પડે. સિઝનના ચાર મહિના પહેલાં સામાન લાવીને મૂર્તિ બનાવવાનું કામ શરુ કરી દેવું પડે. રતનબહેન મૂર્તિ બનાવવાની સીઝન ના હોય એ વખતે શૃંગાર પ્રસાધનો પણ વેચે. એટલે સીઝન સિવાય ગાડું ગબડ્યા કરે.

આ પરિવારનું આર્થિક પાસું એટલું મજબુત નહિ. આમ તો મૂર્તિ બનાવવાના કામમાં મળતર ખુબ હોય પણ એ માટે મૂડી રોકાણ સરખું કરવું પડે. બચત તો હોય નહિ. એટલે સીઝનમાં મૂર્તિ બનાવવા માટે તગડાં વ્યાજે અને પોતાના સગા- સંબંધી જેમની સ્થિતિ ઠીક છે એમની પાસેથી ઉછીના પૈસા લાવે અને સીઝન પત્યા પછી થયેલી આવકમાંથી દેવું ચૂકતે કરે.. પણ પછી તો રતનબહેન અને એમની દીકરીઓ ઘર કામ કરીને જે લાવે એમાંથી જ ખાવાનું. ધુળાભાઈને બીજા કામની આવડત નહિ અને મજુરી બહુ ફાવે નહિ એટલે જરૂર પડે પાછા દેવું કરીને પૈસા લાવવાના અને આમ દેવાના બોજ તળે દબાતા જાય અને સિઝનમાં દેવું ઉતારી દેવાનું. આ નિત્યક્રમ વર્ષોથી ચાલે...

આ પરિવારો સાથે આપણે કામ કરીએ.. દરેક મૂર્તિ બનાવનારના ઘરની ઉપર જણાવી એવી જ વાત. ઇલાબહેને એક રસ્તો કાઢ્યો અને વ્યાજવા પૈસા લાવ્યા વગર કામ કરવાનું કેટલાક પરિવારો સાથે નક્કી કર્યું. ‘સગા- સંબંધી તો વ્યાજ વગર પૈસા આપે એટલે એમની પાસેથી મૂડી ભેગી કરો અને vssmમાંથી રૂ.૨૦,૦૦૦ની લોન લો અને દર મહીને તમારાં પરિવારના અન્ય સભ્યો કમાય છે એ vssmની લોનનો હપ્તો ભરે.. જરૂર પડે એક કામ વધારે કરો.. પણ આ સિઝનમાં સરખો નફો થાય એમ કરો અને બચત પણ બરાબર કરો જેથી આવતાં વર્ષે વધારે સારો ધંધો કરી શકાય. એવી વાત ઇલાબહેને આ પરિવારને સમજાવી. રતનબહેન ઈલાબહેનની આ વાત બરાબર સમજ્યા. રૂ.૨૦,૦૦૦ની vssmની લોન અને સગા સંબંધી પાસેથી રૂ. ૪૦,૦૦૦ લાવ્યા અને રૂ.૬૦,૦૦૦ નો સામાન લાવીને મૂર્તિ બનાવવાનું કામ ધુળાભાઈએ અત્યારથી શરુ કરી દીધું. જેથી સિઝનમાં દોડાદોડી ના થાય..

આ વર્ષે એમને ખુબ સારો નફો થશે એવો રતનબહેનને વિશ્વાસ છે. તે કહે છે, ‘સંસ્થાની લોન તો મારી દીકરી અને અમે જે કામ કરીએ છીએ એમાંથી જ ભરી દઈશું એટલે એ ૨૦,૦૦૦ તો સીધા જ બચવાનાને. મારે દીકરીઓને પરણાવવાની છે અને દીકરાને ખુબ ભણાવવો છે અને એ પણ દેવું કર્યા વગર અને એ સરસ પાર પડશે એવો હવે વિશ્વાસ છે. ’

ધુળાભાઈ અને રતનબહેન પોતે તૈયાર કરેલી મૂર્તિ સાથે

Tuesday, 16 June 2015

Livelihood Generation for Meer community by VSSM

VSSM’s efforts heralding a gradual change in the lives of extremely marginalised communities…...

Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Samakhiyali region in Kutchh has a sizeable population of families from Meer Community. These families earn their living by working as menial labour, goat farming, selling lace and borders etc. VSSM has been working towards helping these families get their identity documents, livelihood etc. The  families have received Voter ID cards and Ration Cards. Families who have been given loan by VSSM have began earning well from new ventures they have created. 

One such family is of Fatehbhai and Kaliben - an extremely hard working couple. Fatehbhai earns from goat and sheep farming, selling the sheep wool for living. The earnings are low because he could afford to  buy and rear on 7 to 10 of these cattle. Fatehbhai wanted to change his profession so he  requested Vicharta Samuday Samarthan Manch - VSSM to lend him Rs. 15,000 to buy lace and borders (VSSM had supported some individuals in the settlement for the same). He bought the material from Surat. Now the couple sells lace in the bazaar of Samakhiyali and Bhacahu and if there is a need  they also go to villages. The business is good enabling them to pay Rs. 1000 as instalment and save Rs. 500 every month.   

“Life seems to be changing for better now. Gone are the days when we had to drink water to and fill our hungry stomach. We have also bought a barrel to store grains. The earning is enough to help us buy good  amount of food. Your trusting us and lending money has been a blessing otherwise who keeps faith in people who wander, have no permanent address!!” shared Fatehbhai.

Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Livelihood Generation for Meer Community of Gujarat By VSSM
Fatehbhai is contemplating to enrol his children in VSSM run hostel in Bhachau. This particular hostel was a Balghar before and now with support of Arati Foundation it will be functioning as a hostel. 

The efforts we have been putting in with the support of our well-wishers and supporters is gradually changing lives of some of the most marginalised communities and vulnerable sections of society. We are extremely grateful for all of yours unflinching support. 

The picture is of Fatehbhai with his home in the backdrop and with Kaliben selling lace and borders...

વિચરતા પરિવારોને પગભર કરવાની vssmની મથામણ હવે રંગ લાવી રહી છે...

કચ્છના સામ્ખ્યારીમાં મીર પરિવારો રહે. આ પરિવારો છૂટક મજૂરી, બકરાં પાલન અને લેસપટ્ટી લાવીને વેચવાનું કામ કરે. આ પરિવારોને તમામ નાગરિક અધિકારો મળે એ માટે vssm પ્રયત્નશીલ છે. મતદારકાર્ડ, રેશનકાર્ડ આ પરિવારોને મળી ગયા છે. એમનામાનાં કેટલાકને આપણે વ્યવસાય માટે લોન પણ આપી છે. 
વસાહતમાં રહેતાં ફતેહભાઈ અને કાળીબહેન ખુબ મહેનતુ પણ બે છેડા ભેગા કરવાં હમેશાં મુશ્કેલ બને. ફતેહભાઈ ઘેટાં -બકરાં પાલનનું કામ કરે અને તેનું ઊન વેચીને ગુજારો કરે. વળી બકરાં પણ ૭ થી ૧૦ની સંખ્યામાં વધારે ખરીદવાનાં પૈસા ના હોય એટલે માંડ માંડ પુરુ થાય. આ વસાહતમાં રહેતાં લોકોને વ્યવસાય માટે આપણે લોન આપી એટલે ફતેહભાઈએ પણ લેસપટ્ટી લાવીને વેચવા માટે રૂ.૧૫,૦૦૦ની લોન આપવા વિનંતી કરી. ફતેહભાઈને વ્યવસાય બદલવો હતો. આપણે લોન આપી. તેઓ સુરતથી લેસ લાવ્યા. હવે કાળીબહેન અને ફતેહભાઈ સામ્ખ્યારી અને ભચાઉના બજારમાં બેસીને અને જરૂર પડે આ વિસ્તારના ગામડાઓમાં ફરીને લેસ વેચે છે. સારું મળતર મળે છે. vssm માંથી લીધેલી લોનનો માસિક રૂ.૧,૦૦૦ નો હપ્તો ભરે છે અને બેંકમાં રૂ.૫૦૦ ની બચત કરે છે. 

ફતેહભાઈ સાથે ધંધો બરાબર ચાલે છે કે નહિ? એ અંગે વાત કરી તો એમણે કહ્યું, ‘જીવન બદલાઈ રહ્યું છે. સાચું કહું તો પાણી પીને હવે પેટ ભરવું નથી ભરવું પડતું. અનાજ ભરવા નવું પીપડું પણ ખરીદ્યું છે. હવે સામટુ અનાજ ખરીદી શકાય એટલા પૈસા મળે છે. અમે રાજી છીએ. અમે વિચરતી જાતિના. અમારા સરનામાં ના હોય. આવામાં અમારા પર ભરોષો કરીને અમને લોન આપવાનું કોણ કરે? સંસ્થા અમારી સાથે છે એનો આભાર માનીએ છીએ.’ ફતેહભાઈએ એમના બાળકોને ભણવા માટે ભચાઉમાં જ vssm દ્વારા અને આરતી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ચાલતા બાલઘર કે જે હવે હોસ્ટેલના રૂપમાં પણ કામ કરશે ત્યાં ભણવા મુકવાનું નક્કી કર્યું છે. બદલાવ આવી રહ્યો છે જેનો આનંદ છે.. આ કામ આપ સૌ દાતાઓની મદદ વગર સંભવ નહોતું. સૌ સાથે છો એનો આનંદ અને મદદ માટે  હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

ફોટોમાં ફતેહભાઈ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે અને બીજા ફોટોમાં ફતેહભાઈ અને કાળીબહેન લેસપટ્ટીનો વેપાર કરતા જણાય છે. 

