Friday, 29 May 2015

Training Workshop For Bhavai Performers by VSSM

VSSM organising a training workshop to bring  Bhavai to its original form….

Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai
Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai
Bhavai- an ancient and traditional folk theatre form of our culture stands on the threshold of extinction. The creator of Bhavai Shri.  Asaita  wrote  365 plays orVeshas,  one for each day of the year.  In the older days these plays played an integral role in imparting education to the communities. However, the Bhavaiyas or the Bhavai Performers are gradually drifting from the original form of Bhavai by incorporating some modern touches to the form.  

Vicharta Samuday Samarthan Manch - VSSM has been working with the Bhavaiyas for many years now,  striving to  revive this folk theatre to its original glory. As a part of this endeavour we are organising  a 7 days training workshop for the Bhavai performers,  from  29th May until 5th June at the VSSM office in Ahmedabad. We are planning to have a Bhavai show in its original avatar on the last day of the workshop i.e. on the 5th June 2015.  

We invite you all to be part of the opening ceremony on 29th May 2015, 6 PM as well as the Bhavai performance on 5th June 2015. 

In the picture - Mahakali Bhavai Mandal of Surendranagar performign Bhavai….


ભવાઈ આપણી પરંપરાગત લોકકલા આજે નામશેષ થવાના આરે ઉભી છે.. ભવાઈ વેશના રચઈતા અસાઈત દ્વારા ૩૬૫ દિવસના ૩૬૫ વેશ લખાયા અને બધા જ વેશ થકી લોકશિક્ષણનું કામ થયું. પરંતુ, ધીમે ધીમે મૂળ વેશથી ભવાયા વિમુખ થયા અને જુદા જુદા નાટક ભજવતાં થયા. 

vssm ભવાયા સમુદાય પોતાની મૂળ પરંપરાપ્રમાણે ભવાઈ કરે તે દિશામાં પ્રયત્નશીલ છે. તા.૨૯ મે ૨૦૧૫ના રોજ ૨૪ ભવાઈ કલાકારો સાથે ૭ દિવસીય શિબિરનું આયોજન vssm કાર્યાલય, સદવિચાર પરિવાર કેમ્પસ, ઇસરોની સામે, અમદાવાદ -૧૫ મુકામે આયોજિત કર્યું છે. તા.૫ જુન ના રોજ સાંજના ભવાઈનો અસલ જુનો વેશ ભજવાય તેનું આયોજન કરીશું.. તા.૨૯ મી સાંજે ૬ વાગે શિબિરના ઉદઘાટન કાર્યક્રમમાં અને ૫ જુને સાંજે અસલ ભવાઈ જોવા સૌને આમંત્રણ... 

ફોટોમાં પરંપરાગત ભવાઈ ભજવતું સુરેન્દ્રનગર જીલ્લાનું મહાકાલી ભવાઈ મંડળ

Tuesday, 19 May 2015

VSSM's Dream To Make Meer Community Self Reliant

Our  dream to make the Meer community self-reliant...

A Meer Communty Male in front of his House with items he makes with livelihood help from VSSM
Imaambhai A Meer Communty Male in front of his House
with items he makes with livelihood help from VSSM
The Meer families of Jantanagar Ahmedabad, extremely  hard working yet unable to break free of the cycle of poverty. These Meer Communities Families earn living by making and selling decorative and enhancements articles  for trucks. When the days  aren’t good and business is hard these families sell the stuff at very low prices often incurring losses. Imaambhai suffered losses doing just that. Completely broke he had no money on hand  to buy raw materials required to make  new articles, he did not know his neighbours well enough to ask their financial help while the other Meer families around him were sailing on the same boat hence asking their help was absolutely out of question. Running out of options  he decided to make trip to Rajasthan and borrow Rs. 5000 from a relative there. 

VSSM’s  Chayaben got to know about this development. Chayaben is a teacher at one of the VSSM Bridge School in the area. She spoke to Imaambhai and convinced him that it was illogical to go all the way to Rajasthan for a mere Rs. 5000, spending Rs. 1000  on travelling that distance. She recommended Imaambhai takes a loan of Rs. 5000 from VSSM which he can gradually pay back. Imaambhai accepted the recommendation and took a loan from VSSM. The money helped him buy raw material to make new set of decorative articles. A new rhythm of selling new articles and buying raw material is in place now, the money keeps rotating, the EMIs are paid regularly with just the last one remaining.  

Chayaben has worked very closely with these Meer Families, she has experienced their pain and cheer hence feels, “these Meers A Nomadic Community need to change their business, making and selling such decorative articles cannot take them further in life, its just enough to sustain them not take them forward.” She spoke her heart to the community,  Imaambhai’s son Farookbhai and Bhurabhai  also from the settlement  understood the intent of Chayaben’s concern. They picked up new trades - we shall write on that in detail in future posts. Its the mutual faith and trust that is working wonders here. To trust them, loan them money when others shy away from them and be part of their progress ….. is how VSSM chooses to work with these nomadic communities, a strategy that is bringing some brilliant results. It is truly an achievement for all associated with Vicharta Samuday Samarthan Manch - VSSM

In the picture - Imaambhai in front of his house, with the items he makes..


મીર પરિવારોને પગભર કરવાનું સ્વપ્ન...

જનતાનગર – અમદાવાદમાં રહેતાં મીર પરિવારો ટ્રક શણગારવાનો સામાન બનાવીને વેચે. મહેનત ખુબ અને મળતર ઝાઝું નહિ.. ક્યારેક સાંજ સુધી ધંધો ના થાય તો ખોટ ખાઈને પણ સાંજનો ચૂલો સળગે એટલો સામાન વેચી દે. આવામાં ઈમામભાઈને ખોટ આવી ગઈ. પાસે પૈસા પણ ખાસ ના રહ્યા કે, જેને લઈને નવો સામાન લાવે.. જ્યાં રહે ત્યાં કોઈ ઓળખે નહિ કે એની પાસેથી પૈસા મળે.. અન્ય મીર પરિવારોની હાલત પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી આમ કોઈ પાસે મદદ પણ કેમ મંગાય? છેવટે રાજસ્થાનમાં એમના સગાવહાલાં રહે છે એમની પાસે રૂ.૫,૦૦૦ વ્યાજવા લેવા જવાનું નક્કી કર્યું.. 

મીર પરિવારોના બાળકોને ભણાવવાનું કામ કરતા છાયા બહેનને ઈમામભાઈની આ સ્થિતિનો ખ્યાલ આવ્યો એમણે ઈમામભાઈને રૂ.૫૦૦૦ લેવા રાજસ્થાન ના જવા સમજાવ્યા.. એમણે કહ્યું, ‘રાજસ્થાન જવાનાં ભાડામાં જ રૂ.૧૦૦0 જતા રહેશે. એના કરતાં vssm તમને રૂ.૫૦૦૦ લોન પેટે આપશે તમે ધીમે ધીમે પરત કરજો..’ અને આપણે રૂ.૫૦૦૦ની લોન ઈમામભાઈને આપી જેમાંથી ટ્રક શણગારવાનું રો મટીરીયલ એ લાવ્યાં. ઘરે બેસીને એમાંથી બધી વસ્તુ બનાવી અને વેચવાનું કરવા માંડ્યા.. પછી તો સામાન લાવે, વસ્તુ બનાવે અને વેચે.. ઘર ચાલી જાય અમે vssmની લોનના હપ્તા પણ ભરાય હવે તો છેલ્લો એક જ હપ્તો બાકી છે..
પણ છાયાબહેન આ બધા મીર પરિવારોની સતત ચિંતા એ કહે છે એમ, ‘રેડીયમના ધંધામાં મળતર ખાસ નથી રોજે રોજના રોટલા નીકળે બાકી આગળ ના વધાય. મીર પરિવારોએ ધંધા બદલવા પડે..’ અને છાયાબહેન એમની આ હકીકતોની ગણતરી કરીને એમને સમજાવવામાં લાગી ગયાં. વસાહતમાંથી ઈમામભાઈના દીકરા ફારુકભાઈએ અને વસાહતમાં રહેતાં ભુરાભાઈએ છાયાબહેનની વાતમાં શ્રધ્ધા દાખવી નવા વ્યવસાય કર્યા સારું કમાય છે એમની વાત આગળ જણાવીશું.

Thursday, 14 May 2015

Livelihood Generation Training for Nomadic Communities Women by VSSM

202 women receive training on tailoring….

Livelihood Generation Tailoring Training for Nomadic Communities Women by VSSM
Livelihood Generation Tailoring Training for
Nomadic Communities Women by VSSM
A tailoring training program for  around 202 women from various Nomadic Communities staying in Ahmedabad was recently conducted in partnership with ATIRA and Sadvichar Trust. 23 women from this group have applied for loan to purchase  industrial tailoring machines. We approached and requested The Kalupur Commercial Cooperative Bank to support them, to which the bank has loaned Rs. 15,000 each. The recipients  are trying to find  work and their efforts are gradually bearing some positive results. We are hopeful that as we facilitate their efforts,  soon all of them will find work to support their families. 

This blog is proving to be a good medium for us to share with you the  joys our combined efforts are bringign We shall keep you posted on the progress they make as

A Nomadic Community woman Tejaben after Livelihood Generation Training by VSSM
A Nomadic Community woman Tejaben after
Livelihood Generation Training by VSSM
In the picture Tejaben who has taken a loan from Kalupur Bank and the training,  that took place at various places in Ahmedabad, in progress…



વિચરતી જાતિની ૨૦૨ બહેનોને સિલાઈ ની તાલીમ આપવામાં આવી...

