Showing posts with label interest free loan. Show all posts
Showing posts with label interest free loan. Show all posts

Wednesday, 21 January 2026

Mukeshbhai’s Road to Self-Reliance through VSSM’s Livelihood Initiative

Mittal Patel meets Mukeshbhai in Aliyavada

When hard work and hohttps://www.vssmindia.org/livelihoodnesty come together, success follows.

Mukeshbhai from Aliyavada in Jamnagar proved the saying “God helps those who help themselves” true.

Mukeshbhai used to work as a scrap collector. He wanted to collect more scrap, but he did not have the capital. Through the joint initiative of VSSM and KRSF, he received a loan of ₹20,000. This small amount became a great support for his self-confidence.

It was like the famous lines of poet Narmad:

“Once you take a step forward, do not step back;

Once you take the leap, do not be afraid.”

Stability came into his scrap business. He earned, saved some money, and then developed the desire to start a dry spices business. He took another loan from us and traveled from village to village in a rented rickshaw, worked tirelessly, expanded his business, and saved more money.

To save on rental expenses, he dreamed of owning his own vehicle. Once again, he took a loan, added his life’s savings, and Mukeshbhai became the owner of his own vehicle.

Mukeshbhai repaid all the loans on time and with complete honesty. When a person’s intentions are pure, nature also supports them. With that support, he moved ahead.

We had not imagined such progress in Mukeshbhai’s life. When we went to Aliyavada to see how far the human rights work for all these families had reached, after the meeting Mukeshbhai said, “Sister, I want to show you something,” and he showed us his vehicle, saying that he had reached this point because of the support of the organization.

Seeing and hearing all this made us very happy. We wish Mukeshbhai great success and continued progress.

જ્યારે મહેનત અને પ્રમાણિકતા ભેગા થાય ત્યારે સફળતા મળે

"હિંમતે મર્દા તો મદદે ખુદા" આ કહેવતને જામનગરના અલિયાવાડાના મુકેશભાઈએ સાર્થક કરી બતાવી.

મુકેશભાઈ ભંગાર ભેગો કરવાનું કામ કરતા. ઈચ્છા વધુ ભંગાર ભેગો કરવાની હતી પણ પાસે મૂડી નહોતી. VSSM અને KRSF ની સંયુક્ત પહેલ દ્વારા તેમને ₹20,000 ની લોન મળી. આ નાનકડી રકમ તેમના આત્મવિશ્વાસ માટે મોટું ટેકણ સાબિત થઈ.

કવિ નર્મદની પેલી પંક્તિઓ જેવું થયું, "ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું; ઝંપલાવ્યું તો હવે ના ડરવું, ના ડરવું.

ભંગારના ધંધામાં સ્થિરતા આવી. કમાયા, બચત પણ થઈ હવે સૂકા મસાલાનો વેપાર કરવાની ભાવના થઈ. અમારી પાસેથી બીજી લોન લીધી ને ભાડાની રિક્ષામાં ગામડે-ગામડે ભમ્યા, પરસેવો પાડ્યો, વેપાર વધ્યો ને બચત પણ કરી.

ભાડાના ખર્ચને બચાવવા પોતાનું વાહન લેવાનું સ્વપ્ન જોયું. ફરી લોન લીધી, પોતાની જિંદગીની મૂડી એટલે કે બચત ઉમેરી અને મુકેશભાઈ પોતાની ગાડીના માલિક બન્યા.

મુકેશભાઈએ લીધેલી લોન સમયસર અને પ્રમાણિકપણે ભરપાઈ કરી. જ્યારે માણસની દાનત સાફ હોય, ત્યારે કુદરત પણ સાથ આપે. એ સાથના પ્રતાપે એ આગળ આવ્યા.

મુકેશભાઈના જીવનમાં આ પ્રગતિ થઈ એનો અંદાજ અમને નહોતા. અમે અલિયાવાડામાં આ બધા પરિવારોના માનવ અધિકારના કામો ક્યાં પહોંચ્યા એ જોવા ગયા ત્યાં બેઠક પત્યા પછી મુકેશભાઈએ કહ્યું, "બેન તમને કશું બતાવવું છે" ને એમણે પોતાનું વાહન બતાવી સંસ્થાના પ્રતાપે અહીં પહોંચ્યાનું કહ્યું.

અમે તો આ બધુ જોઈ, સાંભળીને રાજી. મુકેશભાઈ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા

Mukeshbhai bought his own vehicle with the help from VSSM

Mukeshbhai with his own vehicle

Mittal Patel feels happy by seeing and hearing story of
Mukeshbhai



Friday, 5 December 2025

VSSM prays to God that Umeshbhai's dream comes true...

VSSM Coordinator Rahulbhai helps Umeshbhai to took
loan from VSSM's swavlamban program

A father’s presence not only gives warmth to a child but also prepares them for the different situations life may bring…

Umeshbhai, our loan beneficiary from Vatva in Ahmedabad, used to sell vegetables on a cart along with his father.

As time passed, his father passed away, and with that, Umeshbhai lost the support he always had.

To manage some unavoidable expenses, he took a loan — but the interest was so high that even a peaceful meal became difficult.

He shared his struggles with our volunteer Rahulbhai, and then took an interest-free loan from our organization. Today, he is running his vegetable cart successfully.

His dream is to own a big shop someday.

We pray to God that his dream comes true, and may we continue to be instruments in such good work…

પિતાની છત્રછાયા બાળકને હુંફની સાથે સાથે જીવનમાં કેવી કેવી પરિસ્થિતી આવશે તેના માટે તૈયાર પણ કરે...

અમદાવાદનાં વટવામાં રહેતા અમારા લોનધારક ઉમેશભાઈ તેઓ પિતા હતા ત્યાં સુધી એમની સાથે રહીને લારી વગેરેમાં શાકભાજી વગેરે વેચતા.

સમય જતાં પિતાનું અવસાન થયું અને તેમનો એક સાથ છૂટી ગયો. અમુક ખર્ચને પહોચી વળવા માટે લોન લીધી પણ વ્યાજ એટલુ કે શાંતિથી રોટલો પણ ના ખાવા દે.

એમણે અમારા કાર્યકર રાહુલભાઈને વાત કરી અને આમારી પાસેથી વગરવ્યાજની લોન લીધી અને અત્યારે સારી રીતે લારી ચલાવી રહ્યા છે.

એમનું સપનું કે મારી પોતાની મોટી દુકાન હોય

ઈશ્વરને પ્રાર્થના કે એમના સપના પૂરા થાય અને અમને આવી રીતે સારા કાર્યોમાં નિમિત્ત બનાવતો રહે...                                                                                      

Umeshbhai sells vegetables on a cart

Vegetable cart of Umeshbhai

Thursday, 4 December 2025

VSSM becomes instrument of change in the lives of Sanjaybhai...

Mittal Patel meets nomadic families of Vadodara

Sanjaybhai Nat from Vadodara is a hardworking and talented artist. The dhol and shehnai are traditional instruments linked to his ancestral profession — they are what give him his identity as a Nat. Although he possessed the skill, he didn’t have enough money to buy his own instruments. Because of this, instead of performing independently, he would join a relative’s team in Surendranagar.

One day, he learned that KRSF and VSSM provide loans to people who want to start their own small businesses. He contacted our Vadodara volunteer, Sunil, and took his first loan, with which he bought 20 dhols. Later, with a second loan, he purchased shehnais and proper uniforms for his team.

Today, Sanjaybhai has his own independent team. He receives orders and performs programs across Vadodara district and many other regions.

He says,“The organization breathed life into my career. I can never forget this support. Otherwise, who gives loans based on trust alone!”

Through the initiative of KRSF and VSSM, more than 12,000 families today run their own independent livelihoods and have become self-reliant.