Thursday, 11 June 2015

Livelihood For Nomadic Communities by VSSM

120 families start their own ventures with the support of VSSM and its donors. .
Livelihood For Nomadic Communities by VSSM
Livelihood For Nomadic Communities by VSSM
One of the major endeavours of VSSM is to enable the nomadic communities earn a dignified living. We have been consistently sharing with you the state of livelihoods of the various  nomadic communities. Mechanisation,  industrialisation, urbanisation, environmental changes, wildlife laws etc.  have affected the age old and  traditional livelihoods of the nomadic communities across our country.The implementation of Wildlife Protection Act rendered the Vadee - Madaree Communities jobless while the Bharthari have lost their music because the recent  generations  haven’t been interested in listening to their Ektara…instead they ask them to work and earn their living.... Since last couple of decades the various nomadic communities are finding it extremely difficult to survive on the very skills their forefathers were revered for….want an irony….
Livelihood For Nomadic Communities by VSSM
Livelihood For Nomadic Communities by VSSM
Most of these livelihoods have become obsolete while there are some that are practiced just because the practicing communities do not have any option but to cling to them inspite of the fact that these professions  hardly earn them a square meal. 

How to reintegrate the livelihoods of these extremely marginalised and  poor population was the question that kept arising all the time we addressed one after another issues challenging the nomadic communities. At one point we began training them for trades like electrical, plumbing, masonry , tailoring, mobile repairing etc. professions that have great demand both in rural and urban regions. It was an uphill task to convince them to take up these trades, link them with the market after the completion of training as most of the trainees never made efforts to search jobs in tune with the training received. Eventually we the effort had to be terminated the energy, money and time spent on the entire program wasn’t giving desired results, bringing us to same question what to do for the livelihoods of the nomads???

Livelihood For Nomadic Communities by VSSM
Livelihood For Nomadic Communities by VSSM
There was this demand from some individuals from these communities to give them loan to help them start their own enterprise or ventures. We found the proposal to be risky as these families continuously keep moving so how will they repay the month instalments was the challenge but we had to begin somewhere so why not experiment and give it a try was the consensus from the Vicharta Samuday Samarthan Manch - VSSM team. Initially we gave  loan to a couple of  individuals.  And with the increase in positive experiences we began lending more… During the past 1 year we have supported 120 individuals with the total amount of loan being Rs. 17,18,500 of which Rs. 5,44,550 have already been returned. So far the experiences have been very encouraging.  
Livelihood For Nomadic Communities by VSSM
Livelihood For Nomadic Communities by VSSM
With the increase in lending amount there emerged a need to setup a revolving fund to meet the needs of loans. The following Samaritans  helped us set-up the revolving fund..

Days Business Finance Pvt. Ltd. -   Rs. 5,00,000
Pragnya Girish Sherdalal Foundation  Rs. 5,00,000
N. A. Sonawala   Rs. 2,50,000
Blue Cross Laboratories    Rs. 5,00,000
Shri. Paresh Vora        Rs.       10,000

Total        Rs. 17,60,000

In the year 2015-16 we are looking towards supporting 150 more individuals and from Rs. 17,60,000 we plan to increase amount of revolving fund to Rs. 25, 00,000 ( 25 lacs) 

Livelihood For Nomadic Communities by VSSM
Livelihood For Nomadic Communities by VSSM
The financial support has to a very great extent changed the lives of 120 families, it has enabled these families to do jobs they like allowing them to maintain their inherent nature of enterprise. All their lives and historically as well these communities have worked for themselves be it making baskets, sharpening  knives, creating iron tools etc etc. they pursued their professions on their own terms and hence it is difficult for them to work on the back and call of others. Being involved in their own businesses means they are their own boss and can put in extra hours to increase sales and profits. All these families are doing exactly that to change the destiny of their families……

We are hopeful that with you continued support more families will be abel to earn and live with dignity. 

vssm અને તેની સાથે સંકળાયેલા દાતાઓના માધ્યમથી ૧૨૦ વિચરતા પરિવારો સ્વતંત્ર વ્યવસાય કરતા થાય

વિચરતા સમુદાયોના પરંપરાગત વ્યવસાય પડી ભાંગ્યા છે. નવા વ્યવસાયની આવડત નથી એટલે નાં છુટકે પોતાના મૂળ વ્યવસાય સાથે જોડાઈને જે મળે તેમાંથી જ આ પરિવારો ગુજારો કરે. કેટલીક જાતિઓ તો એવી છે કે મૂળ વ્યવસાયમાંથી પણ ગુજારો કરી શકે તેમ નથી. જેમ કે વાદી – મદારી સાપના ખેલ બતાવીને લોકોનું મનોરંજન કરે પણ ‘ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ’ આવ્યો એટલે સાપના ખેલ પર જ પ્રતિબંધ આવી ગયો એટલે ના છુટક આ પરિવારો ભીખ માંગવા માંડ્યા તો ભરથરી રાવણહથ્થો વગાડી લોકોનું મનોરંજન કરીને પૈસા રળતા પણ હવે ભરથરીનાં સંગીતમાં કોઈને રસ રહ્યો નથી. ઊલટાનું મહેનત કરીને પૈસા કમાવવાની સૌ સલાહ આપે છે. આમ વિચરતી જાતિઓ જે પારંપરિક વ્યવસાયોના આધારે જીવતી હવે તેના આધારે ટકી શકાય તેમ નહોતું.

આ પરિવારો સાથેના કામો દરમ્યાન રોજગારી માટે શું  કરવું તેનું ચિંતન સતત થયા કરે. એક વિચાર તરીકે વિવિધ વૈકલ્પિક વ્યવસાયોની (કડિયાકામ, પ્લમબીંગ, સિલાઈ, મોબાઈલ રીપેરીંગ, ઈલેક્ટ્રીશીયન  વગેરે) તાલીમ આપવાનું નક્કી કર્યું અને કામ શરૂ કર્યું પરંતુ, તેમાં સૌથી વધારે મુશ્કેલી થવા માંડી. પહેલાં તો લોકો આવી કોઈ તાલીમ માટે તૈયાર જ નહોતા થતા પણ પછી સમજાવીએ એટલે તૈયાર થાય અને તેમની તાલીમ પૂરી થાય પછી લીધેલી તાલીમને અનુરૂપ કામ શોધીને પૈસા કમાવવાનું શરૂ થવું જોઈએ પણ એ દિશામાં કોઈ જ વ્યક્તિ પ્રયત્ન નાં કરે. આમ તાલીમ પાછળ પૈસા અને સમય બંનેનો  વ્યય થતો જણાયો. શું કરવું તે સમજાતું નહોતું.

છેવટે આ પરિવારોમાંના જ કેટલાક સ્વતંત્ર વ્યવસાય કરવા લોન આપવા વિનંતી કરી. શરૂઆતમાં આ થોડું જોખમી પણ લાગ્યું.. પોતાના પરંપરાગત વ્યવસાય માટે ફરતાં રહે છે. લોન લેશે તો હપ્તા કેવી રીતે ભરશે વગેરે જેવા પ્રશ્નો હતાં પણ પછી એક પ્રયોગ તરીકે પણ આ કરવા જેવું લાગ્યું અને લોન આપવાની શરૂઆત કરી.

છેલ્લા એક વર્ષમાં ૧૨૦ વ્યક્તિઓને આપણે લોન આપી અને તેના ખૂબ જ સુંદર અનુભવો રહ્યા. અત્યાર સુધી આપણે રૂI. ૧૭,૧૮,૫૦૦ની લોન આપી જેમાંથી ૫,૪૪,૫૫૦ પરત પણ આવી ગયા છે.
સ્વતંત્ર વ્યવસાય માટે આ પરિવારોને લોન આપી શકીએ તે માટે રીવોલ્વીંગ ફંડ ઊભું કરવું પડે તેમ હતું જે માટે નીચે જણાવેલા સંસ્થાના શુભેચ્છક સ્વજનોએ મદદ કરી.