અમદાવામાં રહેતી વિચરતા સમુદાયોની ૨૦૨ બહેનોને vssmની મદદથી અટીરા અને સદવિચાર પરિવારના સહયોગથી  વિવિધ સ્થળોએ સીવણકામની તાલીમ આપવામાં આવી. આ બહેનોમાંથી ૨૩ બહેનોએ પોતાના ઘરે ઇન્ડસ્ટ્રીયલ ટેલરીંગ મશીન ખરીદવા માટે લોનની માંગણી કરી. આ બધી બહેનોને કાલુપુર બેંક દ્વારા લોન મળે એ માટે એ માટે બેંકમાં વિનંતી કરી અને એમને રૂ.૧૫,૦૦૦ ની લોન બેંક દ્વારા આપવામાં આવી. આ બહેનો કામ મળે એ માટેના પ્રયત્ન કરી રહી છે. ઘણી બહેનોનું કામ ગોઠવાઈ ગયું છે તો કેટલાક પ્રયત્ન કરી રહ્યા છે. 
આ બધું કામ પોતાની મેળે ગોઠવાતું જાય છે અમે નિમિત બનતા જઇયે છીએ.. અને બ્લોગના આ માધ્યમથી નિમિતનો આનંદ આપની સાથે વહેચવાનો અમને અવસર મળે છે... 
ફોટોમાં અમદાવાદના વિવિધ સ્થળે થયેલી તાલીમમાં સિલાઈ કામ શીખી રહેલી બહેનો અને કાલુપુર બેંકની મદદથી લોન લીધેલા તેજા બહેન

Wednesday, 6 May 2015

Livelihood Generation For Nomadic Gadaliyaa Community Women by VSSM Initiative

A Nomadic Tribes - Gadaliyaa Community Family
A Nomadic Tribes - Gadaliyaa Community Family
Some fundamental guidance, very simle changes in lifestyles and some amazing results in lives of these nomadic Gadaliyaa women……..

To understand this case-story a bit of a history first..……..


After suffering a bitter defeat from Akbar, Maha Rana Pratap left Chittodgadh and so did his loyal men.  Amongst them were the Gadaliya.  The Gadaliya were part of the royal army.  Mana Rana Pratap had vowed to return to Chittodgadh only after he won it back from the Moguls. But this was never to happen as he died soon after and the Gadaliya who had left their homeland never returned back to Marwar. The Gadaliya moved on carts or gada from which their name derives- with the army and were responsible of carrying the required logistics material for sustaining the armies during the war times.  They would set up tents and make or repair the weapons on site. In fact, they were the in-house ironsmiths. After the death of their beloved king the Gadaliyaa Community scattered away. Rajasthan has huge population of this community, where they are known as Gadariya or Gadi Luhar.  They got engaged in making household tools,  agricultural tools, kitchen tools etc.  which required them to travel from village to village.
A Nomadic Gadaliyaa Community Women
A Nomadic Gadaliyaa Community Women 
During the monsoon months the community would have their settlement with the Vanzaras and hence they have picked up lot of their trade skills. These days they have their hands in lot of different trades. Buying and selling bullocks is a trade these community was skilled at. . But with the usage of tractors increasing in agriculture the demand for bullocks has decreased considerably. Along with trading bullocks they hand craft iron tools used for farming and some house-hold usage, they are skilled ironsmiths so many families had continued with this ancestral occupation. The Gadaliyaa in Gujarat are  engaged with either of the trades these days. 
Many Gadaliya families reside in Rajkot’s Ghanteshawar. Their occupation- making and selling tools made from iron. Very hard working but still could barely manage to make ends meet. Sort of daily wage earners who made just enough to buy daily ration. VSSM has been instrument in bringing Voter ID cards to these families just before the previous Loksabha elections. Infact 3,500 nomadic  individuals were allotted Voter ID cards because of VSSM’s efforts partnered with the unflinching support of Gujarat’s Chief Electoral Officer Ms. Anita Karwal. 
Gadaliyaa Community Woman with Livelihood Generation by VSSM
Gadaliyaa Community Woman with Livelihood Generation by VSSM
Kanubhai, VSSM’s team member of rat region,  remains in constant touch with these families. He could very well sense the everyday challenges of these families. With limited money on hand they couldn’t buy enough raw material (tin sheets), the suppliers always gave them retail rather than wholesale rates. Tongs, serrated ladles, flat ladles, stoves, sieve are some of the products made by the Gadaliyaa.  They roam village to village to sell these kitchen tools,at times the merchants would buy these products from them but at a wholesale rate. Shrewd businessmen!!  can’t sell at wholesale price but can always buy at wholesale rate. Whenever the Gadaliyaa asked for good price,  they argued, buy the raw material in bulk (substantial amount) and we shall offer you wholesale price. Buying  material in  bulk requires  decent amount of investment which these families  never have. They do not  earn enough to be able to save for the rainy day. 

A Nomadic Gadaliyaa Man with
Income Generation  by VSSM
VSSM decided to extend support to 3 Gadaliyaa Women A Nomadic Tribes of Gujarat Panetarben, Ehsanben and Sevakramben. All these three women are widows. A loan of Rs. 10,000 each was given to these women. VSSM’s Kanubhai helped them sort out their schedule and finances, managing this amount wasn’t easy for them. First he asked them to busy groceries of Rs. 2,000/- each. Food in the house meant no need to go out to sell the stuff on daily basis (which they did earlier for the need to buy food).  With the rest of the  money they bought tin sheets at wholesale rate and all the other stuff needed to begin manufacturing. It was decided to not go and sell stuff until  substantial numbers of items have  been made.  If the  merchants wanted  stuff at a wholesale rate  prices for the same were fixed as well.  

Right now these women are busy making products that will fetch them good rates. The y are hopeful  things will workout well. As Ehsanben says, “Kanubhai has guided us a lot, earlier we would go out to sell products everyday, our spending on commute was also very high, now we save that money, we have also revised our pricing, we are saved from the tedious job of everyday selling. No more are we required to worry about how to keep the kitchen firs bring as there is enough food in the house. Once we start selling he money will begin to roll in. We will bring some more raw material from it, pay the instalment, bring groceries and begin to save for future.  Nobody had ever taught how to manage and plan in such a manner.” 

Normally, we write about individuals  who have been supported by VSSM once some radical change is observed  in their lives. But we felt the need to share this story with you as it reflects how simple and basic guidance can bring  such major change in the lives of people living on the margins, people who are constantly pushed to the end just because they haven’t picked up the tricks of the trade. But its their inherent wisdom accompanied by the astute guidance of VSSM team that is bringing a gradual change in their lives………..