We feel immense joy in becoming instruments of change in the lives of many like Sanjaybhai.

વડોદરાના સંજયભાઈ નટ, મહેનતકશ અને પ્રતિભાશાળી કલાકાર. ઢોલ અને શરણાઈ એમના પરંપરાગત ધંધા સાથે જોડાયેલા સાધન, જે એમને નટ તરીકેની ઓળખ આપે. સંજયભાઈ પાસે આ કળા તો હતી, પણ સાધન ખરીદવા માટે પૈસા નહોતાં. તેથી સ્વતંત્ર રીતે વગાડવા જવાની જગ્યાએ, તેઓ સુરેન્દ્રનગરમાં રહેતા સગાની ટીમમાં વગાડવા જતા.

એક દિવસ તેમને ખબર પડી કે KRSF અને VSSM એવા લોકોને લોન આપે છે, જે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવા માંગે છે. એમણે વડોદરાના અમારા કાર્યકર સુનીલનો સંપર્ક કર્યો અને પ્રથમ લોન લીધી જેમાંથી એમણે 20 ઢોલ ખરીદ્યા. એ પછી બીજી લોનથી શરણાઈ અને પોતાની ટીમ માટે સરસ યુનિફોર્મ લીધાં.

આજે સંજયભાઈ પાસે પોતાની ટીમ છે. તેઓ વડોદરા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં સ્વતંત્ર રીતે ઓર્ડર લઈને પ્રોગ્રામ કરવા જાય છે. એમણે કહે, "સંસ્થાએ મારા જીવનમાં પ્રાણ ફૂંક્યા. એનું ઋણ હું ક્યારેય ન ભૂલુ. બાકી અમારા પર ભરોસો કરીને લોન આપવાનું કોણ કરે!" 

KRSF અને VSSM ની પહેલથી 12,000 થી વધુ પરિવારો આજે પોતાનો સ્વતંત્ર ધંધો કરી સ્વાવલંબી બન્યા છે. સંજયભાઈ જેવા અનેકોના જીવનમાં નિમિત્ત બન્યાનો અમને આનંદ..



Mittal Patel meets Sanjaybhai who took loan from VSSM

Sanjaybhai has his own independent team and performs 
programs

Sanjaybhai took loan from VSSM and brought 20 dhols


Nasib’s have become self-reliant with the help of VSSM...

Mittal Patel meets Nasib in Vadi settlement of Vadodara

Fortune is his name, yet fortune never favored him.

Born into the Madari community, Nasib could not study much. His father used to perform snake-charming acts, but when the practice was banned, the family was pushed into deep struggle. To support the household, Nasib worked as a daily-wage laborer — yet it was never enough to gather any meaningful savings.

He dreamed of changing his life by owning his own rickshaw.

He saved a certain amount through hard labor and requested the remaining amount as a loan from our volunteer Sunilbhai through the organization. We provided the loan, and he bought the rickshaw.

Today, Nasib proudly drives his rickshaw through the streets of Vadodara.

He says, “Now I drive my rickshaw with full confidence!”

The joy on his face is truly remarkable.

Nasib still lives in a small hut, enduring dirt and difficulties during the monsoon.

His dream is to buy an eco-friendly vehicle and build a permanent house.

Seeing his dedication and hard work, it is certain that his dreams will come true soon.

Through the combined efforts of KRSF and VSSM, over 12,000 families like Nasib’s have become self-reliant and started independent livelihoods.

નસીબ જેનું નામ પણ એનું નસીબ ચમકે નહીં.

મદારી સમુદાયમાં જન્મેલો નસીબ ઝાઝુ ભણી ન શક્યો. પિતા તો સાપનો ખેલ કરતા પણ એના પર પ્રતિબંધ આવ્યો. પરિવાર જીવવા માટે સંઘર્ષ કરવા લાગ્યો. નસીબ છૂટક મજૂરી કરી ઘર ચલાવવામાં ફાળો આપે. પણ એથી કંઈ ઝાઝું ભેગું ન થાય.

જીવન બદલવા પોતાની રીક્ષા ખરીદવાનું એણે સપનું સેવ્યું.

એણે મજૂરી કરીને ચોક્કસ રકમ ભેગી ને બાકીની એણે અમારા કાર્યકર સુનીલભાઈને સંસ્થામાંથી લોન પેટે આપવા કહ્યું. અમે લોન આપી ને એ રીક્ષા લાવ્યો.  

આજે નસીબ વડોદરાની ગલીઓમાં ગર્વથી પોતાની રીક્ષા ચલાવે છે. એ કહે,"હવે હું વટથી રીક્ષા ચલાવું છું!" એનાં ચહેરા પરનો આનંદ અદભૂત.

નસીબ હજુ છાપરામાં રહે છે, ચોમાસામાં ગંદકી અને મુશ્કેલીઓ સહેવી પડે છે,

એનું સપનું ઈકો ગાડી ખરીદવાનું અને પાકુ ઘર બનાવવાનું.

નસીબની મહેનત અને લગન જોઈને એનું સપનુ ઝટ સાકાર થશે એમ ચોક્કસ કહી શકાય.

KRSF અને VSSM ની સંયુક્ત પહેલથી આજ સુધી 12,000 પરિવારો નસીબની જેમ પોતાના પગ પર ઉભા થઈ સ્વતંત્ર ધંધો કરતા થયા છે.

Nasib bought rickshaw from VSSM under its 
swavlamban project

VSSM coordinator Sunilbhai with Nasib and his rickshaw

The current living condition of Vadi settlement in Vadodara


VSSM became instrumental in bringing happiness in Ajaybhai's life...

Mittal meets Ajyabhai and listens his story

 The Story of Ajaybhai from Savli (Vadodara) and Namisar

When difficulties arise in life, a person is often forced to seek help from others. But life changes only when someone holds your hand and guides you in the right direction.

We were fortunate to meet not just one, but two Ajaybhais — and we became an instrument in bringing happiness into their lives.

Both of them had little formal education and survived on daily wage labor. It was hard to fulfill basic household needs, and during emergencies, they were often forced to borrow money, sinking under the burden of debt.

They learned that KRSF and VSSM provide loans to help start small businesses. With the help of our volunteer Sunilbhai, they applied for the loan. Both Ajaybhais had learned to repair gas stoves and mixers. With the loan, they started their own small repair work.

Slowly, their hard work began to pay off. Today, they easily earn ₹500–₹700 per day.

Ajaybhai proudly says: “If the organization hadn’t supported us, life would have been very difficult. Whenever we borrowed money from outside lenders, we had to pay back such heavy interest that it would break our back. If we took ₹30,000, we had to return ₹50,000 with interest. Now we’ve completely stopped taking such loans. Sunilbhai even taught us how to save.”

Every month, Ajaybhai donates ₹100 to the organization. He says:“Right now, I give ₹100 a month, but my wish is to give ₹200 every month — permanently.”

They do not earn a lot, yet the spirit of giving back from whatever little they have is truly admirable. May God fulfill all their wishes.

Through the self-reliance program of KRSF and VSSM, thousands of people like Ajaybhai have transformed their lives.

Our prayer is that God continues to make us instruments in such noble work.

વડોદરાના સાવલી અને નમીસરાના અજયભાઈની કહાની

જીવનમાં મુશ્કેલી આવે ત્યારે માણસે બીજા પાસે હાથ ફેલાવવો પડે, આવામાં સાચી દિશા બતાવી શકે તેવા કોઈ હાથ પકડી લે તો જિંદગી બદલાઈ જાય. 

અમને એક નહીં પણ બે અજય ભાઈ મળ્યા. જેમના જીવનમાં સુખ લાવવામાં અમે નિમિત્ત બન્યા. 