ક્રમ    નામ                                            રકમ

૧ ડાર્સ બીઝનેસ ફાઈનેન્સ પ્રા.લી          ૫,૦૦,૦૦૦

૨ પ્રજ્ઞા ગીરીશ શેરદલાલ ફાઉન્ડેશન    ૫,૦૦,૦૦૦

૩ એન.એ.સોનાવાલા                          ૨,૫૦,૦૦૦

૪ બ્લુ ક્રોસ લેબોરેટરીઝ લી.                  ૫,૦૦,૦૦૦

૫ શ્રી પરેશ વોરા                                  ૧૦,૦૦૦

              કુલ                                          ૧૭,૬૦,૦૦૦


હાલમાં સંસ્થા પાસે આ નિમિતનું રીવોલ્વીંગ ફંડ રૂI. ૧૭,૬૦,૦૦૦ છે. જેને વધારીને રૂI. ૨૫ લાખ કરવાનું આયોજન છે. સંસ્થા સાથે સંકળાયેલા સૌ સ્વજનોના સહયોગથી આપણે ૧૨૦ પરિવારોના જીવનમાં ઊજાસ પાથરવામાં નિમિત બન્યા છીએ.વિચરતા સમુદાયના અન્ય પરિવારો પણ માનભેર રોજી મેળવતા થાય તે દિશામાં હજુ વધારે પ્રયત્ન કરવાના છે. વર્ષ ૨૦૧૫-૧૬ માટે અમે ૧૫૦ વ્યક્તિઓને લોન આપવાનો નિર્ધાર કર્યો છે. મૂળ સદીઓથી સ્વતંત્ર વ્યવસાય થકી જ આજીવિકા રળતા આ પરિવારો પોતાના મનના માલિક છે કોઈના હાથ નીચે રહીને કામ કરવાનું એમણે કર્યું જ નથી. દા.ત. ચપ્પુની ધાર કાઢવાનું કે વેચવાનું,વાંસમાંથી સૂંડલા ટોપલા બનાવવાનું હોય કે કાંસકી બનાવીને વેચવાનું કામએ પોતાની માલીકીનું કે મરજીનું કામ છે. આપ સૌની મદદથી આ આયોજન સુધી પહોંચી શકીશું તેવી શ્રદ્ધા છે.

૧૨૦ વ્યક્તિઓએ જે હેતુસર લોન લીધી છે, જેટલી રકમની લોન લીધી છે તેમાંથી કેટલા રૂપિયા પરત ભરપાઈ કર્યા છે વગેરે વિગતો જોઈ શકાય છે.

Wednesday, 10 June 2015

Employment For Nomadic Tribes Babubhai Bajaniyaa by VSSM

VSSM’s support helps Babubhai to buy an auto rickshaw and increase his monthly income..

VSSM for Income Generation for Nomadic Tribes Babubhai Bajaniyaa
VSSM for Income Generation for Nomadic Tribe Babubhai Bajaniyaa
Babubhai Bajaniyaa, his wife, 2 daughters and a son stay in the Paldi area of Ahmedabad. The couple’s two elder daughters are married and moved to their own homes. Babubhai irons clothes during the day time and drives a rented auto in the nights. His wife works as household help at times taking her daughters along to help her out. All the 4 kids do go to school though. 

Inspite of the couple working really hard,  making ends meet remained a challenge. The rent of the auto is Rs. 200 per day plus fuel charges, “ driving rickshaw isn’t a very lucrative, the  income from driving rickshaw is just enough to buy some vegetables for the family,” says Babubhai.  Had Babubhai owned the rickshaw he would save substantial amount every month, Babubhai desired to buy a rickshaw but that required lot of money which the family did now have. The couple had managed to save Rs. 20,000 but that wasn’t enough to buy an auto. 

VSSM’s Ilaben knew Babubhai. She knew Babubhai wished to buy a rickshaw , she explained to Babubhai that instead of buying a new vehicle get a second hand rickshaw  and once he has  saved  enough get a brand new one!! Ilaben helped Babubhai in getting Rs. 30,000 loan from Vicharta Samuday Samarthan Manch - VSSM. He added his savings of Rs. 20,000 and bought a second hand rickshaw fro Rs. 50,000. 

VSSM for Income Generation for Nomadic Tribe Babubhai Bajaniyaa
VSSM for Income Generation for Nomadic Tribe Babubhai Bajaniyaa
Babubhai Bajaniyaa Nomadic Tribes still works the same way irons clothes in during the day ash drives auto in the night. Sometimes when he gets a good customer he drives during the day. But he does have to catch up with his sleep which he does during the day by taking breaks from  ironing clothes. He saves Rs. 5000 to Rs. 5500 every month the amount he paid as auto rent earlier. “I want to educate my children well and give them a better future, it seems I will be able to do that now!!” shared Babubhai. 

In the picture … Babubhai with his auto rickshaw and ironing the clothes. 

vssmની મદદથી જૂનામાં રીક્ષા ખરીદી અને પોતાની આર્થિક આવક વધારી 

બાબુભાઈ બજાણિયા તેમની પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરા સાથે અમદાવાદના પાલડી વિસ્તારમાં  રહે. બે દીકરીઓ પરણીને સાસરે ગઈ અને બીજા બાળકો ભણે છે. બાબુભાઈ દિવસે કપડાંને ઈસ્ત્રી કરવાનું કામ કરે અને રાતનાં ભાડેથી રીક્ષા લઈને ચલાવે. તેમની પત્ની ઘરકામ કરવા જાય અને ક્યારેક દીકરીઓને પણ સાથે લઇ જાય. 
બાબુભાઈનો પરિવાર મોટો આખા ઘરનું પૂરું કરવું મુશ્કેલ પડે. રીક્ષાના ભાડા પેટે રૂ.૨૦૦ રોજના આપવા પડે અને રીક્ષામાં ગેસ પણ પોતે ભરાવે આમ મળતર ખુબ ઓછું રહે પણ એકલી ઈસ્ત્રી કરીને ઘર ચલાવવું મુશ્કેલ હતું. બાબુભાઈ કહે છે એમ ‘રીક્ષા ચલાવવામાં મળતર ખાસ નહિ પણ શાકભાજીના પૈસા નીકળી જાય એટલે બસ..’ પોતાની રીક્ષા હોય તો સારી એવી આવક થાય પણ તે ખરીદવા બાબુભાઈ પાસે ખાસ બચત નહોતી. રૂ.૨૦,૦૦૦ની મૂડી ખુબ મહેનત કરી પતી પત્નીએ ભેગી કરી રાખેલી. પણ એટલામાં રીક્ષા આવે નહિ...

vssm કાર્યકર ઇલાબહેન બાબુભાઈના પરિચયમાં ખરા. બાબુભાઈ રીક્ષા ખરીદવા ઈચ્છે છે એ પણ એ જાણે. ઇલાબહેને એમને નવી રીક્ષા ખરીદવાની જગ્યાએ હાલ પુરતી જૂની રીક્ષા લઈ લેવા કહ્યું અને સારી કમાણી થાય તો નવી રીક્ષા ક્યાં નથી લેવાતી એમ વાત કરી સમજાવ્યા. બાબુભાઈના ગળે આ વાત ઉતરી પણ પાસે તો રૂ.૨૦,૦૦૦ જ હતા. જૂની રીક્ષા રૂ.૫૦,૦૦૦માં આવે. ઈલાબહેને બાબુભાઇને રૂ.૩૦,૦૦૦ની લોન vssmમાંથી અપાવી અને બાબુભાઈ રીક્ષા લાવ્યા. બાબુભાઈનો નિત્યક્રમ એજ રહ્યો, દિવસે ઈસ્ત્રી કરે અને રાતના રીક્ષા ચલાવે.. પરિવાર આખો એકબીજાને મદદરૂપ થાય છે.. બાબુભાઈ પોતે ગરીબીમાંથી બહાર નીકળવા ઈચ્છે છે અને એટલે જ આવી કાળી મજૂરી કરે છે એ કહે છે, ‘દિવસે ઇસ્ત્રીના કામની સાથે થોડો આરામ થઇ જાય છે એટલે રાતના રીક્ષા ચલાવું છું હવે ભાડું આપવું પડતું નથી એટલે ભાડાના જ મહિનાના રૂ. ૫,૦૦૦ થી રૂ.૫,૫૦૦ બચે છે. બાકી દિવસ દરમ્યાન પણ કોઈ વરધી મળે જાય તો એ પણ કરી લઉં છું.. બચત પણ કરું છું. મારે બાળકોને ખુબ ભણાવવા છે અને હવે બધું થશે એમ લાગે છે.’

ફોટોમાં બાબુભાઈ પોતાની રીક્ષા સાથે પાછળ તેઓ જ્યાં રહે છે તે અને રીક્ષાની સાથે સાથે તેઓ જે  ઈસ્ત્રીકામ કરે છે એ જોઈ શકાય છે.

Thursday, 4 June 2015

Bhavai Artists Training Workshop at VSSM

Bhavai Artists From North Gujarat and Saurashtra
Bhavai Artists From North Gujarat and Saurashtra for
Training Workshop at VSSM
The inauguration ceremony of a weeklong workshop on training of the Bhavai Artists from Gujarat was  held on 29th May 2015 at VSSM’s office in Ahmedabad. The workshop is being jointly organised by VSSM and Sadvichar Parivar.  The artists will be trained by noted artists Shri. Archan Trivedi. The entire workshop is conducted under the  able guidance  Shri. Madhavbhai Ramanuj, President of VSSM.  The inauguration ceremony saw the presence of all the Trustees of Sadvichar Parivar Trust. Shri. Pravin Laheri shared his insights on this vanishing folk art form while Shri. Jitubhai Panchal emphasised the need to work on rekindling the art of Bhavai and the younger generation learning to perform  Bhavai so as to keep this glorious art form from our past alive in future.