કેટલી નાની વાત પણ એમની સાથે બેસી એમને સમજાવીએ તો કેટલા અદભૂત પરિણામો મળી શકે

ગાડલિયા સમુદાયનો મૂળ વ્યવસાય લોખંડના ઓજારો બનાવવાનો અને ગામે ગામ ફરીને વેચવાનો. ખેતીમાં જરૂરી બળદો વેચવાનું કામ પણ આ પરિવારો કરતાં. બળદો ખરીદીને એને એવા સરસ શણગારી - તૈયાર કરીને વેચવાનાં. બળદ વેચવાની સાથે સાથે તેઓ ખેતી કામમાં વપરાતા ઓજારો વેચવાનું કામ પણ કરતાં. પણ ખેતી માટે હવે ટ્રેક્ટરનો ઉપયોગ ખુબ થવા લાગ્યો છે. એટલે બળદથી ખેતી કરવાનું પ્રમાણ ખુબ ઘટી ગયું છે. તેઓ ખેતીના ઓજારો બનાવવાનું કરતાં આજે કેટલાંક એ કામ પણ કરે છે પણ ઘણા પરિવારો હવે ઘર વપરાશમાં વપરાતી લોખંડની વસ્તુ બનાવીને વેચવાનું કરે છે. મહારાણા પ્રતાપના વફાદાર એવાં ગાડલિયા મૂળ રાજસ્થાનના વતની પણ રાણાપ્રતાપે અકબર સામેની લડાઈ વખતે ચિતોડગઢ છોડ્યું એમની સાથે એમની વફાદાર પ્રજાએ પણ ચિતોડગઢ છોડ્યું. ગાડલિયા એમાંના એક હતાં. રાજસ્થાનમાં એમની ઘણી મોટી વસ્તી છે ત્યાં ગાડરિયા કે ગાડી લુહાર તરીકે તેઓ ઓળખાય છે. ગુજરાતમાં પણ એમની વસ્તી ઘણી છે.
રાજકોટના ઘંટેશ્વરમાં... ગાડલિયા પરિવારો વર્ષોથી રહે. આ પરિવારો  પોતાનો પરંપરાગત વ્યવસાય લોખંડમાંથી ઘર વપરાશના સાધનો બનાવીને વેચવાનું કરે. આ પરિવારો ખુબ મહેનતુ. ખુબ કામ કરે છતાં બે ટંકનો રોટલો નિયમિત ભેગો કરવો મુશ્કેલ થઇ જાય. રોજે રોજ પાંચ રૂપિયાનું તેલ. બે રૂપિયાનું મરચું એમ છૂટક સામાન લાવીને રાંધવાનું. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારો સાથે કામ કરે. ગત લોકસભાની ચુંટણી વખતે રાજકોટમાં રહેતાં વિચરતાં પરિવારોના આશરે ૩,૫૦૦ લોકોને vssmના કારણે અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અનિતાબહેન કરવાલની મદદથી મતદારકાર્ડ મળ્યાં. જેમાં આ ગાડલિયા પરિવારને પણ કાર્ડ મળ્યા હતાં. હવે એમનાં રોજબરોજના પ્રશ્નો સમજવાનું પણ થતું. રૂ.૨૦૦૦ કે ૩૦૦૦ની સગવડ થાય એટલે આ પરિવારો લોખંડનું પતરું લઇ આવે અને એમાંથી ચુલા, ઝારા, ચારણી, તાવેતા, ચીપિયા વગેરે જેવા સાધનો બનાવીને ગામડાંઓમાં ફરીને વેચે કેટલીક વખત તો દુકાનદારો એમની પાસેથી હોલસેલમાં સામાન ખરીદી લે. પણ સરવાળે ખુબ મોંઘુ પડતું. એ જે સામાન લાવતા એ એમને હોલસેલમાં ના મળે અને વેચવાનું હોલસેલમાં? પણ વેપારી કહે, ‘તમે એક સામટો સામાન ખરીદો તો હોલસેલના ભાવે આપું. હવે એકસામટો સામાન ખરીદવા ફદિયા તો જોઈએ ને? વળી બચત તો જીંદગીમાં ક્યારેય કરેલી નહિ. એટલે પાસે મૂડી હોય એમ પણ ના બને. આપણે ત્રણ વ્યક્તિને (૧) પાનેતરબહેન (૨) અહેસાનબહેન અને (૩)સેવકરામને લોન આપવાનું નક્કી કર્યું. બન્ને બહેનો વિધવા છે. પ્રત્યેકને રૂ.૧૦,૦૦૦ની લોન આપી. અલગ અલગ ગણીએ તો રૂ.૧૦,૦૦૦ અને ભેગા ગણીએ તો રૂ.૩૦,૦૦૦ થયાં. એમાંથી કનુભાઈએ એમને આયોજન શીખવ્યું. પ્રત્યેક પરિવારના ઘરમાં રૂ.૨,૦૦૦ નું કરિયાણું ભરાવ્યું. જેથી સામાન બનાવીને રોજે રોજ વેચવા જવાની ઝંઝટ ના રહે અને શાંતિથી કામ થઇ શકે. એ પછી ૨૪,૦૦૦ માંથી લોખંડના પતરાં ફોટોમાં દેખાય છે એ અને જરૂરી હાથા, રીવેટ વગેરે પરચુરણ સામાન હોલસેલના ભાવે ખરીદાવ્યો અને કામ શરુ કરાવ્યું. જ્યાં સુધી ૧૦ થી ૧૫ની સંખ્યામાં સામાન તૈયાર ના થાય ત્યાં સુધી વેચવા નહિ જવાનું અને વેપારીને જથ્થાબંધમાં જોઈએ તો એનો પણ ભાવ- તાલ કરવાનું નક્કી કર્યું. હાલમાં બધા જ પરિવારો સામાન બનાવવામાં વ્યસ્ત છે.. સારું પરિણામ મળશે એવી આ પરિવારોને આશા છે. અહેસાન બહેન સાથે જયારે વાત થઇ ત્યારે એમણે કહ્યું, ‘અમે રોજ માલ બનાવીને વેચવા જતા એની જગ્યાએ ૮ દિવસથી સામાન બનાવી રહ્યા છીએ. ઘરમાં ખાવા છે એટલે રોજ વેચવા જવાની માથાકૂટ નથી. એટલે રોજે રોજનું ભાડું પણ બચે છે. બસ બે દિવસમાં બધો સામાન થઇ જશે પછી વેપારી પાસે જ જઈશ. સારો ભાવ આપશે તો એને જ વેચી દઈશ અને એમાંથી બીજો સામાન અને કારીયાણું ભરાવી દઈશ. લોનના હપ્તાની રકમ એક બાજુ રાખીશ. થોડી બચત પણ કરવી છે.. અમને કોઈએ વ્યવહાર શીખવાડ્યો જ નહોતો એટલે આ બધું સમજાતું નહોતું પણ કનુભાઈએ સારું સમજાવ્યું..’
આમ તો vssm દ્વારા જેમને લોન આપવામાં આપવામાં આવે છે એમનો વ્યવસાય બરાબર ચાલે પછી જ અમે એમનાં વિષે લખીએ જેથી અમને પણ એમની રોજિંદી જીન્દગીમાં આવેલા બદલાવ વિષે ખ્યાલ આવે પણ ફોટોમાં દેખાય છે એ વ્યક્તિઓ વિષે શરૂઆતથી જ લખવાનું જરૂરી લાગ્યું.. કેટલી નાની વાત છે પણ એમની સાથે બેસી એમને સમજાવીએ તો કેટલા અદભૂત પરિણામો મળી શકાતા હોય છે એનો આ દાખલો છે..
ફોટોમાં સામાન બનાવી રહેલાં ત્રણે પરિવાર..અને એ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે

Monday, 27 April 2015

VSSM Support Nomadic Communities for Livelihood - Hameerbhai Vansfoda's story

Hameerbhai Vansfoda from Nomadic Communities with his goods
Hameerbhai Vansfoda from Nomadic Communities with his goods 
VSSM supports Hameerbhai Vansfoda’s new venture of selling household plasticware….

Hameerbhai Vansfoda  a skilled bamboo basketmaker cannot afford to make baskets anymore- reason the increasing cost of bamboo is making it difficult for him to source bamboo and keep the prices of his products reasonable….hence he is left with no choice  but to search for alternate means of livelihood. Hameerbhai is a resident of Ludra village of Diyodar block. He stays on the government wasteland. 

Like Hameerbhai,  thousands of nomadic families are being forced to reinvent their livelihood options. The changing markets, production techniques, new forest  and  wildlife laws, modern means of entertainment etc have had negative impact on the traditional occupations of these nomadic communities who were so dependent on their inherent skills that they never felt the need to pick any other skills.  In the present times this need to search new vocations is more pressing than ever. 

Hameerbhai was familiar with the activities of VSSM, the organisation that facilitated the process of his Antoday ration card and ensured that his name entered the BPL list. Hameerbhai desired to start his own business of selling plastic buckets, tubs, baskets, stools and other household plasticware. But the venture required capital investment that he did not have. He proposed for a loan to VSSM. A loan of Rs. 30,000 was granted by VSSM and Rs. 15,000 Hameerbhai borrowed from his friend. With the money he bought enough plasticware to be sold by the husband-wife duo. They began with selling the good around Diyodar and later expanded their area to Himmatnagar and Vijapur. The sells are brisk and profit is good compare to the bamboo products.  The couple is really working hard to change its fate. Their elder son and his wife look after the rest of their children who are studying in Ludra village. 

The Vicharta Samudaay Samarthan Manch – VSSM team has also eased out Hameerbhai's tension of paying instalments. Earlier Hameerbhai had to come all the way to Diyodar to pay his instalment but Naranbhai worked out an option that he either directly deposits the amount in VSSM account which he refused as it wasn’t a comfortable option for him or every month  he gives the amount to VSSM’s Vijapur team member Tohid, the option that has worked out fine.  

વાંસ મોંઘો થતાં સુડલા ટોપલા બનાવતા હમીરભાઈ હવે પ્લાસ્ટીકના તબકડા, ડોલ લાવીને વેચવાનો નવો વ્યવસાય શરુ કર્યો..

ગુજરાતમાં વિચરતી જાતિની યાદીમાં સરકારે ૨૮ જાતિઓનો સમાવેશ કર્યો છે. આ દરેક જાતિઓના પરંપરાગત વ્યવસાય જુદા જુદા.. જેમ કે કાંગસિયા માથું ઓળવાની કાંસકી બનાવીને વેચે, ઘંટિયા ઘંટી ટાંકવાનું અને વેચવાનું કરે, ઓડ માટીના ઘર બનાવવાનું કામ કરે, વાંસફોડા વાંસમાંથી સુડલા-ટોપલા બનાવે. નટ અંગ કસરતના ખેલ કરે.. દરેકે દરેકે જાતિઓની આવી અલગ અલગ વિશેષતા અને એના આધારે તેઓ નભે. પણ બદલાતી સમાજ વ્યવસ્થામાં આ વ્યવસાયો પડી ભાંગ્યા છે. આવામાં નવા વ્યવસાય તરફ એમને વાળવા અત્યંત આવશ્યક છે. નવા વ્યવસાયોની તાલીમની સાથે સાથે જરૂરિયાત પ્રમાણે વગર વ્યાજની લોન નવા વ્યવસાય માટે આ પરિવારોને મળે એ દીશામાં vssm પ્રયત્નશીલ છે. જે અંતર્ગત દિયોદર તાલુકાના લુદ્રાગામમાં રહેતાં હમીરભાઈ વાંસફોડાવાદીને લોન આપવામાં આવી.

હમીરભાઈ લુદ્રાગામની સરકારી પડતર જગ્યામાં રહે. પરંપરાગત વ્યવસાય વાંસમાંથી સુડલા અને ટોપલા બનાવવાનો કરે પણ એમાં ખાસ મળતર મળે નહિ. વાંસ મોંઘો થઇ રહ્યો છે.. પણ બીજો વ્યવસાય કરવા પૈસા નહિ. એટલે ના છૂટકે જે મળે એનાથી સંતોષ મેળવીને આ વ્યવસાય કર્યા કરે. 