આ બેઉ ભણ્યા ઓછુ, છુટક મજૂરી પર નભે. ઘરની જરૂરિયાત પૂરી થવી મુશ્કેલ. ક્યારેક જરૃરિયાતના સમયે કરજ કરવું પડે ને એના ભાર નીચે જાણે દબાઈ જાય.

એમને ખબર પડી કે  KRSF અને VSSM તરફથી વ્યવસાય કરવા લોન મળે છે. એટલે અમારા કાર્યકર સુનિલભાઈની મદદથી એમણે લોન માટે અરજી કરી. બેઉ અજયભાઈએ ગેસ અને મીક્ચર રીપેરીંગનું કામ શીખ્યું હતું, અમારી લોનથી એ કામ શરૃ કર્યું. ધીમે ધીમે મહેનત રંગ લાવતી ગઈ.  આજે એ દિવસના ₹500 - ₹700 આરામથી કમાઈ લે છે. 

અજયભાઈ ખૂબ ગૌરવથી કહે છે, "જો સંસ્થાએ હાથ ન પકડ્યો હોત તો જીવતર અઘરુ હતું. બહારથી ક્યારેક વ્યાજવા પૈસા લઈએ તો એનું કમરતૂટી જાય એવું વ્યાજ આપવું પડતું. જેમ કે 30,000 રૂપિયા લઈએ તો વ્યાજ સાથે 50,000 પાછા ભરવા પડે. હવે અમે બહારથી વ્યાજના પૈસા લેવાનું સદંતર બંધ કર્યું. સુનિલભાઈએ બચત કરવાનું પણ શીખવ્યું."

સંસ્થાને દર મહિને ₹100 અનુદાન આપતા અજયભાઈ કહે છે, "હાલ હું દર મહિને ₹100 આપું છું પણ મારી ઇચ્છા દર મહિને ૨૦૦ એ પણ કાયમ આપવાની છે."

અજયભાઈ ઝાઝું કમાતા નથી પણ એમને જે મળે એમાંથી અન્યોના સુખ માટે આપવાની એમની ભાવના ઉત્તમ. ઈશ્વર એમની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.

KRSF અને VSSMના સ્વાવલંબન કાર્યક્રમ થકી અજયભાઈ જેવા હજારો લોકોની જિંદગી બદલાઈ છે.

ઈશ્વર હંમેશા અમને આવા સદકાર્યમાં નિમિત્ત બનાવે – એ જ પ્રાર્થના.

VSSM coordinator Sunilbhai helped Ajaybhai to took
loan from VSSM under its swavlamban programe

Ajaybhai repair gas stoves and mixers

Mittal Patel meets Ajaybhai in Vadodara


Hiraben’s story is a living example of courage, struggle, and self-respect...

Hiraben bought goods from Mumbai's Chor Bazaar 

When Hiraben said she brought goods from Mumbai’s Chor Bazaar, people assumed she dealt in stolen items. But in reality, she collected things discarded as scrap and sold them in Surendranagar’s Gujri Bazaar.

Hiraben’s story is a living example of courage, struggle, and self-respect. She never stepped into a school, yet learned life’s lessons through experience. In Surendranagar’s Gujri Bazaar, she commands great respect, and people enthusiastically buy goods from her.

When travelling by train with bundles of goods, the police would sometimes stop her and ask what she was carrying — and the answer she gave would leave them stunned.

With the help of a loan from KRSF and VSSM, she expanded her business vigorously. Today she earns well and stands on her own feet.

Hiraben says,“Every woman should earn, because during tough times, if we earn ourselves, we can raise our children well.”

These words are not just her personal experience, but an inspiration to every woman in society.

Living in a small hut in Surendranagar, Hiraben now has a two-room house with a kitchen thanks to VSSM’s efforts. Today she has the comfort of a home, enthusiasm for her work, and peace in her life.

Our volunteer Harshadbhai finds and supports many women like Hiraben. It is an honour to have such compassionate volunteers with us.

Our KRSF founder, Pratulbhai, also heard Hiraben’s story. During his visit to Surendranagar, he met her personally. He, too, felt proud to see such families becoming self-reliant.

“For those who keep courage, paths emerge on their own;

When a woman rises, even the world bows before her.”

Hiraben’s journey was difficult, but with courage, determination, and timely support, her life transformed.

Together with KRSF, VSSM, and many well-wishers, we take pride in having helped more than 12,000 families earn a dignified livelihood.

મુંબઈના ચોર બજારમાંથી હું સામાન લાવું એવું હીરાબહેન કહે ત્યારે રખેને એમ માનતા કે એ ચોરીનો સામાન લાવે. પણ લોકોએ ભંગારમાંથી કાઢી દીધેલો સામાન એ લઈ આવે ને સુરેન્દ્રનગરના ગુજરી બજારમાં વેચે. 

હીરાબહેનની કહાણી હિંમત, સંઘર્ષ અને સ્વાભિમાનનું જીવતું ઉદાહરણ. શાળાનું પગથિયું ન ચડેલા હીરાબહેન જીવનનો પાઠ જાતે શીખ્યા. સુરેન્દ્રનગરની ગુજરી બજારમાં એમનો જબરો દબદબો. લોકો એમની પાસે ઉત્સાહભેર સામાન ખરીદે.

ટ્રેનમાં પોટકા ઉચકીને લાવતી હીરાબહેનને પોલીસ ક્યારેક આ શું લઈને જાવ એવું પૂછે ત્યારે તે પોલીને એ જે જવાબ આપે એ સૌને આશ્ચર્યમાં મૂકે એવો.

KRSF અને VSSM દ્વારા મળેલી લોનથી તેઓએ ધંધો વધારે જોરશોરથી શરૂ કર્યો. આજે સારું કમાય છે, પોતાના પગ પર ઊભા છે.

હીરાબહેન કહે છે – “દરેક બહેને કમાવવું જોઈએ, કેમ કે જીવનના કપરા સમયમાં પોતે કમાતા હોઈએ તો સંતાનોને ઉછેરી શકીએ.”

આ શબ્દો માત્ર એમના અનુભવ નથી, પણ સમાજની દરેક સ્ત્રી માટે પ્રેરણારૃપ.

સુરેન્દ્રનગરના ઝૂંપડામાં રહેતી હીરાબહેનને VSSM ના પ્રયાસોથી હવે બે રૂમ અને રસોડાવાળું ઘર મળ્યું છે. હવે એમને ઘરનો આરામ છે, ધંધાનો ઉત્સાહ છે અને જીવનમાં નિરાંત છે.

અમારા કાર્યકર હર્ષદભાઈ હીરાબેન જેવા અનેકોને શોધી તેમને મદદરૃપ થાય. એમના જેવા સંવેદનશીલ કાર્યકર સાથે હોવાનું ગૌરવ. 

હીરાબહેનની સંઘર્ષની કહાની અમારા KRSF ના સ્થાપક પ્રતુલભાઈએ પણ સાંભળી. સુરેન્દ્રનગર એક કામથી એમને જવાનું થયું ને એમણે હીરાબહેનને મળ્યા. આવા પરિવારોને પગભર કર્યાનો એમને પણ રાજીપો. 

"હિંમત રાખે જેને, માર્ગ ખુદ મળી જાય,

સ્ત્રી જો ઊભી થાય તો દુનિયા પણ એને વંદન કરે."

હીરાબહેનની સફર મુશ્કેલ હતી. પણ એમને હિંમત, મક્કમતા અને સહયોગ મળ્યો એટલે જીવન પણ બદલાયું. 

KRSF અન VSSM સાથે સંકળાયેલા અન્ય સ્વજનો સાથે મળીને અત્યાર સુધી 12,000 થી વધારે પરિવારોને અમે સ્વમાનભેર રોજી રોટી રળતા કર્યાનો રાજીપો.