Inauguration of Workshop on Training of Bhavai Artists
Inauguration of Workshop on Training of Bhavai Artists at VSSM
The workshop is being financial supported by Sangeet Natya Academy and Shroff Family Charitable Trust. 

The Bhavai performers from  North Gujarat and Saurashtra are participating in this workshop. Our well wishers and individuals who have always stood with Vicharta Samuday Samarthan Manch -VSSM remained present for the inaugural ceremony, amongst whom were Kalupur Commercial Cooperative Bank’s Shri. Himmatbhai Shah, Pragneshbhai Desai and Kiritbhai Shah.

Some glimpses of the inauguration ceremony.




Workshop on Training of Bhavai Artists at VSSM
Workshop on Training of Bhavai Artists at VSSM
vssm અને સદવિચાર પરિવારના સંયુક્ત ઉપક્રમે સંગીત નાટ્ય અકાદમી અને શ્રોફ ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી વિચરતા સમુદાયના ભવાઈ કલાકારોની ૭ દિવસીય શિબિરનું આયોજન થયું છે. તા.૨૯ મે ૨૦૧૫ના રોજ સાંજે શિબિરનું ઉદઘાટન થયું જેમાં સદવિચાર પરિવારના તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યાં. આ કલાકારોને તાલીમ આપવાનું કામ જાણીતા કલાકાર અર્ચન ત્રિવેદી કરી રહ્યા છે. vssmના પ્રમુખ શ્રી માધવ રામાનુજના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ શિબિરમાં ઉપસ્થિત કલાકારોને vssm અને સદવિચાર પરિવારના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ લહેરીએ પણ ભવાઈ સંદર્ભે કેટલીક ઉપયોગી વાતો કરી તો શ્રી જીતુભાઈ પંચાલ ટ્રસ્ટી શ્રી સદવિચાર પરિવારે પણ ભવાઈ જેવી ઉત્તમ કલાને નવી પેઢી શીખે એ માટે આગામી દિવસોમાં કામ કરવા અંગે વાત કરી.
Workshop on Training of Bhavai Artists at VSSM
Workshop on Training of Bhavai Artists at VSSM
શિબિરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભવાઈ ભજવતા કલાકારો ઉપસ્થિત છે. આ કલાકારોને શુભેચ્છા આપવા અમારા વ્હાલા સ્વજન અને સદાય vssmના કામોની ચિંતા કરતા કાલુપુર બેન્કના શ્રી હિંમતભાઈ શાહ, શ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈ અને કિરીટભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. 
ઉદઘાટન વેળાની તસ્વીરો..

Friday, 29 May 2015

Training Workshop For Bhavai Performers by VSSM

VSSM organising a training workshop to bring  Bhavai to its original form….

Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai
Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai
Bhavai- an ancient and traditional folk theatre form of our culture stands on the threshold of extinction. The creator of Bhavai Shri.  Asaita  wrote  365 plays orVeshas,  one for each day of the year.  In the older days these plays played an integral role in imparting education to the communities. However, the Bhavaiyas or the Bhavai Performers are gradually drifting from the original form of Bhavai by incorporating some modern touches to the form.  

Vicharta Samuday Samarthan Manch - VSSM has been working with the Bhavaiyas for many years now,  striving to  revive this folk theatre to its original glory. As a part of this endeavour we are organising  a 7 days training workshop for the Bhavai performers,  from  29th May until 5th June at the VSSM office in Ahmedabad. We are planning to have a Bhavai show in its original avatar on the last day of the workshop i.e. on the 5th June 2015.  

We invite you all to be part of the opening ceremony on 29th May 2015, 6 PM as well as the Bhavai performance on 5th June 2015. 

In the picture - Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai….


ભવાઈ આપણી પરંપરાગત લોકકલા આજે નામશેષ થવાના આરે ઉભી છે.. ભવાઈ વેશના રચઈતા અસાઈત દ્વારા ૩૬૫ દિવસના ૩૬૫ વેશ લખાયા અને બધા જ વેશ થકી લોકશિક્ષણનું કામ થયું. પરંતુ, ધીમે ધીમે મૂળ વેશથી ભવાયા વિમુખ થયા અને જુદા જુદા નાટક ભજવતાં થયા. 

vssm ભવાયા સમુદાય પોતાની મૂળ પરંપરાપ્રમાણે ભવાઈ કરે તે દિશામાં પ્રયત્નશીલ છે. તા.૨૯ મે ૨૦૧૫ના રોજ ૨૪ ભવાઈ કલાકારો સાથે ૭ દિવસીય શિબિરનું આયોજન vssm કાર્યાલય, સદવિચાર પરિવાર કેમ્પસ, ઇસરોની સામે, અમદાવાદ -૧૫ મુકામે આયોજિત કર્યું છે. તા.૫ જુન ના રોજ સાંજના ભવાઈનો અસલ જુનો વેશ ભજવાય તેનું આયોજન કરીશું.. તા.૨૯ મી સાંજે ૬ વાગે શિબિરના ઉદઘાટન કાર્યક્રમમાં અને ૫ જુને સાંજે અસલ ભવાઈ જોવા સૌને આમંત્રણ... 

ફોટોમાં પરંપરાગત ભવાઈ ભજવતું સુરેન્દ્રનગર જીલ્લાનું મહાકાલી ભવાઈ મંડળ

Tuesday, 19 May 2015

VSSM's Dream To Make Meer Community Self Reliant

Our  dream to make the Meer community self-reliant...

A Meer Communty Male in front of his House with items he makes with livelihood help from VSSM
Imaambhai A Meer Communty Male in front of his House
with items he makes with livelihood help from VSSM
The Meer families of Jantanagar Ahmedabad, extremely  hard working yet unable to break free of the cycle of poverty. These Meer Communities Families earn living by making and selling decorative and enhancements articles  for trucks. When the days  aren’t good and business is hard these families sell the stuff at very low prices often incurring losses. Imaambhai suffered losses doing just that. Completely broke he had no money on hand  to buy raw materials required to make  new articles, he did not know his neighbours well enough to ask their financial help while the other Meer families around him were sailing on the same boat hence asking their help was absolutely out of question. Running out of options  he decided to make trip to Rajasthan and borrow Rs. 5000 from a relative there. 

VSSM’s  Chayaben got to know about this development. Chayaben is a teacher at one of the VSSM Bridge School in the area. She spoke to Imaambhai and convinced him that it was illogical to go all the way to Rajasthan for a mere Rs. 5000, spending Rs. 1000  on travelling that distance. She recommended Imaambhai takes a loan of Rs. 5000 from VSSM which he can gradually pay back. Imaambhai accepted the recommendation and took a loan from VSSM. The money helped him buy raw material to make new set of decorative articles. A new rhythm of selling new articles and buying raw material is in place now, the money keeps rotating, the EMIs are paid regularly with just the last one remaining.  

Chayaben has worked very closely with these Meer Families, she has experienced their pain and cheer hence feels, “these Meers A Nomadic Community need to change their business, making and selling such decorative articles cannot take them further in life, its just enough to sustain them not take them forward.” She spoke her heart to the community,  Imaambhai’s son Farookbhai and Bhurabhai  also from the settlement  understood the intent of Chayaben’s concern. They picked up new trades - we shall write on that in detail in future posts. Its the mutual faith and trust that is working wonders here. To trust them, loan them money when others shy away from them and be part of their progress ….. is how VSSM chooses to work with these nomadic communities, a strategy that is bringing some brilliant results. It is truly an achievement for all associated with Vicharta Samuday Samarthan Manch - VSSM

In the picture - Imaambhai in front of his house, with the items he makes..


મીર પરિવારોને પગભર કરવાનું સ્વપ્ન...

જનતાનગર – અમદાવાદમાં રહેતાં મીર પરિવારો ટ્રક શણગારવાનો સામાન બનાવીને વેચે. મહેનત ખુબ અને મળતર ઝાઝું નહિ.. ક્યારેક સાંજ સુધી ધંધો ના થાય તો ખોટ ખાઈને પણ સાંજનો ચૂલો સળગે એટલો સામાન વેચી દે. આવામાં ઈમામભાઈને ખોટ આવી ગઈ. પાસે પૈસા પણ ખાસ ના રહ્યા કે, જેને લઈને નવો સામાન લાવે.. જ્યાં રહે ત્યાં કોઈ ઓળખે નહિ કે એની પાસેથી પૈસા મળે.. અન્ય મીર પરિવારોની હાલત પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી આમ કોઈ પાસે મદદ પણ કેમ મંગાય? છેવટે રાજસ્થાનમાં એમના સગાવહાલાં રહે છે એમની પાસે રૂ.૫,૦૦૦ વ્યાજવા લેવા જવાનું નક્કી કર્યું.. 