દિયોદર તાલુકામાં વિચરતા પરીવારો સાથે આપણે જે કામ કરીએ છીએ એનાથી હમીરભાઈ પરિચિત. એમનું પોતાનું અંત્યોદય રેશનકાર્ડ અને એમનું BPL યાદીમાં નામ આવે એ માટે આપણે જ પ્રયત્ન કરેલો અને એ સફળ પણ રહ્યો. આપણે કેટલાક પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે લોન આપેલી એ
હમીરભાઈ જાણે. પોતાને પ્લાસ્ટીકના તબકડા, બેસવા માટેના પાટલા, ડોલ, ટબ વગેરે વેચવાનો વ્યવસાય કરવાનું મન. પણ પાસે બચત નહિ એટલે કરી શકે નહિ. આ અંગે vssm પાસેથી લોનની માંગણી કરી. રૂ.૩૦,૦૦૦ આપણે આપ્યા અને બીજા રૂ.૧૫,૦૦૦ એમણે એમનાં મિત્ર પાસેથી લીધા અને ફોટોમાં દેખાય છે એ સામાન લાવ્યા અને વેચવા માટે પતિ –પત્ની બન્ને દિયોદર આસપાસમાં ફરવા માંડ્યા. ધંધો સારો ચાલવા માંડ્યો.. વધારે સામાન ભેગો કરી હિંમતનગર અને વિજાપુર તરફ નીકળી ગયા. હાલમાં પણ એ વિજાપુર આસપાસના વિસ્તારમાં જ ધંધા અર્થે વિચરણ કરે છે. એમનો વ્યવસાય પણ સારો ચાલે છે. વાંસ કામમાં મળતર ખુબ જ ઓછું હતું પણ નવા વ્યવસાયમાં સારું મળે છે જેનો એમને સંતોષ છે. 
હમીરભાઈ સતત વિચરતા રહે આવામાં vssmની લોનની માસીક હપ્તાની રકમ ચુકવવાની થઈ એટલે છેક દિયોદર પરત ગયા અને  રૂ.૨૦૦૦ હપ્તા પેટે આપ્યા. ધંધા વિષે વધારે પૂછતાં નારણને ખ્યાલ આવ્યો. કે હમીરભાઈ ફક્ત હપ્તો આપવા છેક વિજાપુરથી દિયોદર આવ્યા છે. એણે હમીરભાઈને કહ્યું, લોનની રકમ આપવા તમારે છેક અહિયાં આવવું એના કરતા તમે vssmના બેંકના ખાતામાં જમા કરાવી દો તો? વિગતો હું આપું. પણ હમીરભાઈએ ના પાડી , ‘એ મને ના ફાવે’ તે પછી vssmના વિજાપુરના કાર્યકર તોહીદ સાથે નારણે એમની વાત કરાવી અને હવેથી હપ્તાની રકમ તોહીદભાઈને આપવાનું ગોઠવી આપ્યું.. પતિ-પત્ની બન્ને ખુબ મહેનત કરે છે બાળકો લુદ્રાગામમાં જ રહીને ભણે છે મોટો દીકરો અને એની પત્ની ઘરનો કારભાર સંભાળે છે.. 
ફોટોમાં નવા વ્યવસાય સાથે હમીરભાઈ અને એમના ભાઈ જેઓ વાંસ પર કામ કરે છે.     

Friday, 24 April 2015

Livelihood Generation Opportunities for Bajaniya - Nomadic Family by VSSM

Desired livelihood means altered  lives for good….

A VSSM Initiative in the direction of making selfreliant the Nomadic families
If Bachubhai Bajaniya had his way all he would do is  immerse himself in a business of selling cosmetics and imitation jewellery. But with severe lack of funds that was a distant dream. Instead he had earn his living by working as a manual labourer. But whenever he had the opportunity,  meaning  enough money, he would buy some stuff from the town of Patdi and  sell it in his village Vanod and its neighbouring villages. Babubhai’s wife Ragiben too has knack and skill to do business but its difficult of both of them to be in the same job since one was required to earn the daily income. 

Vicharta Samudaay Samarthan Manch - VSSM decided to support them with a loan of Rs 10,000. The amount was their revolving fund. With this money Bachubhai brought products and material from wholesale market. It gave them the power to negotiate with the wholesale merchants. Earlier Bachubhai with very limited savings Bachubhai was required to buy goods at retail rate hence making more profit wasn’t possible for him. These days the husband-wife duo sets out in different villages and does brisk sales. The profit is good  and since they  now buy in regular basis the merchants know them and gives them good price. 

With the double income they now can manage to save some amount.  Ragiben’s income is deposited in bank which is later used to buy goods and material while Bachubhai income is used to run the household. Now the couple does not need to go and work as manual labour. As Bachubhai says, “ I can understand that if one has no other relevant skills working as manual labour is the only option left, but I have skills to do business and am sure those skills would eventually  make me successful but it is very frustrating when one has to work as a labourer just because he/she has not capital required to do some business, working as a daily wage earner it isn’t possible to save even Rs. 5,000.”

Rs. 10,000 may seem a small amount but for individuals like Bachubhai Bajaniya a Nomadic Tribes it leaves a profound impact and helps drastically change their lives for better. 

Bachubhai now dreams of education his youngest son all the way and marry him at a later age deciding not to repeat the mistakes he made with his elder two sons……...  

વિચરતા પરિવારોને પગભર કરવાની દીશામાં vssmની પહેલ...
બચુભાઈ બજાણિયા સુરેન્દ્રનગર જીલ્લાના દસાડાતાલુકાના વણોદગામમાં રહે. શૃંગાર પ્રસાધનો વેચવાનું એમને સૌથી વધુ ફાવે અને ગમે. પણ મૂડી રોકાણ કરી શકે એવી આર્થિક ક્ષમતા નહિ. એટલે મજૂરી કરે અને રૂ. ૧૦૦0 કે રૂ.૨૦0૦ ભેગા થાય એટલે પાટડી જઈને સામાન ખરીદી લાવે અને વેચે. આમ તો બચુભાઈના પત્ની રાગીબહેનને પણ આ બધું ફાવે પણ બંને જણ ધંધો કરી શકે એવું પૈસાની મુશ્કેલીના કારણે શક્ય ના બને. 

આ પરિવારને vssmમાંથી રૂપિયા ૧૦,૦૦૦ની લોન આપી. જેમાંથી તેઓ એક સામટો સામાન લાવ્યા અને ગામડામાં ફેરી કરીને વેચવા માંડ્યા. પતિ-પત્ની બન્ને જુદા જુદા ગામોમાં જઈને વેપાર કરે. રાગીબહેનની આવક બેંકમાં જમા કરે અને બચુભાઈની આવકમાંથી ઘર ચાલે. સામાન ખરીદવાની જરૂર પડે એટલે રાગીબેનની બચતમાંથી સામાન ખરીદાય.. હવે મજૂરી કરવા જવું નથી પડતું. 

આમ તો રૂ.૧૦,૦૦૦ ખુબ નાની રકમ કહેવાય પણ નાના નાના વ્યવસાય કરવાવાળા વિચરતા પરિવારો માટે તો આ રકમ પહાડ જેવડી મોટી છે. બચુભાઈ કહે છે એમ, ‘કંઈ આવડત ના હોય તો ઘર ચલાવવા મજૂરી કરવી પડે એ તો સમજાય અને એ કરવું પણ પડે પણ મારી તો આવડત છે પૈસા હોય તો હું ખુબ સારો ધંધો કરી શકું પણ મૂડી ના હોય અને વળી પાછું મન પણ સામટી મજૂરી કરીને પૈસા ભેગા કરવા તૈયાર નહિ. એટલે ૫૦૦ -૧૦૦૦ ભેગા થાય એટલે પાટડી ઉપડી જાઉં અને જે સામાન આવે એ લઇ આવું અને વેચું. પણ આટલા પૈસામાં મને કંઈ હોલસેલના ભાવે વેપારી સામાન ના આપે. વળી નિયમિત લેતો હોવું તો જુદી વાત હતી પણ એમ પણ નહોતું. પણ હવે સંસ્થાના કારણે બધું ગોઠવાઈ રહ્યું છે.’ બચુભાઈના બે મોટા દીકરા પરણીને અલગ રહે છે અને છૂટક મજૂરી કરે છે. જયારે નાનો દીકરો ધો.૧૦માં અભ્યાસ કરે છે જેને ખુબ ભણાવવાની બચુભાઈની ઈચ્છા છે. આમ તો બજાણીયા સમાજમાં બાળલગ્નનું પ્રમાણ પણ છે પણ અભ્યાસ કરી રહેલા દીકરાના નાની ઉંમરમાં લગ્ન નહિ કરવાનો પણ એમણે નિર્ધાર કર્યો છે..
ફોટોમાં સામાન સાથે બચુભાઈ અને રાગીબહેન...

Tuesday, 14 April 2015

Livelihood Generation for Nomadic Tribes of Gujarat by VSSM

Livelihood for NT
Livelihood Generation for Nomadic Tribes by VSSM
A year and half back Vershibhai Raval of Deesa developed some cardiac complications.The doctors at Lions Hospital where he was hospitalised  advised a Bypass surgery. The financial condition of Vershibhai poor thus affording a bypass surgery was out of question. The expected cost of the surgery was almost 1.5 lacs. VSSM was approached by a community leader for a loan to cover the cost of Vershibhai’s surgery. The community contributed Rs. 50,000 while VSSM lent Rs. 1 lac. Vershibhai’s two sons guaranteed that they will pay back the loan. The surgery was successful and Vershibbhai was on path of recovery. The family repaid the entire loan as well. 