Hiraben collected things discarded as scrap
and sold them in Surendranagar’s Gujri Bazaar


Mittal Patel and Shri Pratulbhai Shroff meets hiraben in 
surendranagar


Friday, 10 October 2025

Ramchandrabhai – A Story of Hard Work and Hope...

Mittal Patel meets Ramchandrabhai 

"Ramchandrabhai, your name is so nice! Who gave it to you?" I asked.

Ramchandrabhai smiled shyly. His mother, who was standing beside him, replied,

"I did. I named him after Lord Ram, hoping he would grow up to be a son like him."

"Is he that kind of son?" I asked.

She smiled proudly, "Yes, he takes very good care of us."

Ramchandrabhai and his entire family live in Palanpur and collect and sell empty cement bags. But to buy those bags in the first place, they need capital — which they often borrow on heavy interest.

We asked him how much interest they pay. He said,

"If we take ₹1000, they cut ₹100 and give us ₹900 — but by evening, we have to return the full ₹1000."

We were shocked to hear this.

When they try to sell only a few bags, they don’t get good prices. But when they collect in bulk, they earn better. One of our field workers, Pareshbhai, got to know Ramchandrabhai’s situation and suggested a loan. Ramchandrabhai agreed happily.

His father, sister, and he — all three took small loans from us.

Now, their business rotation has improved, and they are making decent profits.

They still live in a rented house. Ramchandrabhai says,

"I want to earn enough to take a contract for collecting cement bags from big building sites... and then build a house of my own."

We pray that his dream comes true.

Thanks to KRSF and VSSM, more than 12,000 families have been supported with small loans to start or grow their independent work.

Today, Ramchandrabhai donates ₹200 every month from his income. He says,

"I was helped when I needed it. Now it's my duty to give back and think of others' well-being."

We wish happiness and prosperity to Ramchandrabhai and his family.

"રામચંદ્રભાઈ તમારુ નામ સરસ છે કોણે પાડ્યું?"

મારી વાત સાંભળી રામચંદ્રભાઈ થોડા શરમાયા. બાજુમાં એમના મમ્મી ઊભા હતા એમણે કહ્યું, "મે પાડ્યું. ભગવાન રામનું નામ એમના જેવો દિકરો થાય એવું ગમે એટલે."

"તે એવો દિકરા છે?"

"હા અમારુ ખુબ ધ્યાન રાખે."

પાલનપુરમાં રહેતા રામચંદ્રભાઈ અને તેમનો આખો પરિવાર સીમેન્ટની ખાલી થેલી ભેગી કરી વેચવાનું કરે. ખાલી થેલી ખરીદવા મૂડી જોઈએ જે વ્યાજથી લાવે પણ વ્યાજ તગડુ ચુકવે. અમે પુછ્યું કેટલું વ્યાજ તો એમણે કહ્યું, 1000 રૃપિયા લઈએ તો 100 કાપીને 900 આપે જે સાંજે પાછા 1000 આપી દેવાના.

સાંભળીને આંખો પહોળી થઈ ગયેલી. 

ખાલી સીમેન્ટની થોડી થેલી વેચવા જાય તો ઈચ્છીત ભાવ ન મળે પણ વધારે ભેગી થાય તો સારો ભાવ મળે. અમારા કાર્યકર પરેશભાઈ, રામચંદ્રભાઈના સંપર્કમાં એમની સ્થિતિ પણ જાણે એટલે એક દિવસ લોન આપવા વાત કરી. રામચંદ્રભાઈ તો એનાથી રાજી. એમના પિતા, બહેન અને એમણે ત્રણેયે અમારી પાસેથી લોન લીધી. 

હવે એમનું રોટેશન સરસ થવા માંડ્યું છે. સારો એવો નફો થાય છે. 

એમની પાસે પોતાનું ઘર નથી. ભાડાનાઘરમાં એ રહે. એ કહે, મોટી બિલ્ડીંગ બંધાતી હોય તેની ખાલી સીમેન્ટની થેલીઓ લેવાનો કોન્ટ્રાક્ટ રાખી શકુ એટલા પૈસા કમાવવા છે ને પછી મારુ પોતાનું ઘર બનાવવું છે.

રામચંદ્રભાઈની ઈચ્છા પુરી થાય એવી પ્રાર્થના.

KRSF અને VSSM અત્યાર સુધી 12,000 થી વધારે પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા આ રીતે લોન આપી શક્યા તેનો રાજીપો.

રામચંદ્રભાઈ એમની કમાણીમાંથી દર મહિને 200 રૃપિયાનું અનુદાન આપે છે. એ કહે મને કોઈએ મદદ કરી તો પછી મને જે મળે એમાંથી અન્યોના કલ્યાણ માટે વિચારવાની મારી ફરજ.

રામચંદ્રભાઈનો પરિવાર સુખી થાય તેવી શુભભાવના..

Mittal Patel with Ramchandrbhai and his wife who took loan
from vssm under its swavlamban program

Ramchandrabhai took loan from VSSM to collect empty
empty cement bag

Mittal Patel listens to ramchandrabhai's story of hardship and
his dream





Tuesday, 20 May 2025

VSSM wish for Prahladbhai's continued progress!...

Mittal Patel meets Prahladbhai at his shop

"રામ નામ મુખ મે રહે,

ઉર મે દયા અરુ દાન

લાખ વિઘન ટરી (ટળી) જાત હૈ

આખરી હોત કલ્યાણ"........ 

"May the RamNaam stay on my lips, 

Compassion and charity fill my heart; 

Would traverse countless obstacles, 

Salvation     would   be     the     last......"

As if a dream had come true, these heartfelt words of the poet Dulabhaya Kaag has manifested in the life of our Prahladbhai. 

Prahladbhai lives in Lodraa, Gandhinagar. He is very kind-hearted and, despite not having strong financial means, he offers physical support to needy families in any way he can. This selflessness is why nature—shall we say, God !—takes care of him..

He was working for a company when suddenly his health deteriorated. Thankfully, he survived due to timely treatment. Let's say, his selfless deeds were few steps ahead of him, causing his survival.

After his surgery, he could no longer perform heavy labor. He then decided to open an electric tools shop in his village, Lodraa. At that time, he didn’t have enough funds, so he started the business with whatever little money he had. In addition to selling electrical accessories, he also repaired light fixtures, fans, and other electrical appliances.

After contacting our activist Rizwanbhai, we provided a loan to Prahladbhai. This increased the stock levels in his shop, leading to a more organized business setup.

Prahladbhai strongly believes that God takes care of him. "Otherwise, you wouldn't have come to me in my moment of crisis!" he says. His faith is truly remarkable! 

Prahladbhai's business is now well-organized, and he has become a volunteer with our organization. Each month, we provide ration supplies to 700 senior and vulnerable citizens under the "MAAVJAT" (Caring) program, which includes five seniors in Lodraa as well. Our activist, Rizwanbhai, prepares the ration kits, and Prahladbhai delivers these kits to the seniors. Even though he engages in this selfless service, he expresses gratitude to the organization for giving him the opportunity to serve.

We wish for Prahladbhai's continued progress! We are delighted that thousands of families, like Prahladbhai's, have become happier through KRSF and VSSM.

રામ નામ મુખ મે રહે,

ઉર મે દયા અરુ દાન

લાખ વિઘન ટરી (ટળી) જાત હૈ

આખરી હોત કલ્યાણ - કવિ દુલાભાયા કાગની આ વાત અમારા પ્રહલાદભાઈના કિસ્સામાં જાણે સાચી ઠરી.

પ્રહલાદભાઈ ગાંધીનગરના લોદ્રામાં રહે. જીવ એકદમ દયાળુ. આર્થિક ક્ષમતા ઝાઝી નહીં છતાં શારીરિક રીતે જે પણ થાય તે ટેકો જરૃરિયાત મંદ પરિવારોને કરે. એટલે જ કુદરતે એમનું ધ્યાન રાખ્યું. 