મીર પરિવારોના બાળકોને ભણાવવાનું કામ કરતા છાયા બહેનને ઈમામભાઈની આ સ્થિતિનો ખ્યાલ આવ્યો એમણે ઈમામભાઈને રૂ.૫૦૦૦ લેવા રાજસ્થાન ના જવા સમજાવ્યા.. એમણે કહ્યું, ‘રાજસ્થાન જવાનાં ભાડામાં જ રૂ.૧૦૦0 જતા રહેશે. એના કરતાં vssm તમને રૂ.૫૦૦૦ લોન પેટે આપશે તમે ધીમે ધીમે પરત કરજો..’ અને આપણે રૂ.૫૦૦૦ની લોન ઈમામભાઈને આપી જેમાંથી ટ્રક શણગારવાનું રો મટીરીયલ એ લાવ્યાં. ઘરે બેસીને એમાંથી બધી વસ્તુ બનાવી અને વેચવાનું કરવા માંડ્યા.. પછી તો સામાન લાવે, વસ્તુ બનાવે અને વેચે.. ઘર ચાલી જાય અમે vssmની લોનના હપ્તા પણ ભરાય હવે તો છેલ્લો એક જ હપ્તો બાકી છે..
પણ છાયાબહેન આ બધા મીર પરિવારોની સતત ચિંતા એ કહે છે એમ, ‘રેડીયમના ધંધામાં મળતર ખાસ નથી રોજે રોજના રોટલા નીકળે બાકી આગળ ના વધાય. મીર પરિવારોએ ધંધા બદલવા પડે..’ અને છાયાબહેન એમની આ હકીકતોની ગણતરી કરીને એમને સમજાવવામાં લાગી ગયાં. વસાહતમાંથી ઈમામભાઈના દીકરા ફારુકભાઈએ અને વસાહતમાં રહેતાં ભુરાભાઈએ છાયાબહેનની વાતમાં શ્રધ્ધા દાખવી નવા વ્યવસાય કર્યા સારું કમાય છે એમની વાત આગળ જણાવીશું.

Thursday, 14 May 2015

Livelihood Generation Training for Nomadic Communities Women by VSSM

202 women receive training on tailoring….

Livelihood Generation Tailoring Training for Nomadic Communities Women by VSSM
Livelihood Generation Tailoring Training for
Nomadic Communities Women by VSSM
A tailoring training program for  around 202 women from various Nomadic Communities staying in Ahmedabad was recently conducted in partnership with ATIRA and Sadvichar Trust. 23 women from this group have applied for loan to purchase  industrial tailoring machines. We approached and requested The Kalupur Commercial Cooperative Bank to support them, to which the bank has loaned Rs. 15,000 each. The recipients  are trying to find  work and their efforts are gradually bearing some positive results. We are hopeful that as we facilitate their efforts,  soon all of them will find work to support their families. 

This blog is proving to be a good medium for us to share with you the  joys our combined efforts are bringign We shall keep you posted on the progress they make as

A Nomadic Community woman Tejaben after Livelihood Generation Training by VSSM
A Nomadic Community woman Tejaben after
Livelihood Generation Training by VSSM
In the picture Tejaben who has taken a loan from Kalupur Bank and the training,  that took place at various places in Ahmedabad, in progress…



વિચરતી જાતિની ૨૦૨ બહેનોને સિલાઈ ની તાલીમ આપવામાં આવી...

અમદાવામાં રહેતી વિચરતા સમુદાયોની ૨૦૨ બહેનોને vssmની મદદથી અટીરા અને સદવિચાર પરિવારના સહયોગથી  વિવિધ સ્થળોએ સીવણકામની તાલીમ આપવામાં આવી. આ બહેનોમાંથી ૨૩ બહેનોએ પોતાના ઘરે ઇન્ડસ્ટ્રીયલ ટેલરીંગ મશીન ખરીદવા માટે લોનની માંગણી કરી. આ બધી બહેનોને કાલુપુર બેંક દ્વારા લોન મળે એ માટે એ માટે બેંકમાં વિનંતી કરી અને એમને રૂ.૧૫,૦૦૦ ની લોન બેંક દ્વારા આપવામાં આવી. આ બહેનો કામ મળે એ માટેના પ્રયત્ન કરી રહી છે. ઘણી બહેનોનું કામ ગોઠવાઈ ગયું છે તો કેટલાક પ્રયત્ન કરી રહ્યા છે. 
આ બધું કામ પોતાની મેળે ગોઠવાતું જાય છે અમે નિમિત બનતા જઇયે છીએ.. અને બ્લોગના આ માધ્યમથી નિમિતનો આનંદ આપની સાથે વહેચવાનો અમને અવસર મળે છે... 
ફોટોમાં અમદાવાદના વિવિધ સ્થળે થયેલી તાલીમમાં સિલાઈ કામ શીખી રહેલી બહેનો અને કાલુપુર બેંકની મદદથી લોન લીધેલા તેજા બહેન

Wednesday, 6 May 2015

Livelihood Generation For Nomadic Gadaliyaa Community Women by VSSM Initiative

A Nomadic Tribes - Gadaliyaa Community Family
A Nomadic Tribes - Gadaliyaa Community Family
Some fundamental guidance, very simle changes in lifestyles and some amazing results in lives of these nomadic Gadaliyaa women……..

To understand this case-story a bit of a history first..……..


After suffering a bitter defeat from Akbar, Maha Rana Pratap left Chittodgadh and so did his loyal men.  Amongst them were the Gadaliya.  The Gadaliya were part of the royal army.  Mana Rana Pratap had vowed to return to Chittodgadh only after he won it back from the Moguls. But this was never to happen as he died soon after and the Gadaliya who had left their homeland never returned back to Marwar. The Gadaliya moved on carts or gada from which their name derives- with the army and were responsible of carrying the required logistics material for sustaining the armies during the war times.  They would set up tents and make or repair the weapons on site. In fact, they were the in-house ironsmiths. After the death of their beloved king the Gadaliyaa Community scattered away. Rajasthan has huge population of this community, where they are known as Gadariya or Gadi Luhar.  They got engaged in making household tools,  agricultural tools, kitchen tools etc.  which required them to travel from village to village.
A Nomadic Gadaliyaa Community Women
A Nomadic Gadaliyaa Community Women 
During the monsoon months the community would have their settlement with the Vanzaras and hence they have picked up lot of their trade skills. These days they have their hands in lot of different trades. Buying and selling bullocks is a trade these community was skilled at. . But with the usage of tractors increasing in agriculture the demand for bullocks has decreased considerably. Along with trading bullocks they hand craft iron tools used for farming and some house-hold usage, they are skilled ironsmiths so many families had continued with this ancestral occupation. The Gadaliyaa in Gujarat are  engaged with either of the trades these days. 
Many Gadaliya families reside in Rajkot’s Ghanteshawar. Their occupation- making and selling tools made from iron. Very hard working but still could barely manage to make ends meet. Sort of daily wage earners who made just enough to buy daily ration. VSSM has been instrument in bringing Voter ID cards to these families just before the previous Loksabha elections. Infact 3,500 nomadic  individuals were allotted Voter ID cards because of VSSM’s efforts partnered with the unflinching support of Gujarat’s Chief Electoral Officer Ms. Anita Karwal. 
Gadaliyaa Community Woman with Livelihood Generation by VSSM
Gadaliyaa Community Woman with Livelihood Generation by VSSM
Kanubhai, VSSM’s team member of rat region,  remains in constant touch with these families. He could very well sense the everyday challenges of these families. With limited money on hand they couldn’t buy enough raw material (tin sheets), the suppliers always gave them retail rather than wholesale rates. Tongs, serrated ladles, flat ladles, stoves, sieve are some of the products made by the Gadaliyaa.  They roam village to village to sell these kitchen tools,at times the merchants would buy these products from them but at a wholesale rate. Shrewd businessmen!!  can’t sell at wholesale price but can always buy at wholesale rate. Whenever the Gadaliyaa asked for good price,  they argued, buy the raw material in bulk (substantial amount) and we shall offer you wholesale price. Buying  material in  bulk requires  decent amount of investment which these families  never have. They do not  earn enough to be able to save for the rainy day. 

A Nomadic Gadaliyaa Man with
Income Generation  by VSSM
VSSM decided to extend support to 3 Gadaliyaa Women A Nomadic Tribes of Gujarat Panetarben, Ehsanben and Sevakramben. All these three women are widows. A loan of Rs. 10,000 each was given to these women. VSSM’s Kanubhai helped them sort out their schedule and finances, managing this amount wasn’t easy for them. First he asked them to busy groceries of Rs. 2,000/- each. Food in the house meant no need to go out to sell the stuff on daily basis (which they did earlier for the need to buy food).  With the rest of the  money they bought tin sheets at wholesale rate and all the other stuff needed to begin manufacturing. It was decided to not go and sell stuff until  substantial numbers of items have  been made.  If the  merchants wanted  stuff at a wholesale rate  prices for the same were fixed as well.  