All was not all as soon Vershibhai suffered from post operative depression. The restrictions on activities and medication took its toll of his mental wellbeing. He would remain irritated and aggressive all the time. Middle aged Vershibhai had a life ahead of him and such behaviour concerned the family. He  was advised to begin working. Vershibhai earned his living  as an auto rickshaw driver before his illness so he requested VSSM to loan him money to buy a rickshaw. VSSM lent him Rs. 30,000 and rest 1 lac he sourced from a finance company from which he bought a second hand auto rickshaw. 

The rickshaw has made Vershibhai busy and his family is relieved. ‘Our medical expenses have drastically reduced. We ask him not to overexert  and take a break in the afternoon but he just does not want to. He earns well and repays the loan from his earning. The family is quite happy with his health now,” said Mahesh, Vershibhai’s son. 

‘We were all fed up with his continuous nagging and irritability, but his getting back to work has relieved us all,” confessed Vershibhai’s wife Jebarben….

In the picture Vershibhai with his auto….. 

‘જ્યારથી રીક્ષા આવી અને એ કામે ચડીં ગયા ત્યારથી નિરાંત થઇ ગઈ છે.’ – જેબરબેન

બનાસકાંઠાના ડીસામાં રહેતાં વેરશીભાઈ રાવળને દોઢ વર્ષ પહેલાં હ્રદયની બીમારી થઇ. મહેસાણા લાયન્સ હોસ્પીટલમાં દાખલ કર્યા. ડોકટરે બાયપાસ કરવી પડશે એમ કહ્યું. આર્થિક હાલત ખુબ ખરાબ આમાં બાયપાસ માટે ૧.૫૦ લાખનો ખર્ચ ક્યાંથી કરવો એ પ્રશ્ન. રાવળ સમાજના આગેવાનોએ vssmમાં વાત કરી અને લોન આપવા વિનંતી કરી. સાથે સાથે રૂ.૫૦,૦૦૦ ની મદદ સમાજ તરીકે એમણે પણ વેરશીભાઈના પરિવારને કરી. આપણે ઓપરેશન માટે રૂ.૧ લાખની લોન આપી. પરિવારમાં બે દીકરાએ ખાત્રી આપી કે લોન અમે ભરીશું અને વેરશીભાઈ બેઠા થઇ ગયાં એમણે લીધેલી લોન તો એમણે ભરી પણ દીધી. 

પણ બીમારી પછી વેરશીભાઈ આખો દિવસ ઘરે રહે. દવાઓ પાછળ ઘણો ખર્ચ થાય અને સ્વભાવ પણ ચીડિયો થઇ ગયો. વેરશીભાઈની ઉંમર આમ નાની. એમની આ બધી તકલીફ જાણ્યા પછી એમને કામ કરવા કહ્યું. એ પહેલા રીક્ષા ચલાવતાં. એમણે રીક્ષા ખરીદવા લોન આપવા કહ્યું. આપણે રૂ.૩૦,૦૦૦ લોન પેટે આપ્યાં અને બાકીની રકમ માટે એમણે ફાઈનાન્સમાંથી લોન લીધી અને રૂ. ૧,૧૦,૦૦૦ની જૂનામાંથી રીક્ષા ખરીદી. રીક્ષા ખરીદે પાંચ મહિનાનો સમય થયો.. એમનો દીકરો મહેશ કહે છે, ‘પહેલાં દર મહીને દવાનો જે ખર્ચ થતો એ નગણ્ય કહી શકાય એટલો થઇ ગયો છે. હું એમને સવારે અને સાંજે રીક્ષા લઈને કામ કરવાં કહ્યું છું બપોરે ના પાડું છું છતાં સારો એવો ધંધો કરી લે છે. vssm અને ફાઈનાન્સની લોન એ પોતે જ ભરે છે. અમારો પરિવાર પણ હવે ખુશ છે.’

વેરશીભાઈના પત્ની જેબરબહેન કહે છે, ‘એમની બીમારી પછી એમનાં સ્વભાવના કારણે અમે બધા ખુબ કંટાળ્યા હતાં પણ જ્યારથી રીક્ષા આવી અને એ કામે ચડીં ગયા ત્યારથી નિરાંત થઇ ગઈ છે.’
ફોટોમાં વેરશીભાઈ પોતાની રીક્ષા સાથે...

Sunday, 12 April 2015

"Want to save to build a home…."

Hemabhai Meer is a community leader amongst the 25 Meer families staying on the Boda road in Diyodar. An extremely humble and helpful Hemabhai puts the needs of others before his. The Meer families of Boda road work as daily wage earners, they are skilled mud excavators but getting work daily isn’t always possible. When work is scarce they set out to beg. During festivals like Holi these families go house to house singing Holi folk songs in return of which people give them money. 

Hemabhai and his wife Pasiben have always worked for the larger good of their community. They are leaders who work for the betterment of their community. They have been instrumental in bringing the children of the community to school, on behalf of the families Hemabhai also makes rounds of various government offices whenever needed. All this engagement hardly gave him time to work to earn living and support his family so the community supported him for working on their behalf. The death of his first wife and the subsequent remarriage had left Hemabhai in a big debt. 

Once VSSM began working in the settlement, most of the work was done by VSSM so the community’s need to sustain Hemabhai decreased. Hemabhai struggled to make ends meet but he was to dignified to share his problems with VSSM’s Naranbhai. It was Pasiben  who shared their  issues  with Naranbhai and requested him to find support to help them start their own business. The couple wished to get a camel cart. In rural parts camel carts are hired by farmers to ferry manure, grains etc. Buying a camel cart required substantial amount which the family did not have. VSSM loaned Rs. 30,000 to Hemabhai to buy a camel cart. Hemabhai bought a camel cart with part his and part VSSM’s support. The couple now works really hard and earns a decent amount everyday. They get regular jobs of ferrying manure to the farms. He has already repaid Rs. 15,000 - half  his loan amount. 

“ Once I am repay the loan and some remaining previous debt I want to start saving for building my own home,” says an optimistic Hemabhai. 

In the picture Hemabhai and Pasiben with their camel cart and their current home….


‘બસ બહારનું દેવું અને સંસ્થાની લોન ભરાઈ જાય પછી ઘર બનાવવા માટે પૈસા ભેગા કરવા છે’ – હેમાભાઈ મીર

દીયોદરમાં ૨૫ મીર પરિવારો બોડા રોડ ઉપર રહે અને છુટક મજૂરી કરીને પોતાનો ગુજારો કરે. આમ તો ખાડા ખોદવાના કામમાં આ લોકો પાવરધા પણ હંમેશાં કામ મળે એવું ના થાય ત્યારે માંગવા જાય. હોળી વખતે તો તેઓ ડફલી વગાડે અને ફાગ ગાય અને લોકો એમને પૈસા આપે. 

મીર સમુદાયના આગેવાન હેમાભાઈ અને એમના પત્ની પસીબેન vssmના તમામ કામોમાં ખુબ સહયોગ કરે. મીર પરિવારના બાળકો માટે આપણે વસાહતમાં વૈકલ્પિક શાળા શરુ કરી ત્યારે બાળકોને સમજાવીને ભણવા મુકવા માટે આ બન્ને જણ જ સૌને સમજાવતા. જેના કારણે બાળકો ધીમે ધીમે ભણતા થયાં. હેમાભાઈ vssmના કાર્યકર નારણ સાથે સરકારી કચેરીમાં પણ જાય.. ધીમે ધીમે એ પોતે આર્થિક સદ્ધરતા માટે વિચારતા થયા પણ શું કરવું એ સૂઝતું નહોતું. 

આમ તો હેમાભાઈ આગેવાન એટલે મજૂરી કરવા એ પોતે ક્યારેય જાય નહિ લોકોના સામાજિક કામો પતાવવાના અને લોકો એમને સાચવે. એટલે એમનો જીવનનિર્વાહ ચાલે. પણ એમની પત્નીનું મૃત્યુ થયું અને બીજી પત્ની(પસીબેન) લાવવામાં અને બાળકોને સાચવવામાં ઘણું દેવું થઇ ગયું. vssmનું મીર વસાહતમાં કામ શરુ થયું. સામાજિક રીતે થતા ખોટા કામો vssmના કાર્યકર નારણે બંધ કરાવ્યા. હેમાભાઈની આવક તો સાવ જ બંધ થઇ ગઈ. હેમાભાઈ નારણને કશું કહી ના શકે પણ પસીબેને નારણને સઘળી હકીકત કહી અને કંઇક ધંધો કરવા મદદ કરવા કહ્યું. ઊંટલારી હોય તો દિયોદર આસપાસના વિસ્તારોમાં ઘણું કામ મળશે એવી એમને શ્રધ્ધા. પણ એ માટેના પૈસા એમની પાસે નહિ. બચત તો જિંદગીમાં ક્યારેય કરેલી નહિ. આપણે લોન આપવાનું શરુ કર્યું કે, નારણે સૌથી પહેલાં હેમાભાઈને લોન આપવા વિનંતી કરી અને જૂનામાંથી ઊંટલારી ખરીદવા રૂ.૩૦,૦૦૦ની લોન આપણે આપી. થોડા પૈસા એમણે પોતે પણ કાઢ્યા. 