એક કંપનીમાં એ કામ કરતા હતા. અચાનક તબિયત લથડી પણ સમયસર સારવાર મળી એટલે બચી ગયા. એમણે કરેલા સતકર્મ આગળ આવ્યા.

ઓપરેશન પછી ભારે કામ ન થઈ શકે. એમણે પોતાના લોદરા ગામમાં જ ઈલેટ્રકીટસ ની દુકાન નાખી. એ વખતે પાસે ઝાઝા પૈસા નહોતા જે હતું એમાંથી દુકાન કરી. ઈલેક્ટ્રીક્સનો સામાન વેચવાની સાથે સાથે એ લાઈટ, પંખા રિપેર પણ કરે. 

અમારા કાર્યકર રીઝવાનભાઈના સંપર્કમાં આવ્યા પછી પ્રહલાદભાઈને અમે લોન આપી. જેનાથી એમની દુકાનમાં સામાન વધાર્યો ને ધંધો એકદમ સરસ ગોઠવાઈ ગયો.

પ્રહલાભાઈ માને કે, “ઈશ્વર જ મારુ ધ્યાન રાખે નહીં તો સંકટની ઘડીમાં તમારુ મારી સામે આવવાનું ન થાય!”

કેવી ગજબ શ્રદ્ધા. પ્રહલાદભાઈનો ધંધો એકદમ સરસ ગોઠવાઈ ગયો છે. હવે તો એ અમારા સ્વયંસેવક બની ગયા છે. અમે માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને 700 બા દાદાને રાશન આપીયે. લોદરામાં પણ આવા પાંચ માવતરોને રેશન આપીએ. અમારા કાર્યકર રીઝવાનભાઈ રેશનકીટ બનાવડાવી દે. પ્રહલાદભાઈ એ કીટ માવતરો સુધી પહોંચાડી દે. આ એમની સેવા. એ તો આ સેવાનો મોકો એમને મળ્યો એ માટે પણ સંસ્થાનો આભાર માને. 

KRSF, VSSM થકી પ્રહલાદભાઈ જેવા હજારો પરિવારો સુખી થયા તેનો રાજીપો.. પ્રહલાદભાઈ હજુ પણ વધારે તરક્કી કરે તેવી શુભભાવના...

#mittalpatel #vssm #gujarat #explorepage #viral #inspiraional #loan #success

VSSM Coordinator Rizwan Sheikh helped prahladbhai to
get loan from VSSM

Prahladbhai's business is now well-organized

Mittal Patel visits loanee Prahladbhai at his shop


Thursday, 3 April 2025

VSSM's swavlamban initiative helps over 11,000 families across gujarat to run their own businesses...

VSSM Coordinator honoured by Shri Pratulbhai Shroff

Many are walking according to the lines of their hands,

But instead of stars, they are the ones who are truly powerful – Sheikh Adam Abu Wala's words feel truly meaningful when we meet the families we have helped by providing loans to become self-reliant.

More than 1,000 families from the wandering, liberated, and marginalized communities living in Ahmedabad district have taken loans from us and are now running independent businesses. To help these community women organize and start businesses, we also established savings groups. Today, many such savings groups are functioning. We have received help from the Jewelex family and Fine Jewellery for organizing separate activities with the women, for which we are grateful.

After giving loans to those families, we organized a program to honor those borrowers who have made impressive progress after forming savings groups. This program was organized under the guidance of VSSM, KRSF, and the Vimut Foundation in collaboration with the Sadvichar Family in Ahmedabad.

In the event, our Bhikhibhen and Gauribhen, who formed savings groups of ten women each, were honored. Through these savings groups, the women save 100 rupees every month. Bhikhibhen’s group even received a revolving fund of 5 lakh rupees under the Government’s Mission Mangal Scheme.

Bhikhibhen, who once sold cutlery in the market, took a loan from us and expanded her business. Now, she also runs a stall and earns a good income. Her two daughters stayed in our hostel and studied. One of them, Neha, is currently pursuing nursing, while Payal has completed her graduation and works in a company.

Many loan recipients, like Bhikhibhen, shared how their businesses, started with loans, have flourished.

Those borrowers who developed their business the best, even when faced with family hardships and a downturn in their business, but still continued to pay their loan installments, were honored by the respected Pratulbhai Shroff, the founder of the Dr. K.R. Shroff Foundation.

The event also honored our worker Madhubhen, who has been dedicated to the organization’s service activities for many years. The program was a great success, thanks to the strong team of sincere workers such as Madhubhen, Rahul, Nisha, Dinesh, Sachin, Usha, Vishwesh, Kirtan, Vishal, Darshan, and others. It is because of their tireless efforts that through KRSF and VSSM, over 11,000 families across Gujarat, who aspired to run their own businesses, have been given loans. Today, all these families have become self-reliant.

May we always be the cause of everyone’s prosperity. Best wishes to all!

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,

ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન - શેખાદમ આબૂવાલાની આ વાત અમે જે પરિવારોને સ્વાવલંબી બનાવવા લોન આપી મદદ કરીએ એ પરિવારોને મળીએ ત્યારે ખરી લાગે.

અમદાવાદ જિલ્લામાં રહેતા વિચરતા વિમુક્ત તેમજ તકવંચિત સમુદાયોમાંના 1000 થી વધારે પરિવારોએ અમારી પાસેથી લોન લીધી અને સ્વતંત્ર વ્યવસાય કરતા થયા. આ સમુદાયની બહેનો સંગઠિત થઈને ધંધો કરતી થાય તે માટે અમે બચતમંડળ પણ બનાવીએ. આજે એવા અનેક બચતમંડળો પણ કાર્યરત છે. બહેનો સાથે અલાયદી પ્રવૃતિ કરવા માટે અમને જ્વેલક્ષે પરિવાર તેમજ ફાઈન જ્વેલરીની મદદ મળી છે. તેમના અમે આભારી છીએ. 

અમે જેમને લોન આપી છે તે લોનધારકોમાંથી તેમજ બચતમંડળ બનાવ્યા પછી ઊડીને આંખે વળગે તેવી પ્રગતિ જેમણે કરી છે તેવા લોનધારકોના સન્માનનો કાર્યક્રમ VSSM, KRSF અને વિમુક્ત ફાઉન્ડેશનની નિશ્રામાં સદવિચાર પરિવાર- અમદાવાદમાં આયોજીત થયો.

કાર્યક્રમમાં અમારા ભીખીબહેન અને ગૌરીબહેને દસ દસ બહેનોના બચત મંડળ બનાવ્યા તેમના સન્માન થયા. આ બહેનોના બચતમંડળ થકી બહેનો નિયમીત દર મહિને બસો રૃપિયાની બચત કરે છે. ભીખીબહેનના મંડળને તો સરકારની મીશન મંગલ યોજના અંતર્ગત 5 લાખ રૃપિયા રીવોલ્વીંગ ફંડ પેટે પણ મળ્યા.

શાકમાર્કેટમાં પથારો પાથરી કટલરી વેચતા ભીખીબહેને અમારી પાસેથી લોન લઈને ઘંઘો મોટો કર્યો. હવે તેઓ લારી પણ ધંધો કરે ને ઘણું કમાય છે. એમની બે દિકરીઓ અમારી હોસ્ટેલમાં રહીને ભણી. જેમાંની નેહા અત્યારે નર્સીગ ભણે છે. જ્યારે પાયલ સ્નાતક થઈ એક કંપનીમાં કામ કરે છે. 

ભીખીબહેન જેવા અનેક લોન ધારકોએ લોન લઈને શરૃ કરેલા ધંધામાં કેવી બરકત થઈ છે તેની વાત કરી. 