Right now these women are busy making products that will fetch them good rates. The y are hopeful  things will workout well. As Ehsanben says, “Kanubhai has guided us a lot, earlier we would go out to sell products everyday, our spending on commute was also very high, now we save that money, we have also revised our pricing, we are saved from the tedious job of everyday selling. No more are we required to worry about how to keep the kitchen firs bring as there is enough food in the house. Once we start selling he money will begin to roll in. We will bring some more raw material from it, pay the instalment, bring groceries and begin to save for future.  Nobody had ever taught how to manage and plan in such a manner.” 

Normally, we write about individuals  who have been supported by VSSM once some radical change is observed  in their lives. But we felt the need to share this story with you as it reflects how simple and basic guidance can bring  such major change in the lives of people living on the margins, people who are constantly pushed to the end just because they haven’t picked up the tricks of the trade. But its their inherent wisdom accompanied by the astute guidance of VSSM team that is bringing a gradual change in their lives………..

કેટલી નાની વાત પણ એમની સાથે બેસી એમને સમજાવીએ તો કેટલા અદભૂત પરિણામો મળી શકે

ગાડલિયા સમુદાયનો મૂળ વ્યવસાય લોખંડના ઓજારો બનાવવાનો અને ગામે ગામ ફરીને વેચવાનો. ખેતીમાં જરૂરી બળદો વેચવાનું કામ પણ આ પરિવારો કરતાં. બળદો ખરીદીને એને એવા સરસ શણગારી - તૈયાર કરીને વેચવાનાં. બળદ વેચવાની સાથે સાથે તેઓ ખેતી કામમાં વપરાતા ઓજારો વેચવાનું કામ પણ કરતાં. પણ ખેતી માટે હવે ટ્રેક્ટરનો ઉપયોગ ખુબ થવા લાગ્યો છે. એટલે બળદથી ખેતી કરવાનું પ્રમાણ ખુબ ઘટી ગયું છે. તેઓ ખેતીના ઓજારો બનાવવાનું કરતાં આજે કેટલાંક એ કામ પણ કરે છે પણ ઘણા પરિવારો હવે ઘર વપરાશમાં વપરાતી લોખંડની વસ્તુ બનાવીને વેચવાનું કરે છે. મહારાણા પ્રતાપના વફાદાર એવાં ગાડલિયા મૂળ રાજસ્થાનના વતની પણ રાણાપ્રતાપે અકબર સામેની લડાઈ વખતે ચિતોડગઢ છોડ્યું એમની સાથે એમની વફાદાર પ્રજાએ પણ ચિતોડગઢ છોડ્યું. ગાડલિયા એમાંના એક હતાં. રાજસ્થાનમાં એમની ઘણી મોટી વસ્તી છે ત્યાં ગાડરિયા કે ગાડી લુહાર તરીકે તેઓ ઓળખાય છે. ગુજરાતમાં પણ એમની વસ્તી ઘણી છે.
રાજકોટના ઘંટેશ્વરમાં... ગાડલિયા પરિવારો વર્ષોથી રહે. આ પરિવારો  પોતાનો પરંપરાગત વ્યવસાય લોખંડમાંથી ઘર વપરાશના સાધનો બનાવીને વેચવાનું કરે. આ પરિવારો ખુબ મહેનતુ. ખુબ કામ કરે છતાં બે ટંકનો રોટલો નિયમિત ભેગો કરવો મુશ્કેલ થઇ જાય. રોજે રોજ પાંચ રૂપિયાનું તેલ. બે રૂપિયાનું મરચું એમ છૂટક સામાન લાવીને રાંધવાનું. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારો સાથે કામ કરે. ગત લોકસભાની ચુંટણી વખતે રાજકોટમાં રહેતાં વિચરતાં પરિવારોના આશરે ૩,૫૦૦ લોકોને vssmના કારણે અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અનિતાબહેન કરવાલની મદદથી મતદારકાર્ડ મળ્યાં. જેમાં આ ગાડલિયા પરિવારને પણ કાર્ડ મળ્યા હતાં. હવે એમનાં રોજબરોજના પ્રશ્નો સમજવાનું પણ થતું. રૂ.૨૦૦૦ કે ૩૦૦૦ની સગવડ થાય એટલે આ પરિવારો લોખંડનું પતરું લઇ આવે અને એમાંથી ચુલા, ઝારા, ચારણી, તાવેતા, ચીપિયા વગેરે જેવા સાધનો બનાવીને ગામડાંઓમાં ફરીને વેચે કેટલીક વખત તો દુકાનદારો એમની પાસેથી હોલસેલમાં સામાન ખરીદી લે. પણ સરવાળે ખુબ મોંઘુ પડતું. એ જે સામાન લાવતા એ એમને હોલસેલમાં ના મળે અને વેચવાનું હોલસેલમાં? પણ વેપારી કહે, ‘તમે એક સામટો સામાન ખરીદો તો હોલસેલના ભાવે આપું. હવે એકસામટો સામાન ખરીદવા ફદિયા તો જોઈએ ને? વળી બચત તો જીંદગીમાં ક્યારેય કરેલી નહિ. એટલે પાસે મૂડી હોય એમ પણ ના બને. આપણે ત્રણ વ્યક્તિને (૧) પાનેતરબહેન (૨) અહેસાનબહેન અને (૩)સેવકરામને લોન આપવાનું નક્કી કર્યું. બન્ને બહેનો વિધવા છે. પ્રત્યેકને રૂ.૧૦,૦૦૦ની લોન આપી. અલગ અલગ ગણીએ તો રૂ.૧૦,૦૦૦ અને ભેગા ગણીએ તો રૂ.૩૦,૦૦૦ થયાં. એમાંથી કનુભાઈએ એમને આયોજન શીખવ્યું. પ્રત્યેક પરિવારના ઘરમાં રૂ.૨,૦૦૦ નું કરિયાણું ભરાવ્યું. જેથી સામાન બનાવીને રોજે રોજ વેચવા જવાની ઝંઝટ ના રહે અને શાંતિથી કામ થઇ શકે. એ પછી ૨૪,૦૦૦ માંથી લોખંડના પતરાં ફોટોમાં દેખાય છે એ અને જરૂરી હાથા, રીવેટ વગેરે પરચુરણ સામાન હોલસેલના ભાવે ખરીદાવ્યો અને કામ શરુ કરાવ્યું. જ્યાં સુધી ૧૦ થી ૧૫ની સંખ્યામાં સામાન તૈયાર ના થાય ત્યાં સુધી વેચવા નહિ જવાનું અને વેપારીને જથ્થાબંધમાં જોઈએ તો એનો પણ ભાવ- તાલ કરવાનું નક્કી કર્યું. હાલમાં બધા જ પરિવારો સામાન બનાવવામાં વ્યસ્ત છે.. સારું પરિણામ મળશે એવી આ પરિવારોને આશા છે. અહેસાન બહેન સાથે જયારે વાત થઇ ત્યારે એમણે કહ્યું, ‘અમે રોજ માલ બનાવીને વેચવા જતા એની જગ્યાએ ૮ દિવસથી સામાન બનાવી રહ્યા છીએ. ઘરમાં ખાવા છે એટલે રોજ વેચવા જવાની માથાકૂટ નથી. એટલે રોજે રોજનું ભાડું પણ બચે છે. બસ બે દિવસમાં બધો સામાન થઇ જશે પછી વેપારી પાસે જ જઈશ. સારો ભાવ આપશે તો એને જ વેચી દઈશ અને એમાંથી બીજો સામાન અને કારીયાણું ભરાવી દઈશ. લોનના હપ્તાની રકમ એક બાજુ રાખીશ. થોડી બચત પણ કરવી છે.. અમને કોઈએ વ્યવહાર શીખવાડ્યો જ નહોતો એટલે આ બધું સમજાતું નહોતું પણ કનુભાઈએ સારું સમજાવ્યું..’
આમ તો vssm દ્વારા જેમને લોન આપવામાં આપવામાં આવે છે એમનો વ્યવસાય બરાબર ચાલે પછી જ અમે એમનાં વિષે લખીએ જેથી અમને પણ એમની રોજિંદી જીન્દગીમાં આવેલા બદલાવ વિષે ખ્યાલ આવે પણ ફોટોમાં દેખાય છે એ વ્યક્તિઓ વિષે શરૂઆતથી જ લખવાનું જરૂરી લાગ્યું.. કેટલી નાની વાત છે પણ એમની સાથે બેસી એમને સમજાવીએ તો કેટલા અદભૂત પરિણામો મળી શકાતા હોય છે એનો આ દાખલો છે..
ફોટોમાં સામાન બનાવી રહેલાં ત્રણે પરિવાર..અને એ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે

Monday, 27 April 2015

VSSM Support Nomadic Communities for Livelihood - Hameerbhai Vansfoda's story

Hameerbhai Vansfoda from Nomadic Communities with his goods
Hameerbhai Vansfoda from Nomadic Communities with his goods 
VSSM supports Hameerbhai Vansfoda’s new venture of selling household plasticware….