લારી લીધા પછી એક પણ દિવસ હેમાભાઈ અને પસીબેન ઘરે રહ્યા નથી. રોજ સવારે પતિ-પત્ની બન્ને વિવિધ કામો માટે ભાથું લઈને જતા રહે છે. એમને ખેતરમાં ખાતર ભરવાનું કામ ખુબ મળે છે. આ સિવાય માટી અને અનાજ વગેરે ઢોવાનું કામ પણ એ કરે છે. vssmમાંથી લીધેલી લોનનો માસિક હપ્તો રૂ.૧૫,૦૦ એ ભરે છે અને એમના માથે જે દેવું છે એ પણ ઓછું થઇ રહ્યું છે. હેમાભાઈ કહે છે, ‘બસ બહારનું દેવું અને સંસ્થાની લોન ભરાઈ જાય પછી ઘર બનાવવા માટે પૈસા ભેગા કરવા છે..’


ફોટોમાં લારી સાથે હેમાભાઈ અને પસીબેન અને તેમનું હાલનું ઘર..  

Becharbhai - working hard to achieve his dream….

Becharbhai Bajaniyaa  resides in Sarwal village of Patan’s Harij town. He earns his living by collecting and selling hair that women shed while combing. The money earned is just about enough to support his family of 5. But what Becharbhai really desires is to increase his income by starting some small business. Option of a small shop to sell snacks and utilities required substantial capital investment and involvement. Giving up the only earning option  of collecting hair for starting the shop wouldn’t be a wise decision for him.  He would  constantly weigh his options…

Becharbhai decided to involve Jadiben his wife who until now was a homemaker, into starting some small home business. He took a loan of Rs. 10,000 from VSSM. Half of that money was used to purchase hair (initially he would exchange them for small stuff like toy, rubber bands etc). Rest of the amount was used to buy tamarind seeds. There is a great demand for tamarind seeds in villages and towns. These seeds are roasted and nibbled upon. He bought the seeds at wholesale rate and repacked them in smaller amount. Small shop owners, hawkers etc. started buying tamarind seeds from him. At the end of the day Jadiben would sell around 20 kgs of seeds. There are some hair collectors who exchange hair for such seeds and so the demand is good. They make a profit of Rs. 6 per kg i.e. Rs. 120 to Rs. 150 daily. The couple takes turns in managing the outlet. They are saving the amount for a bigger shop. All their 3 sons are studding well. The eldest is in 9th grade at one of the VSSM run hostels. He plans to educate his kids all the way so that they have a brighter future. 

Becharbhai in black shirt.. in the picture. ..

બેચરભાઈ સ્વપ્ન જોવાની સાથે સાથે એને સાકાર કરવા શું કરવું એ વિચાર્યા કરે..

બેચરભાઈ બજાણિયા પાટણ જીલ્લાના હારીજ તાલુકાના સરવાલગામમાં રહે. તેઓ માથું ઓળતા કાંસકામાં ઉતરીને આવતાં વાળ ભેગા કરીને વેચવાનું કરે. ગાડું ઠીકઠીક ગબડ્યા કરે. મનમાં ઈચ્છા તો વધારે પૈસા ભેગા કરીને ગામમાં ઠંડા પીણા અને કટલરીની દુકાન કરવાની પણ એ માટે ઘણી વધારે મૂડી જોઈએ. બેચરભાઈ સ્વપ્ન જોવાની સાથે સાથે એને સાકાર કરવા શું કરવું એ વિચાર્યા કરે. આખી જિંદગી વાળ વેચે તોય દુકાન ના થાય એ વાત એ બરાબર જાણે. વળી એકદમ પોતાનો ધંધો બંધ કરીને નવું વિચારે એ પણ જોખમી હતું. પરિવારમાં ત્રણ દીકરા, માતા અને પોતે બે માણસ. આમ કુટુંબની જવાબદારી પણ હતી. 

બેચરભાઈ વાળ એકઠા કરવાં ગામે ગામ ફરે અને એ વખતે એમના પત્ની જડીબહેન ઘર સંભાળે, પરિવારને સાચવે. બેચરભાઈએ જડીબહેનને ઘર સંભાળવાની સાથે સાથે નાનો વેપાર કરી શકે જેમાં બહુ મહેનત ના પડે એવું કરી આપવાનું નક્કી કર્યું. હોલસેલમાં કચૂકા વેચવાનો વ્યવસાય કરવાનું એમણે વિચાર્યું. 

vssm પાસેથી રૂ.૧૦,૦૦૦ની લોન લીધી. જેમાંથી થોડી રકમ એમણે લોકો પાસેથી વાળ લઈને એની સામે વસ્તુ(ફુગ્ગા, બોરિયા-બકલ વગેરે) આપતા, એની જગ્યાએ વસ્તુના બદલે એમણે સીધા પૈસાથી જ વાળ ખરીદવાનું શરુ કર્યું અને થોડી રકમથી એમણે જથ્થાબંધમાં કચૂકા લાવીને વેચવાનું શરુ કર્યું. ૧.કી.ગ્રા.ના પેકેટ બનાવીને એ ધંધે જાય અને જડીબહેન નિયમિત ૨૦ કી.ગ્રા. કરતા વધારે કચૂકા વેચી નાખે.. મૂળ તો નાના દુકાનદારો અને બજાણીયાભાઈઓ કે જેઓ વાળ એકઠા કરવાનું કામ કરે છે એ વાળના બદલામાં કચૂકા આપવાનું પણ કરે. એટલે એ લોકો બેચરભાઈ પાસેથી કચૂકા ખરીદીને લઇ જાય..બેચરભાઈ હાજર હોય ત્યારે એજ આ વ્યવસાય સંભાળે જયારે એમની ગેરહાજરીમાં જડીબહેન બધું સંભાળે. એક કી.ગ્રા. પેકેટ ઉપર રૂ.૬ નો નફો થયા આમ રૂ. ૧૨૦થી લઈને ક્યારેક રૂ.૧૫૦ સુધીનો નફો થાય છે. જે એકબાજુ જમા કરે છે. એમાંથી જ તો એમણે દુકાન કરવાની છે.. એમનો દીકરો vssm દ્વારા ચાલતી હોસ્ટેલમાં ધો.૯માં ભણી રહ્યો છે. બાકીના બે નાના દીકરા પણ ભણે છે. એમની ઈચ્છા દીકરાઓને ખુબ સારું શિક્ષણ અને સારી જિંદગી આપવાની છે. 
ફોટોમાં કાળા શર્ટમાં બેચરભાઈ

Saturday, 11 April 2015

This Diwali was truly festive for Bharatbhai….

Bhatartbhai Marwari is a resident of Navagaum village in Rajkot. He earns his living by collecting scrap that he sells later. He is a daily wage earner cause not having enough money means he cannot buy enough scrap to make good margin. VSSM has supported Bharatbhai in getting  documents like Voter ID card, Adhar Card, Ration Card. The interaction during this process helped us understand the financial condition of Bharatbhai. He was looking for options to increase his income. In such trades if one has some capital on hand they can buy more scrap, store it and sell it later once enough is collected and prices increase.

Diwali is one festival when people throughly clean their homes, disposing everything that is no more of use to them. During the Diwali of 2014, Bharatbhai decided to collect as much of such scrap as possible. He approached VSSM’s Kanubhai for help, requesting him to find someone who can loan him some money. Chanukah recommended him to VSSM. We decided to lend him Rs. 10,000. It was a timely support. With the money he bought enough scrap an made made profit of Rs. 13,000. He isn’t a daily wage earner now but earns enough money to save regularly. He has opened a bank account where he deposits his savings. His children are also regular with school. 

Kanubhai also helped Bharatbhai get a hand cart under  the Manav Garima Scheme (so what if on wheel of this cart is still at the government office). 

At this juncture we would like to express our deep gratitude to Shri. Rameshbhai Kacholiya and Shri.  Girishbhai Sherdalal for their support in enabling us to help many others like Bharatbhai increase their earning capacities…..

In the picture - Bharatbhai’s home and him collection scrap in a manual rickshaw….