ઉપસ્થિતિ લોન ધારકોમાંથી જેમણે સૌથી સારી રીતે પોતાનો ધંધો વિકસાવ્યો હોય. ઘરમાં મુશ્કેલી આવી, ધંધો સાવ બેસી ગયો છતાં નિયમીત લોનના હપ્તા ભર્યા હોય તેવા લોન ધારકોનું સન્માન ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય પ્રતુલભાઈ શ્રોફના હસ્તે કરવામાં આવ્યું. 

કાર્યક્રમમાં અમારા કાર્યકર મધુબહેનનું પણ સન્માન કરવામાં આવ્યું. વર્ષોથી તેઓ પૂરી નિષ્ઠાથી સંસ્થા દ્વારા થતા સેવાકાર્યમાં તેઓ લાગ્યા રહ્યા છે. 

આ કાર્યક્રમને સફળ બનાવ્યો. મધુબહેન, રાહુલ, નિશા, દિનેશ, સચિન, ઉષા, વિશ્વેશ, કીર્તન, વિશાલ, દર્શને... સંનિષ્ઠ કાર્યકરોની આવી મજબૂત ટીમ અમારી સાથે છે એટલે જ KRSF અને VSSM થકી ગુજરાતભરમાંથી સ્વતંત્ર ધંધો કરવાની ખેવના રાખનાર 11,000 થી વધારે પરિવારોને લોન આપવામાં આવી છે. આ બધા આજે લોન લઈને બે પાંદડે થયા છે. 

સૌના શુભમાં સદાય નિમિત્ત બનીએ તેવી શુભભાવના...

#mittalpatel #vssm #livelihood #gujarat #explorepage✨ #inspiring #award #ahmedabad

Mittal Patel addresses Nomadic women 

Shri Pratulbhai Shroff honoured women who formed 
saving groups

Shri Maulik Patel honoured women who formed saving 
groups


Sunday, 16 March 2025

VSSM honours several individuals whose life changes after taking loan under its swavlamban initiative...

Mittal Patel honors who took loan from VSSM and
faced significant challanges yet consistently made their
loan payments

"I stand on my own two feet; I earn enough to support a respectable family life, and I do not have to endure feelings of helplessness." What immense pride a person must feel making such a statement! Additionally, how satisfying it is to empower someone to feel that pride!

Our friend Kesnathbhai lives in Tharad town, located in Banaskantha. The Nathwaadi community is traditionally known for snake charming, where they handle and perform with snakes. However, as this business has declined, some members of the community have resorted to begging to support themselves. Fortunately, VSSM provided support for Kesnathbhai many years ago. VSSM helped the family obtain Aadhaar cards (identity cards) for those living in Shivnagar, Tharad. Additionally, VSSM assisted in acquiring a plot of land, where a house was built for the family.

Kesnathbhai started several types of businesses, beginning with coal-making after taking a loan from our organization. He is very loyal, and his sincere faith in the organization is unwavering. These qualities have enabled him to progress remarkably well. Today, he owns four plots of land, several cars, and a house in Tharad. However, he has not forgotten his gratitude to the organization. He often expresses it with a simple statement: "When I had nothing, the organization held my hand, and because of that support, I have come this far today."

We did not anticipate such significant progress. We organized a discussion with individuals who received loans from the organization to help them become self-sufficient. We talked about what could be done under the self-help program and what additional support could be provided in the future. During this meeting, many participants, including Kesnathbhai, shared their success stories and how they benefited from the loans provided by the institute. We ourselves were truly amazed by the impact of our mission.

The K.R. Shroff Foundation and the "VIMUKT" Foundation have partnered with the VSSM self-help program. Through the collaborative efforts of these three organizations, over 11,000 families have received loans to start their own businesses, and the majority of them have reported high levels of satisfaction.

During the meeting, we honored several individuals: those who took out loans from the organization and went on to have very successful careers, those who faced significant family challenges yet consistently made their loan payments, and those who, as community leaders, helped others achieve economic stability.

There was a suggestion to create a women's congregation. It was discussed that a significant amount of work is needed to support women in establishing their own independent businesses. 

It is commendable that all loan holders contribute to us with monthly donations. Their charitable contributions to the institute are just as important and great as those made by donors of substantial amounts. 

During the program, everyone talked about the idea of forming their own banks, which would allow them to secure small or large loans as needed.

The self-help program is currently being implemented by the respected Shri Pratulbhai Shroff and several well-wishers associated with the organization. It brings us great joy to provide livelihoods to many individuals through this initiative. 

We hope that God continues to make us instruments for the maximum good of the greatest number of people.

હું મારા પગ પર ઉભો છું, હું મારા પરિવારને માનભેર જીવાડી શકુ એટલું કમાવુ છું, મારે કોઈની ઓશિયાળી વેઠવાની થતી નથી.. આવા વિધાન બોલતા માણસને કેવો ગર્વ થાય. વળી આવો ગર્વ અપાવવાનું કામ કરવું એ તો કેટલું મજાનું.

અમારા કેશનાથભાઈ બનાસકાંઠાના થરાદમાં રહે. નાથવાદી સમુદાયનો પરંપરાગત ધંધો સાપના ખેલ બતાવવાનો. પણ એ પડી ભાંગ્યો પછી સમુદાયમાંથી કેટલાક ભીક્ષા માંગી પેટિયું રળવા માંડ્યા. પણ કેશનાથભાઈના ટેકામાં VSSM વર્ષો પહેલા આવ્યું. થરાદના શિવનગરમાં રહેતા પરિવારના ઓળખના આધારો, રહેવા પ્લોટ ને પછી તો ઘર પણ બન્યા. 

કેશનાથભાઈ અમારી પાસેથી લોન લઈને કોલસા પાડવાથી લઈને અનેક પ્રકારના વ્યવસાય શરૃ કર્યા. નિષ્ઠાવાન અને સંસ્થા માટે એમની શ્રદ્ધા ગજબ એટલે પ્રગતિ પણ ખુબ સારી થઈ. આજે એમની પાસે થરાદમાં રહેણાંક અર્થે ચાર પ્લોટ, ગાડી, ઘર બધુ જ છે. પણ એ સંસ્થાનું ઋણ નથી ભૂલ્યા. એ એક જ વાક્યમાં પોતાની વાત કરે, જ્યારે મારી પાસે કશું નહોતું ત્યારે સંસ્થાએ મારો હાથ પકડ્યો ને આજે હું આટલે પહોંચી શક્યો.

એમની આટલી પ્રગતિનો અંદાજ નહોતો પણ અમે થરાદમાં સંસ્થાએ જેમને બે પાંદડે થવા લોન આપી છે એ લોકોની એક બેઠક ભવિષ્યમાં સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત શું કરી શકાય અને ક્યા પ્રકારની વધારે મદદની જરૃર છે એ અંગે વાત કરવા એક ચર્ચા સભાનું આયોજન કર્યું. આ સભામાં કેશનાથભાઈ જેવા અનેક વ્યક્તિઓએ સંસ્થામાંથી મળેલી લોનથી કેવી પ્રગતિ કરી એની વાત કરી ત્યારે આ કાર્ય માટે અમને પોતાને હરખ થયો. 

VSSM ના સ્વાવલંબન કાર્યક્રમમાં આજે ડો. કે.આર.ફાઉન્ડેશન અને વિમુક્ત ફાઉન્ડેશન પણ જોડાયું છે. ત્રણે સંસ્થાના પ્રયાસથી 11,000થી વધારે પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા લોન મળી છે ને એમાંના ઘણા ખરા ખુબ સુખી થયા છે. 