Hameerbhai Vansfoda  a skilled bamboo basketmaker cannot afford to make baskets anymore- reason the increasing cost of bamboo is making it difficult for him to source bamboo and keep the prices of his products reasonable….hence he is left with no choice  but to search for alternate means of livelihood. Hameerbhai is a resident of Ludra village of Diyodar block. He stays on the government wasteland. 

Like Hameerbhai,  thousands of nomadic families are being forced to reinvent their livelihood options. The changing markets, production techniques, new forest  and  wildlife laws, modern means of entertainment etc have had negative impact on the traditional occupations of these nomadic communities who were so dependent on their inherent skills that they never felt the need to pick any other skills.  In the present times this need to search new vocations is more pressing than ever. 

Hameerbhai was familiar with the activities of VSSM, the organisation that facilitated the process of his Antoday ration card and ensured that his name entered the BPL list. Hameerbhai desired to start his own business of selling plastic buckets, tubs, baskets, stools and other household plasticware. But the venture required capital investment that he did not have. He proposed for a loan to VSSM. A loan of Rs. 30,000 was granted by VSSM and Rs. 15,000 Hameerbhai borrowed from his friend. With the money he bought enough plasticware to be sold by the husband-wife duo. They began with selling the good around Diyodar and later expanded their area to Himmatnagar and Vijapur. The sells are brisk and profit is good compare to the bamboo products.  The couple is really working hard to change its fate. Their elder son and his wife look after the rest of their children who are studying in Ludra village. 

The Vicharta Samudaay Samarthan Manch – VSSM team has also eased out Hameerbhai's tension of paying instalments. Earlier Hameerbhai had to come all the way to Diyodar to pay his instalment but Naranbhai worked out an option that he either directly deposits the amount in VSSM account which he refused as it wasn’t a comfortable option for him or every month  he gives the amount to VSSM’s Vijapur team member Tohid, the option that has worked out fine.  

વાંસ મોંઘો થતાં સુડલા ટોપલા બનાવતા હમીરભાઈ હવે પ્લાસ્ટીકના તબકડા, ડોલ લાવીને વેચવાનો નવો વ્યવસાય શરુ કર્યો..

ગુજરાતમાં વિચરતી જાતિની યાદીમાં સરકારે ૨૮ જાતિઓનો સમાવેશ કર્યો છે. આ દરેક જાતિઓના પરંપરાગત વ્યવસાય જુદા જુદા.. જેમ કે કાંગસિયા માથું ઓળવાની કાંસકી બનાવીને વેચે, ઘંટિયા ઘંટી ટાંકવાનું અને વેચવાનું કરે, ઓડ માટીના ઘર બનાવવાનું કામ કરે, વાંસફોડા વાંસમાંથી સુડલા-ટોપલા બનાવે. નટ અંગ કસરતના ખેલ કરે.. દરેકે દરેકે જાતિઓની આવી અલગ અલગ વિશેષતા અને એના આધારે તેઓ નભે. પણ બદલાતી સમાજ વ્યવસ્થામાં આ વ્યવસાયો પડી ભાંગ્યા છે. આવામાં નવા વ્યવસાય તરફ એમને વાળવા અત્યંત આવશ્યક છે. નવા વ્યવસાયોની તાલીમની સાથે સાથે જરૂરિયાત પ્રમાણે વગર વ્યાજની લોન નવા વ્યવસાય માટે આ પરિવારોને મળે એ દીશામાં vssm પ્રયત્નશીલ છે. જે અંતર્ગત દિયોદર તાલુકાના લુદ્રાગામમાં રહેતાં હમીરભાઈ વાંસફોડાવાદીને લોન આપવામાં આવી.

હમીરભાઈ લુદ્રાગામની સરકારી પડતર જગ્યામાં રહે. પરંપરાગત વ્યવસાય વાંસમાંથી સુડલા અને ટોપલા બનાવવાનો કરે પણ એમાં ખાસ મળતર મળે નહિ. વાંસ મોંઘો થઇ રહ્યો છે.. પણ બીજો વ્યવસાય કરવા પૈસા નહિ. એટલે ના છૂટકે જે મળે એનાથી સંતોષ મેળવીને આ વ્યવસાય કર્યા કરે. 

દિયોદર તાલુકામાં વિચરતા પરીવારો સાથે આપણે જે કામ કરીએ છીએ એનાથી હમીરભાઈ પરિચિત. એમનું પોતાનું અંત્યોદય રેશનકાર્ડ અને એમનું BPL યાદીમાં નામ આવે એ માટે આપણે જ પ્રયત્ન કરેલો અને એ સફળ પણ રહ્યો. આપણે કેટલાક પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે લોન આપેલી એ
હમીરભાઈ જાણે. પોતાને પ્લાસ્ટીકના તબકડા, બેસવા માટેના પાટલા, ડોલ, ટબ વગેરે વેચવાનો વ્યવસાય કરવાનું મન. પણ પાસે બચત નહિ એટલે કરી શકે નહિ. આ અંગે vssm પાસેથી લોનની માંગણી કરી. રૂ.૩૦,૦૦૦ આપણે આપ્યા અને બીજા રૂ.૧૫,૦૦૦ એમણે એમનાં મિત્ર પાસેથી લીધા અને ફોટોમાં દેખાય છે એ સામાન લાવ્યા અને વેચવા માટે પતિ –પત્ની બન્ને દિયોદર આસપાસમાં ફરવા માંડ્યા. ધંધો સારો ચાલવા માંડ્યો.. વધારે સામાન ભેગો કરી હિંમતનગર અને વિજાપુર તરફ નીકળી ગયા. હાલમાં પણ એ વિજાપુર આસપાસના વિસ્તારમાં જ ધંધા અર્થે વિચરણ કરે છે. એમનો વ્યવસાય પણ સારો ચાલે છે. વાંસ કામમાં મળતર ખુબ જ ઓછું હતું પણ નવા વ્યવસાયમાં સારું મળે છે જેનો એમને સંતોષ છે. 
હમીરભાઈ સતત વિચરતા રહે આવામાં vssmની લોનની માસીક હપ્તાની રકમ ચુકવવાની થઈ એટલે છેક દિયોદર પરત ગયા અને  રૂ.૨૦૦૦ હપ્તા પેટે આપ્યા. ધંધા વિષે વધારે પૂછતાં નારણને ખ્યાલ આવ્યો. કે હમીરભાઈ ફક્ત હપ્તો આપવા છેક વિજાપુરથી દિયોદર આવ્યા છે. એણે હમીરભાઈને કહ્યું, લોનની રકમ આપવા તમારે છેક અહિયાં આવવું એના કરતા તમે vssmના બેંકના ખાતામાં જમા કરાવી દો તો? વિગતો હું આપું. પણ હમીરભાઈએ ના પાડી , ‘એ મને ના ફાવે’ તે પછી vssmના વિજાપુરના કાર્યકર તોહીદ સાથે નારણે એમની વાત કરાવી અને હવેથી હપ્તાની રકમ તોહીદભાઈને આપવાનું ગોઠવી આપ્યું.. પતિ-પત્ની બન્ને ખુબ મહેનત કરે છે બાળકો લુદ્રાગામમાં જ રહીને ભણે છે મોટો દીકરો અને એની પત્ની ઘરનો કારભાર સંભાળે છે.. 
ફોટોમાં નવા વ્યવસાય સાથે હમીરભાઈ અને એમના ભાઈ જેઓ વાંસ પર કામ કરે છે.     

Friday, 24 April 2015

Livelihood Generation Opportunities for Bajaniya - Nomadic Family by VSSM

Desired livelihood means altered  lives for good….

A VSSM Initiative in the direction of making selfreliant the Nomadic families
If Bachubhai Bajaniya had his way all he would do is  immerse himself in a business of selling cosmetics and imitation jewellery. But with severe lack of funds that was a distant dream. Instead he had earn his living by working as a manual labourer. But whenever he had the opportunity,  meaning  enough money, he would buy some stuff from the town of Patdi and  sell it in his village Vanod and its neighbouring villages. Babubhai’s wife Ragiben too has knack and skill to do business but its difficult of both of them to be in the same job since one was required to earn the daily income. 

Vicharta Samudaay Samarthan Manch - VSSM decided to support them with a loan of Rs 10,000. The amount was their revolving fund. With this money Bachubhai brought products and material from wholesale market. It gave them the power to negotiate with the wholesale merchants. Earlier Bachubhai with very limited savings Bachubhai was required to buy goods at retail rate hence making more profit wasn’t possible for him. These days the husband-wife duo sets out in different villages and does brisk sales. The profit is good  and since they  now buy in regular basis the merchants know them and gives them good price. 

With the double income they now can manage to save some amount.  Ragiben’s income is deposited in bank which is later used to buy goods and material while Bachubhai income is used to run the household. Now the couple does not need to go and work as manual labour. As Bachubhai says, “ I can understand that if one has no other relevant skills working as manual labour is the only option left, but I have skills to do business and am sure those skills would eventually  make me successful but it is very frustrating when one has to work as a labourer just because he/she has not capital required to do some business, working as a daily wage earner it isn’t possible to save even Rs. 5,000.”