દિવાળીની સિઝનમાં જ ભરતભાઈ રૂ.૧૩,૦૦૦ કમાયા...
ભરતભાઈ મારવાડી નવાગામ – રાજકોટમાં છાપરું કરીને રહે. એમને મતદારકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ vssmના કાર્યકર કનુભાઈ બજાણિયાની મદદથી મળ્યા. ભરતભાઈ રાજકોટમાં ફરીને ભંગાર ભેગું કરીને વેચવાનું કામ કરે. રોજ કમાવવાનું અને ખાવાનું એ એમની જીવનશૈલી. 
પાસે પૈસા વધારે હોય તો ભંગાર વધારે ખરીદી શકાય અને સંગ્રહ કરીને વધારે ભંગાર ભેગો થાય એટલે વેચી શકાય. પણ બચત તો હતી નહિ એટલે વધારે માત્રામાં ભંગાર ખરીદવાનું કરી ના શકે. ઈચ્છા હોવા છતાં પસ્તી, પૂંઠા ભેગું કરવાનું જ કરવું પડે. ૨૦૧૪ની દિવાળીમાં એમણે ઘરમાંથી કાઢી નાખવાનો ભંગાર ખરીદવાનું નક્કી કર્યું. પણ રોકાણ માટે મૂડી નહિ. એમણે કનુભાઈને વાત કરી ને કોઈ ઉધાર કે વ્યાજવા પૈસા આપે તો ગોઠવી આપવા વિનંતી કરી. 
કનુભાઈ એ vssmમાંથી એમને રૂ. ૧૦,૦૦૦ની લોન અપાવી. ભરતભાઈને સમયસર પૈસા મળી ગયા જેના કારણે દિવાળીની સિઝનમાં જ તેઓ રૂ.૧૩,૦૦૦ કમાયા. હવે રોજ કમાવું અને રોજ ખાવું એમાંથી એ નીકળી ગયા છે. બેંકમાં નિયમિત બચત કરે છે અને બાળકોને પણ સરસ ભણાવે. 
કનુભાઈ એ ભરતભાઈને સરકારની માનવ ગરિમા યોજના અંતર્ગત હાથલારી મળે એ માટે અરજી કરી હતી જે એમને મળી ગઈ. (હા લારીનું એક પૈડું હજુ કચેરીમાંથી મળ્યું નથી પણ એ વાત જુદી છે) ભરતભાઈ જે સ્થિતિમાં રહે છે એ જોઈ શકાય છે. સાથે સાથે પેડલ રીક્ષામાં ભંગાર એકત્રિત કરવાનું કામ કરતાં ભરતભાઈને જોઈ શકાય છે. 
ભરતભાઈ જેવા બીજા કેટલાય પરિવારોને રોજગારની વધુ સારી તક મળી રહે એ માટે મદદરૂપ થઇ રહેલા આદરણીય શ્રી રમેશભાઈ કચોલિયા અને શ્રી ગીરીશભાઈ શેરદલાલના અમે આભારી છીએ. 

Thursday, 9 April 2015

Initial capital support helps Yakubbhai and Sabirbhai increase their business potential….

Yakubbhai Meer and Sabirbhai Meer are residents of Samakhiyali in Kutchh. The duo are engaged in the occupation of selling brocade and other borders used for enhancing and ornamentation of sarees, blouse, chaniya-choli etc. Surat is a huge market for buying such decorative borders. It offers immense  choice for  both the  type and price of such stuff . Both Yakubbhai and Samirbhai would travel to Surat to buy them. With limited cash on hand the purchase would be very limited of course. With Rs. 2000 in pocket they set out to buy material from Surat, spending almost Rs. 500 on commute, with the balance Rs. 1500 it is difficult to get substantial amount of material. 

VSSM got into touch with these families and assisted them in getting their indignity documents. The dialogue also gave us a sense of their economic condition and struggles for earning livelihood. VSSM’s Ishwarbhai and Nareshbhai  taught the children of these Meer families. Yakubbhai and Sabirbhai requested the Baldosts to help the get some financial assistance from VSSM. We helped them with a loan of Rs. 15,000 each. 

With the money they bought enough stock from Surat and set out to sell it in the region of Saurashtra, where there is great demand for borders and lace. After a few days they come back to their home town where they resume selling in the main market by renting a hand cart. They are earning well, have opened a bank account are saving for building a home. 


In the picture Yakubbhai (in paghadi) and Sabirbhai selling brocade borders and lace..
રૂ.૨૦૦૦ની લેસપટ્ટી લાવીને વેચતા યાકુબભાઈ અને સબીરભાઈ હવે વધારે રકમનું રોકાણ કરતા થયા છે..
 યાકુબભાઇ મીર અને સબીરભાઈ મીર કચ્છના સામખ્યારીમાં રહે. શિક્ષણ જરાય નહિ.. એટલે કુશળતાવાળું કામ ફાવે નહિ. લેસપટ્ટી વેચવાનું કામ એ કરે. પણ મૂડી રોકાણ થઇ શકે એવી સગવડ નહિ. રૂ.૨,૦૦૦ ભેગા થાય એટલે સુરત જાય અને ત્યાંથી લેસ લઇ આવે અને ગામડામાં ફરીને વેચે. 

આ પરિવારોના સંપર્કમાં આવવાનું થયું ત્યારે એમની આર્થિક મુશ્કેલીની સાથે સાથે એમને આ દેશના જરૂરી આધાર પુરાવાની કેટલી જરૂર છે એ પણ સમજાયું. આધાર પુરાવા કાઢવવામાં vssmએ મદદ કરી. આ દરમ્યાન એમની આર્થિક મૂંઝવણ અંગે પણ ખ્યાલ આવ્યો. રૂ.૨૦૦૦માં લેસ લેવા માટે તેઓ છેક સુરત જાય, ભાડામાં જ રૂ. ૫૦૦ જતા રહે. વધ્યા રૂ.૧૫૦૦ એમાંથી સામાન લાવીને વેચે.. આમાં માર્જિનમની પણ ના નીકળે. આ પરિવારના બાળકોને ભણાવતા vssmના બાલદોસ્ત ઈશ્વર અને પરેશે બે ભાઇઓને વધારે જથ્થામાં લેસપટ્ટી ખરીદવા લોન આપવા વિનંતી કરી. શરૂઆત બે વ્યક્તિને રૂ.૧૫,૦૦૦ એમ કુલ રૂ.૩૦,૦૦૦ની લોન આપીને કરી. 

આ રકમમાંથી બંને ભાઇઓ સુરતથી લેસ લાવ્યા અને એ વેચવા માટે સૌરાષ્ટ્રમાં ફરે. સૌરાષ્ટ્રમાં લેસપટ્ટીની ખપત ઘણી છે. થોડા દિવસો આ રીતે ફેરી કરીને એ સામખ્યારી પરત આવે અને સામખ્યારીમાં દૈનિક રૂ.૨૦ આપીને ભાડેથી લારી લઈને લેસપટ્ટી લઈને બજારમાં ઉભા રહે અને ધંધો કરે છે. સારું કમાય છે. ઘર બાંધવા પૈસા ભેગા કરવા છે.. ગ્રામીણ બેંકમાં ખાતા ખોલાવ્યા છે. જેમાં તેઓ બચત કરે છે. 

ફોટોમાં લારીમાં લેસ વેચતા પાઘડીવાળા યાકુબભાઈ અને સબીરભાઇ

Thursday, 2 April 2015

Putting their training to an immediate use by constructing their own homes..

The  nomadic communities have been absorbing all the  adversities hurled upon them in a way they have been roughing it out. Their occupations have died down, they don’t have any decent means of earning, they have been greatly neglected by the society and the authorities, they have never been to school, haven’t been able to hone any relevant  skills that can help them make living. While the older generation is not willing to make that shift,  VSSM has taken upon training the current generation so as to equip them with contemporary skills. 

In January 2015 we enrolled 12 young men for the communities of Vadee, Vansfoda and Meer,  at a vocational  training centre run by 'Ambuja Foundation' and ‘Sadvichar Parivar’ in Uvarsad. VSSM had to be a hard task master here as the parents weren’t prepared to send their sons away. The trades they are learning are tailoring and masonry. The training will complete on 17th April. 5 men undergoing training are from Dhangadhra settlement where construction of homes is underway. These men are planning to take up construction of their own homes. And we couldn’t ask for anything more. 
The training expenses for these trainees has been borne by Ambuja Foundation while Sadvichar Parivar provided them the lodging and VSSM sponsored their food bill during the stay at the centre. 

We are determined to prepare the communities to enable them to earn dignified living, it challenging but we are committed to it…...


In the picture - the trainees 

‘વાદી યુવાનો તાલીમ પછી પોતાનું ઘર જાતે બનાવવા ઈચ્છે છે..’

વિચરતા સમુદાય પોતાના પરંપરાગત વ્યવસાયના આધારે નભતા અને તે માટે વિચરણ કરતા પણ હવે એમનાં વ્યવસાય પડી ભાંગ્યા છે. નવા વ્યવસાયની આવડત નથી ને શિક્ષણ તો છે જ નહિ. વળી દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વત્રંત વ્યવસાય કરી શકે એવું પણ નથી. જૂની પેઢી નવું શીખવા તૈયાર નથી. આવામાં નવી પેઢી કે જે મહેનત કરીને કમાવવા ઇચ્છતી હોય તેમને નવા વ્યવસાયની તાલીમ આપવાનું vssm કરે છે. 
‘અંબુજા ફાઉન્ડેશન’ અને ‘સદવિચાર પરિવાર’ના સંયુક્ત ઉપક્રમે ઉવારસદ ગામમાં વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર ચાલે છે એમાં વાદી, વાંસફોડા અને મીર સમુદાયના કુલ 12 યુવાનોએ કડીયાકામની અને સિલાઈની તાલીમ માટે પ્રવેશ મેળવ્યો. આમ તો આ તાલીમ માટે અમે રીતસર એમને ધમકાવ્યા એમ કહીએ તો ચાલે.. મૂળ મા – બાપની તૈયારી નહિ એટલે તાલીમ માટે કોઈ તૈયાર થાય નહિ. 
ઘણી મહેનત પછી 12 યુવાનોની તાલીમ જાન્યુઆરી -૨૦૧૫માં ગોઠવાઈ જે ૧૭ એપ્રિલના રોજ પૂરી થશે. તાલીમ લઇ રહેલા યુવાનોમાં પાંચ યુવાનો ધ્રાંગધ્રાના વાદી પરિવારમાંથી છે જેમના ઘરો બનાવવાનું કામ ચાલુ છે. આ યુવાનો તાલીમ પછી પોતાનું ઘર જાતે બનાવવા ઈચ્છે છે..
આ તમામ યુવાનોનો તાલીમ ખર્ચ અંબુજા ફાઉન્ડેશને ઉપાડ્યો તો રહેવાનો ખર્ચ સદવિચાર પરિવારે અને એમનો ભોજનખર્ચ vssm દ્વારા ચૂકવાયો.. દરેક વ્યક્તિને કામ મળે એ રીતે તૈયાર કરવાનો અમારો નિર્ધાર છે. આમ તો આ  સૌથી મુશ્કેલ કામ છે પણ કરવાનું છે એ નક્કી છે.. 
ફોટોમાં તાલીમ લઇ રહેલા યુવાનો...