સંસ્થાએ જે પરિવારોને લોન આપી તેમાંથી લોન લઈને જે વ્યક્તિઓએ ખુબ સારી તરક્કી કરી હોય, 

 જેમને લોન લીધી પણ પછી ઘરમાં ભયંકર તકલીફ આવી હોય છતાં લોનના હપ્તા નિયમીત ભર્યા હોય, જેઓ આગેવાનની ભૂમિકામાં હોય ને પોતાની સાથે સાથે અન્ય વ્યક્તિઓને પણ બે પાંદડે થવા મદદ કરી હોય તે સૌનું સન્માન પણ કાર્યક્રમમાં થયું.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફ અને સંસ્થા સાથે સંકળાયેલા અનેક સ્વજનો મારફત આ સ્વાવલંબન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત અનેકોને રોજી આપી શક્યાનો આનંદ પણ છે..

વાશી ફાઉન્ડેશનમાંથી શ્વેતા ડોડેજા અને ગીરીશ સાઈવે આ કાર્યમાં સહભાગી બન્યા એ માટે આભારી છું.

થરાદ આસપાસના વિસ્તારમાં અમારા પરિવારો સાથે કામ કરતા ભગવાનભાઈનું પણ આ કાર્યક્રમમાં સન્માન થયું. એમના જેવા કાર્યકર સાથે હોવાનો આનંદ...

સૌના ભલામાં ઈશ્વર હંમેશા નિમિત્ત બનાવે તેવી શુભભાવના.

Mittal Patel addresses individuals who took loan from VSSM

Mittal Patel attends swavlamban program in Tharad

Mittal Patel honors VSSM coordinator for performing
good in swavlamban program



Wednesday, 12 March 2025

VSSM's swavlamban initiative helps Bhaveshbhai to establish their businesses and improve their lives...

Mittal Patel visits Bhaveshbhai's Shop

"Didiji, some people are born with such luck. In their life, they never face the struggles we went through. I had to study, but our financial situation was weak, so at night, we would do wheat farming and work till morning. After sleeping for two hours in the morning, I would go to school. I studied while doing such labor... But I see so many people, and I wonder how blessed they are with happiness.

Our Darshan sometimes says, "He studied in our hostel. He worked really hard. Today, he earns well. But the struggles he faced are nothing compared to many others."

Bhaveshbhai, who lives in Babarmeli, Amreli, also worked in a brick kiln as a child and went to school. But after working hard in the kiln, studying became impossible. He would get so tired. He started a small shop selling golis and biscuits in front of his house while studying in 8th grade. He ran the shop from 8 to 10 in the morning and 5 to 8 in the evening, spending the rest of the time in school. From the profits from the shop, he covered his expenses and contributed a small amount to his family.

He studied until 12th grade this way. He couldn’t continue further education, but he increased the stock in his shop and the business grew. After that, he got married and had children.

He wanted to buy a fridge for his shop. Having a fridge would increase the profits. But he didn’t have enough money to buy it at once. Our worker Rameshbhai gave him a loan, and the fridge was brought to Bhaveshbhai’s shop. After the fridge was brought, his income increased. When asked how his income increased, he said, "Now we keep milk, curd, buttermilk, cold drinks, and ice cream. The demand for these products increased, so my income grew."

After listening to him, I said, "You are happy, and we are happy too," laughing. He replied, "Sister, the greatest happiness now is that my wife never has to go out for work. If I have to work outside, she takes care of the shop."

KRSF and VSSM have provided loans to over 10,000 families with the intention of encouraging independent businesses. When people like Bhaveshbhai talk about their success, it feels like our self-reliance program is making a difference."

This is a narrative about struggles, hard work, and success, highlighting how programs like KRSF and VSSM help people establish their businesses and improve their lives.

દીદી કેટલાક લોકો કેવા નસીબ લઈને જન્મે? એમના જીવનમાં અમે વેઠ્યો એવો સંઘર્ષ જરાય નહીં. મારે ભણવું હતું પણ ઘરની સ્થિતિ નબળી તે રાતે ઘઉં વાઢવાના કામો ઉચક રાખતા ને સવાર સુધી એ કરીએ. સવારે બે કલાક ઊંઘી પાછા નિશાળે. આવી મજૂરી કરીને ભણ્યો..પણ હું કેટલા બધાને જોવું છું ભગવાને એમને કેવું સુખ આપ્યું છે..."

અમારો દર્શન આવું ક્યારેક કહી દે.. અમારી હોસ્ટેલમાં જ એ ભણ્યો. ખૂબ મહેનત કરી. આજે એ સરસ કમાય. પણ દર્શન જેવો સંઘર્ષ અનેકોનો.

અમરેલીના બાબરમાં રહેતા ભાવેશભાઈ પણ નાનપણમાં ઈંટોના ભઠ્ઠામાં કામે જાય સાથે નિશાળમાં પણ..

પણ ભઠ્ઠામાં કાળી મજૂરી પછી ભણવાનું ન થાય. થાકી જવાય. એમણે ગોળી, બિસ્કીટની નાની દુકાન ઘર આગળ ધો.8માં ભણતા ત્યારથી શરૃ કરી. સવારે 8 થી 10 અને સાંજે 5થી 8 દુકાન ચલાવે ને બાકીનો સમય નિશાળમાં. દુકાનમાં મળતા નફામાંથી એ પોતાનો ખર્ચ ઉપાડતા ને નાનકડી રકમ ઘરમાં આપતા.

આ રીતે ધો. 12 સુધી ભણ્યા. આગળ ભણવાનું ન થયું એમણે દુકાનમાં સામાન થોડો વધાર્યો ને ધંધો આગળ ચાલ્યો. એ પછી તો લગ્ન ને બાળકો પણ થયા. 

દુકાનમાં એમને ફ્રીજ લાવવું હતું. ફ્રીજ આવે તો દુકાનમાં નફો વધી શકે. પણ એક સાથે ફ્રીજ લાવવા પૈસા નહીં. અમારા કાર્યકર રમેશભાઈએ લોન આપી ને ભાવેશભાઈની દુકાનમાં ફ્રીજ આવ્યું. 

ફ્રીજ આવતા એમની આવક વધી. કેમ આવક વધી એના જવાબમાં એમણે કહ્યું, "દૂધ, દહીં, છાશ, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ હવે રાખીએ. એની ખરીદી વધારે થાય એટલે આવક વધી."

એમની વાત સાંભળી તમે સુખી તો અમે સુખી એમ હસીને કહ્યું તો કહે, "બેન મોટુ સુખ તો હવે ઘરવાળીને ક્યાંય કામે જવું નથી પડતું એનું. હું બહાર કામ હોય તો જવું તો મારી ઘરવાળી ને મા દુકાન સંભાળી લે.."

KRSF અને VSSMએ સ્વતંત્ર ધંધાની ખેવના રાખનાર 10,000 થી વધારે પરિવારોને લોન આપી પગભર કર્યા છે. ભાવેશભાઈ જેવા વ્યક્તિઓ જ્યારે પોતાની સફળતાની વાત કરે ત્યારે અમારો સ્વાવલંબન કાર્યક્રમ લેખે લાગ્યો હોય એમ લાગે..

Bhaveshbhai bought fridge with the help from vssm loan

Bhaveshbhai increased his business with the help
from VSSM's swamvlamban initiative


Mittal Patel with VSSM Coordinators and Bhaveshbhai's
family at Amreli during her field visit



Wednesday, 8 January 2025

We are pleased to have supported over 9,500 individuals, like Bharatbhai, through the efforts of KRSF and VSSM...

Mittal Patel eith Bharatbhai and VSSM Coordinator 
Rameshbhai

"The diamond business has been in decline for many years, and the pandemic added insult to injury. We have no land to cultivate, so we needed to find a way to make a living. I didn't know what to do at first, but one day I decided to open a small shop in front of my house. With little money we had, we bought cement, stones, and bricks to build walls, and covered the shop with tin plates. I filled it up with biscuits and packaged foods. Eventually, I began earning enough to put food on the table, but that was about it—I couldn’t progress any further than that."