Rs. 10,000 may seem a small amount but for individuals like Bachubhai Bajaniya a Nomadic Tribes it leaves a profound impact and helps drastically change their lives for better. 

Bachubhai now dreams of education his youngest son all the way and marry him at a later age deciding not to repeat the mistakes he made with his elder two sons……...  

વિચરતા પરિવારોને પગભર કરવાની દીશામાં vssmની પહેલ...
બચુભાઈ બજાણિયા સુરેન્દ્રનગર જીલ્લાના દસાડાતાલુકાના વણોદગામમાં રહે. શૃંગાર પ્રસાધનો વેચવાનું એમને સૌથી વધુ ફાવે અને ગમે. પણ મૂડી રોકાણ કરી શકે એવી આર્થિક ક્ષમતા નહિ. એટલે મજૂરી કરે અને રૂ. ૧૦૦0 કે રૂ.૨૦0૦ ભેગા થાય એટલે પાટડી જઈને સામાન ખરીદી લાવે અને વેચે. આમ તો બચુભાઈના પત્ની રાગીબહેનને પણ આ બધું ફાવે પણ બંને જણ ધંધો કરી શકે એવું પૈસાની મુશ્કેલીના કારણે શક્ય ના બને. 

આ પરિવારને vssmમાંથી રૂપિયા ૧૦,૦૦૦ની લોન આપી. જેમાંથી તેઓ એક સામટો સામાન લાવ્યા અને ગામડામાં ફેરી કરીને વેચવા માંડ્યા. પતિ-પત્ની બન્ને જુદા જુદા ગામોમાં જઈને વેપાર કરે. રાગીબહેનની આવક બેંકમાં જમા કરે અને બચુભાઈની આવકમાંથી ઘર ચાલે. સામાન ખરીદવાની જરૂર પડે એટલે રાગીબેનની બચતમાંથી સામાન ખરીદાય.. હવે મજૂરી કરવા જવું નથી પડતું. 

આમ તો રૂ.૧૦,૦૦૦ ખુબ નાની રકમ કહેવાય પણ નાના નાના વ્યવસાય કરવાવાળા વિચરતા પરિવારો માટે તો આ રકમ પહાડ જેવડી મોટી છે. બચુભાઈ કહે છે એમ, ‘કંઈ આવડત ના હોય તો ઘર ચલાવવા મજૂરી કરવી પડે એ તો સમજાય અને એ કરવું પણ પડે પણ મારી તો આવડત છે પૈસા હોય તો હું ખુબ સારો ધંધો કરી શકું પણ મૂડી ના હોય અને વળી પાછું મન પણ સામટી મજૂરી કરીને પૈસા ભેગા કરવા તૈયાર નહિ. એટલે ૫૦૦ -૧૦૦૦ ભેગા થાય એટલે પાટડી ઉપડી જાઉં અને જે સામાન આવે એ લઇ આવું અને વેચું. પણ આટલા પૈસામાં મને કંઈ હોલસેલના ભાવે વેપારી સામાન ના આપે. વળી નિયમિત લેતો હોવું તો જુદી વાત હતી પણ એમ પણ નહોતું. પણ હવે સંસ્થાના કારણે બધું ગોઠવાઈ રહ્યું છે.’ બચુભાઈના બે મોટા દીકરા પરણીને અલગ રહે છે અને છૂટક મજૂરી કરે છે. જયારે નાનો દીકરો ધો.૧૦માં અભ્યાસ કરે છે જેને ખુબ ભણાવવાની બચુભાઈની ઈચ્છા છે. આમ તો બજાણીયા સમાજમાં બાળલગ્નનું પ્રમાણ પણ છે પણ અભ્યાસ કરી રહેલા દીકરાના નાની ઉંમરમાં લગ્ન નહિ કરવાનો પણ એમણે નિર્ધાર કર્યો છે..
ફોટોમાં સામાન સાથે બચુભાઈ અને રાગીબહેન...

Tuesday, 14 April 2015

Livelihood Generation for Nomadic Tribes of Gujarat by VSSM

Livelihood for NT
Livelihood Generation for Nomadic Tribes by VSSM
A year and half back Vershibhai Raval of Deesa developed some cardiac complications.The doctors at Lions Hospital where he was hospitalised  advised a Bypass surgery. The financial condition of Vershibhai poor thus affording a bypass surgery was out of question. The expected cost of the surgery was almost 1.5 lacs. VSSM was approached by a community leader for a loan to cover the cost of Vershibhai’s surgery. The community contributed Rs. 50,000 while VSSM lent Rs. 1 lac. Vershibhai’s two sons guaranteed that they will pay back the loan. The surgery was successful and Vershibbhai was on path of recovery. The family repaid the entire loan as well. 

All was not all as soon Vershibhai suffered from post operative depression. The restrictions on activities and medication took its toll of his mental wellbeing. He would remain irritated and aggressive all the time. Middle aged Vershibhai had a life ahead of him and such behaviour concerned the family. He  was advised to begin working. Vershibhai earned his living  as an auto rickshaw driver before his illness so he requested VSSM to loan him money to buy a rickshaw. VSSM lent him Rs. 30,000 and rest 1 lac he sourced from a finance company from which he bought a second hand auto rickshaw. 

The rickshaw has made Vershibhai busy and his family is relieved. ‘Our medical expenses have drastically reduced. We ask him not to overexert  and take a break in the afternoon but he just does not want to. He earns well and repays the loan from his earning. The family is quite happy with his health now,” said Mahesh, Vershibhai’s son. 

‘We were all fed up with his continuous nagging and irritability, but his getting back to work has relieved us all,” confessed Vershibhai’s wife Jebarben….

In the picture Vershibhai with his auto….. 

‘જ્યારથી રીક્ષા આવી અને એ કામે ચડીં ગયા ત્યારથી નિરાંત થઇ ગઈ છે.’ – જેબરબેન

બનાસકાંઠાના ડીસામાં રહેતાં વેરશીભાઈ રાવળને દોઢ વર્ષ પહેલાં હ્રદયની બીમારી થઇ. મહેસાણા લાયન્સ હોસ્પીટલમાં દાખલ કર્યા. ડોકટરે બાયપાસ કરવી પડશે એમ કહ્યું. આર્થિક હાલત ખુબ ખરાબ આમાં બાયપાસ માટે ૧.૫૦ લાખનો ખર્ચ ક્યાંથી કરવો એ પ્રશ્ન. રાવળ સમાજના આગેવાનોએ vssmમાં વાત કરી અને લોન આપવા વિનંતી કરી. સાથે સાથે રૂ.૫૦,૦૦૦ ની મદદ સમાજ તરીકે એમણે પણ વેરશીભાઈના પરિવારને કરી. આપણે ઓપરેશન માટે રૂ.૧ લાખની લોન આપી. પરિવારમાં બે દીકરાએ ખાત્રી આપી કે લોન અમે ભરીશું અને વેરશીભાઈ બેઠા થઇ ગયાં એમણે લીધેલી લોન તો એમણે ભરી પણ દીધી. 

પણ બીમારી પછી વેરશીભાઈ આખો દિવસ ઘરે રહે. દવાઓ પાછળ ઘણો ખર્ચ થાય અને સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો. વેરશીભાઈની ઉંમર આમ નાની. એમની આ બધી તકલીફ જાણ્યા પછી એમને કામ કરવા કહ્યું. એ પહેલા રીક્ષા ચલાવતાં. એમણે રીક્ષા ખરીદવા લોન આપવા કહ્યું. આપણે રૂ.૩૦,૦૦૦ લોન પેટે આપ્યાં અને બાકીની રકમ માટે એમણે ફાઈનાન્સમાંથી લોન લીધી અને રૂ. ૧,૧૦,૦૦૦ની જૂનામાંથી રીક્ષા ખરીદી. રીક્ષા ખરીદે પાંચ મહિનાનો સમય થયો.. એમનો દીકરો મહેશ કહે છે, ‘પહેલાં દર મહીને દવાનો જે ખર્ચ થતો એ નગણ્ય કહી શકાય એટલો થઇ ગયો છે. હું એમને સવારે અને સાંજે રીક્ષા લઈને કામ કરવાં કહ્યું છું બપોરે ના પાડું છું છતાં સારો એવો ધંધો કરી લે છે. vssm અને ફાઈનાન્સની લોન એ પોતે જ ભરે છે. અમારો પરિવાર પણ હવે ખુશ છે.’

વેરશીભાઈના પત્ની જેબરબહેન કહે છે, ‘એમની બીમારી પછી એમનાં સ્વભાવના કારણે અમે બધા ખુબ કંટાળ્યા હતાં પણ જ્યારથી રીક્ષા આવી અને એ કામે ચડીં ગયા ત્યારથી નિરાંત થઇ ગઈ છે.’
ફોટોમાં વેરશીભાઈ પોતાની રીક્ષા સાથે...