Wednesday, 1 April 2015

Pulling out from the clutches of the cycle of poverty……...

Distress migration or the wandering that the nomadic families do to earn their living not only deprives these wanderers of the fundamental facilities to lead even a minimalist life but the lack of financial resources means these families do learn to handle money. Most of them are daily wage earners means what they earn is spend to buy their daily needs. The ever increasing inflation leads to huge gap between their earnings and spendings. VSSM’s livelihood initiative targets to address some of these basic issues.  As  scope of families benefiting from VSSM’s livelihood initiative increases our learning are also increasing. The interaction VSSM team members have with the loanees helps us shape our strategies so as to bring significant  improvement in the economic conditions of these families. 

One of the most important aspect of this exercise has been to compel the families to open bank accounts and start saving. The loan from VSSM is helping the families earn better, more income means more money on hand and if these families are not guided to manage their earnings it would be difficult to pull them out from the cycle of poverty-debt-migration……

25 Kangasiya families of Chunarawad in Rajkot are taking baby steps to gaining financial independence. The women of these families earn by selling imitation jewellery, cosmetics, hair accessories and likes. The men in the families are daily wage earners. The women buy stuff from retail merchants in Rajkot and sell them in the villages around their settlement. While its a job involving lot of walking and travelling through the day whereas the earnings at the end of the day are not more than Rs. 100 to 150.   These women do a business of Rs. 1200 to 1500 daily but earn only 100 to 150 as most of the money is the cost towards buying the products. The merchants are also their money lenders who lends them money in times of need with high interest rates (as all private money lenders do). Since they have to repay back it is necessary they keep buying goods from the same merchant even if they were priced higher than others. Exploitation it was but these women had no option. They can buy stuff at wholesale rate but that requires capital to make those initial investments. Which these families do not have. 

VSSM had helped these families get their basic citizenry documents and that is how the organisation has remained in touch with them. VSSM’s Kanubhai got a sense of the challenges they faced during the initial  interactions.  First he asked the families to open their bank accounts and assisted them in doing so. One of the preconditions of receiving loan from VSSM was to open a bank account and cultivate the habit of regular saving. The bank officials were non cooperative initially but not  understand their situation and assists them wherever and whenever possible. Than we provided loan of Rs. 15000 to 5 families initially. They bought goods from wholesale market and the returns now are good they have also began transaction with the bank on regular basis, the savings and earnings are good which has instilled a lot of confidence amongst  these families. 
Given the economic background of the marginalised nomadic families, trust was hard to come by. But the faith we have put in hundreds of nomadic families is enabling them to create alternate sources of income and realise their potential is bringing a remarkable change in their bargaining capacity, giving them income to fall back on and raising their standard of living. 

We are eternally grateful to all our well-wishers who have stood by us in creating this opportunities…

In the picture (1) Maniben Danabhai Kangasiya, (2)Kamuben Bhikhabhai Kangasiya, (3)Sejalben Kangasiya,(4) Minaben Gordhanbhai Kangasiya, (5)Rukmaben Kangasiya, and  (6) Soniben Khoduhai Kangasiya selling Hosiary items roaming on streets…...


વિષચક્રમાંથી નીકળવા લોન આપીએ..

ચુનારાવાડ રાજકોટમાં કાંગસિયાના ૨૫ પરિવારો રહે. બહેનો શૃંગાર પ્રસાધનો વેચવાનું કામ કરે. ભાઈઓ છૂટક મજૂરી કરે. બહેનો કટલરીનો સામાન રાજકોટની દુકાનમાંથી સવારે ખરીદે અને આખો દિવસ એ સામાન વેચે. એ જે સામાન ખરીદે એ જથ્થાબંધમાં ખરીદી ના શકે. મૂળ જથ્થાબંધમાં ઘણો સામાન ખરીદવો પડે અને એ માટે મૂડી રોકાણ કરવું પડે જે નહોવાથી રોજે રોજ કે દર બે – ચાર દિવસે સામાન ખરીદી અને વેચવાનો ક્રમ ચાલે. રોજના ૧૦૦ કે રૂ. ૧૫૦ મળે. એટલે આ પરિવારો રાજી. આમ તો વેપારી આ પરિવારોને ફેરિયા તરીકે રાખે છે એમ કહીએ તો પણ ચાલે. ભૂખ્યા પેટે આખો દિવસ રઝળપાટ કરીને રૂ.૧૨૦૦ કે રૂ.૧૫૦૦ નો સામાન વેચીને આવ્યા પછી સાંજે તો એના હાથમાં રૂ.૧૦૦ કે રૂ.૧૫૦ જ મળે. વળી બચતની તો ટેવ જ નહિ. એટલે જરૂર પડે ત્યારે પણ પેલા દુકાનવાળા પાસેથી ઉછીના લઇ આવે અને એનું કેટલું  વ્યાજ ચૂકવવાનું છે એવી તો કોઈ માહિતી જ નહિ લેવાની. બસ સામાન લેવાનો- વેચવાનો અને રૂપિયા ભર્યા કરવાના.. 

આ પરિવારો આપણા સંપર્કમાં આવ્યા એમની પાસે મતદારકાર્ડ કે પોતાની ઓળખના અન્ય કોઈ પુરાવા જ નહિ. આપણે એમને મતદાર કાર્ડ અપાવ્યા. એમાં આ પરિવારોની ઉપરોક્ત સ્થિતિનો ખ્યાલ આવ્યો. vssmના કાર્યકર કનુભાઈ આ પરિવારોની સ્થિતિ સમજ્યા પછી આ પરિવારોને કહ્યું, ‘vssm તમને મદદ કરશે પણ તમે બેંકમાં ખાતું ખોલાવો અને બચત કરવાની ખાત્રી આપો તો અમે તમને આ વિષચક્રમાંથી નીકળવા લોન આપીએ..’ શરૂઆતમાં  આપણે પાંચ જ પરિવારને લોન આપવાનું નક્કી કર્યું અને રૂ.૧૫,૦૦૦ લોન સામાન ખરીદીને વેચવા માટે આપી. આપણે લોનનો ચેક આપ્યો. આમ બેંક સાથે વ્યવહાર શરુ થયો. જથ્થાબંધ સામાનની ખરીદી થઇ. પહેલાં દુકાનદાર જ પૈસા અને સામાન આપતો આથી ફરજીયાત એની પાસેથી જ સામાન ખરીદવો પડતો પણ હવે બે દુકાનમાં ભાવ પૂછીને ખરીદે છે. વધારે સામાન ખરીદવાનો છે એમ કહીને બાર્ગેન પણ કરે છે. બચત નિયમિત કરે છે. બેંકમાં પૈસા કેવી રીતે ઉપાડવા – મુકવા એ બધું કનુભાઈએ શીખવ્યું છે. દર મહીને સામેથી કનુભાઈ જ્યાં હોય ત્યાં આવીને લોનનો હપ્તો આ પરિવારો આપી જાય છે. 

બેંકમાં શરૂઆતમાં ખાતા ખોલાવવા જતા ત્યારે બેંક ખાતા ખોલાવવામાં આનાકાની કરતી. કનુભાઈ કહે છે, એમ ખુબ મુશ્કેલી પડતી. પણ એમને આપણે લોન આપવાના છીએ અને એટલે ખાતા ખોલાવી રહ્યા છીએ એ જાણ્યા પછી બેંકના કર્મચારીનો ભાવ બદલાયો છે. હવે લોનધારકો અને એ સિવાય પણ જેમના બચતખાતા ખોલાવ્યા છે એ લોકો નિયમિત બચત માટે રકમ ભરવા જાય તો બેન્કવાળા એમને પહોચ ભરવામાં પણ મદદ કરે છે. 

વિચરતી જાતિ કે વંચિતોને આર્થિક મુશ્કેલીમાં એમના પર ભરોષો મુકીને કોઈ સહયોગ કરતુ નથી. આવામાં એમને તગડાં વ્યાજે પૈસા લાવવા સિવાયનો કોઈ વિકલ્પ સૂઝતો નથી.  વળી કમનસીબી એ છે કે, આ પરિવારોને તો એમણે લીધેલી રકમનું વ્યાજ ગણતા પણ આવડતું નથી.  આવી સ્થિતિમાં રહેતાં આ પરિવારોને મદદરૂપ થનાર સૌ સ્વજનોનો આભાર માનું છું.

photoમાં (૧) મણીબેન દાનાભાઈ કાંગસિયા (૨) કમુબેન ભીખાભાઈ કાંગસિયા (૩) સેજલબેન કાંગસિયા (૪) મીનાબેન ગોરધનભાઈ કાંગસિયા (૫) રુકમાબેન ખોડુભાઈ કાંગસિયા (૬) સોનીબેન ખોડુભાઈ કાંગસિયા પોતાના વેપાર સાથે ...