Many read and follow the lines of the palms,

Real powerful is the one who moves stars!!

(( હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,

ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે ))

Bharatbhai, who lived in Baabar, Amreli, found himself in a situation reminiscent of the lyrics of "Shekhadam Abuwala." His shop was operating as expected, but he believed it could perform better. He thought that by adding more items to his inventory and purchasing a freezer, he could boost his business.

Bharatbhai approached our volunteer, Rameshbhai, to request a loan for a refrigerator, which we granted. He began using the fridge to store milk, curd, buttermilk, and cold drinks. As a result, his business income increased. 

When we met Bharatbhai, he expressed a desire to expand his business further. With a little support, his dreams have grown. We are very pleased to see his progress!

We are pleased to have supported over 9,500 individuals, like Bharatbhai, through the efforts of KRSF and VSSM........

"હીરામાં ઘણા ટેમથી મંદી હાલે, કોરોનાએ પાસુ પડતામાં પાટુ માઈર્યું. અમારી પાહે ખેતી બેતી કાંઈ નો જડે. પેટિયું રળવા કાંક તો કરવું જોવે. હમજાતું નોતું હું કરુ? એક દિ વિચાર આયવો ઘર આગળ નાનકડી દુકાન કરવાનો. થોડા ઘણા પૈસા હતા તે એમાંથી પાણા ને સીમેન્ટ લાવી દુકાન ચણી પતરાથી ઢાંકી દીધી. બે હજારનો સામાન (પડીકા ને બિસ્કીટ) દુકાનમાં ભરાઈવો. રોટલા જોગુ આમાંથી મળવા માંઈડ્યું. હાશ થઈ પણ આટલાથી કાંઈ આગળ નો વધાય."

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,

ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે - શેખાદમ આબુવાલાના આ વાક્ય જેવું જ થયું કાંઈ અમરેલીના બાબરમાં રહેતા ભરતભાઈના કિસ્સામાં થયું. એમની દુકાન એમના કહ્યા પ્રમાણ ચાલતી પણ ઝાઝુ મળતર નહોતું. દુકાનમાં સામાનનો ઉમેરો અથવા ફ્રીઝ લેવાય તો ધંધો વધે એવી એમની લાગણી.

આમારા કાર્યકર રમેશભાઈને ભરતભાઈએ ફ્રીઝ માટે લોન આપવા કહ્યું ને અમે લોન આપી. 

ફ્રીજ આવતા દૂધ, દહી, છાશ, ઠંડાપીણા રાખવાનું એમણે શરૃ કર્યું. હવે દુકાનમાં આવક વધી..

ભરતભાઈને અમે મળ્યા ત્યારે એમણે હજુ પણ ધંધો મોટો કરવાની ખેવના દર્શાવી. એક નાનકડા ટેકાથી એમના સપનાનો વ્યાપ વધ્યાનો રાજીપો..  

VSSM અને KRSF ના પ્રયત્નોથી ભરતભાઈ જેવા 9500 થી વધારે લોકોને પગભર કરવામાં અમે નિમિત્ત બન્યાનો રાજીપો...

Bharatbhai took loan from VSSM to buy freezer

Bharatbhai runs small shop and sells snacks 



With the help of freezer Bharatbhai started storing milk, yogurt,
buttermilk, and cold drinks


VSSM is pleased to bring happiness into the lives of the underprivileged like Kanchanben...

Mittal Patel meets kanchanben and his husband in Dabhan

If we try to find a solution to a problem that seems difficult, the solution will certainly be found. The question is whether we are ready to approach the solution in the way we’ve found it.

Kanchanben lives in the village of Dabhana in the field. Her husband works in a company, and when Kanchanben gets work, she does field labor. However, field labor is not available year-round, and it becomes difficult to manage the household with her husband's earnings. She didn’t know what to do.

The government introduced sewing classes in the village. Kanchanben learned sewing. However, the issue was the sewing machine. She didn’t have enough savings to buy a machine.

Dr. K.R. Shroff Foundation provides loans to families of underprivileged and nomadic communities through VSSM. Kanchanben knew about this. She contacted Rajnibhai, a worker from the organization. She requested a loan of 50,000 to buy a sewing machine along with fabric to sew and sell ready-made dresses, blouses, etc.

Kanchanben’s eyes showed determination and the zeal to work hard. People like her definitely deserve loans. A loan was granted, and today she earns five to seven thousand a month. From her earnings, she saves money and dreams of opening a larger shop.

She also wishes to convince her husband to leave his job, buy an auto-rickshaw, and start an independent business.

When Kanchanben met the respected Pratulbhai Shroff, he became emotional. He said, “I am very happy now. VSSM and KRSF together have helped 9,400 families become independent in business. We are pleased to bring happiness into the lives of the underprivileged."

અઘરામાં અઘરી લાગતી સમસ્યાનું સમાધાન શોધવા કોશીશ કરીએ તો સમાધાન મળે જ. મુદ્દો આપણે સમાધાન શોધી તે પ્રમાણે કરવા તૈયાર છીએ કે કેમ તે...

ખેડાના ડભાણ ગામમાં કંચનબેન રહે. પતિ કંપનીમાં નોકરીએ જાય ને કંચનબેન ખતમજૂરી મળે તો એ કરે. પણ ખેતમજૂરી બારે મહિના મળે નહીં ને પતિની કમાણી પર ઘર ચલાવવામાં તકલીફ પડે. શું કરવું એ સમજાતું નહોતું.

ગામમાં સિવણના વર્ગો સરકારે શરૃ કરાવ્યા. કંચનબેન સિવણ શીખ્યા. પણ મુદ્દો મશીનનો હતો. બચત એટલી હતી નહીં કે એ મશીન ખરીદી શકે.

 ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તકવંચિત અને  વિચરતી જાતિઓના પરિવારોને VSSM ના માધ્યમથી લોન આપી ધંધો કરતા કરે એ કંચનબેન જાણે. એમણે સંસ્થાના કાર્યકર રજનીભાઈનો સંપર્ક કરી. સિલાઈ મશીનની સાથે સાથે કપડુ ખરીદી તૈયાર ડ્રેસ,બ્લાઉઝ વગેરે સીવી વેચવા 50,000 લોનની માંગણી કરી.

નિષ્ઠા અને મહેનત કરવાની ધગશ કંચનબેનની આંખોમાં દેખાતી હતી. આવા વ્યક્તિઓને લોન આપવાનું તો કરવું જ પડે. લોન આપી ને આજે હવે એ મહિને પાંચ સાત હજાર કમાતા થઈ ગયા. એમની કમાણીમાંથી એ બચત કરે ને મોટી દુકાન નાખવાનું એ સ્વપ્ન સેવે. 

એમના પતિને પણ નોકરી છોડાવી રીક્ષા લઈ એ સ્વતંત્ર ધંધો કરતા થાય એવી એમની ઈચ્છા છે.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફને જ્યારે કંચનબહેન મળ્યા ત્યારે એ ભાવુક થયા. એમણે કહ્યું, મને અત્યાર ઘણું સુખ છે. VSSM અને KRSF એ મળીને અત્યાર સુધી 9400 પરિવારોને સ્વતંત્ર ધંધો કરતા કર્યા. તક વંચિતોના જીવનમાં સુખ આપી શક્યાનો અમને રાજીપો..



Kanchanben took loan from VSSM under its Swavlamban
initiative

Mittal Patel and Shri Pratulbhai Shroff were pleased after
they meet Kanchanben

Kanchanben becomes emotional with
Shri Pratulbhai shroff